ભારતભરમાં અંગદાન પ્રવૃત્તિના મશાલચી સુરતના નિલેશ માંડલેવાળાનો શનિવાર તા. ૨૦ જાન્યુઆરીએ અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ ખાતે અંગદાન મહિમા શિબિર

ભારતભરમાં અંગદાન પ્રવૃત્તિના મશાલચી સુરતના નિલેશ માંડલેવાળાનો શનિવાર તા. ૨૦ જાન્યુઆરીએ અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ ખાતે અંગદાન મહિમા શિબિર

છેલ્લા ૨૦ વર્ષથી પોતાનો વ્યવસાય છોડીને ડોનેટ લાઈફ નામની સંવેદનાસભર સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી અને ભારતભરમાં અંગદાન મહિમાના મશાલચી તરીકે જાણીતા તથા મા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમજ ગુજરાત સરકાર દ્વારા વિભૂષિત નિલેશ માંડલેવાળાનો અંગદાન મહિમા સમજાવતો શિબિર નવસારી શહેર અને જિલ્લા માટે અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ, સ્વપ્ન લોક સોસાયટી કાલિયાવાડી પુલ પાસે સવારે ૧૦-૩૦ કલાકે યોજાયો છે.

અનાવિલ સંસ્કાર ટ્રસ્ટના પ્રમુખ જીજ્ઞેશભાઈ દેસાઈ, ઉપપ્રમુખ રવિન દેસાઈ, મંત્રી હાર્દિક નાયક અને સાથીઅોના સથવારે આ અંગદાન મહિમા શિબિરમાં નવસારી શહેર જિલ્લાનાં સમાજ સેવા કરતી સંસ્થાઅોના પ્રતિનિધિઓ અને સામાજિક કાર્યકરોને ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ પાઠવાયું છે.

સુરતની ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા આજપયત ૪૯૪ કિડની, ૨૧૩ લીવર, ૫૦ હૃદય, ૪૬ ફેફસા, ૮ પેન્કીઆસ, ૪ હાથ તેમજ ૧ નાનુ આંતરડું, ૩૮૯ ચક્ષુ દાન, વ્યકિતઓના ચક્ષુદાન દ્વારા ૧૧૦૬ માનવીઓના જીવન સુખદ રીતે ચાલી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સુરતથી દાન કરાયેલ હૃદય, ફેફસા વિગેરે યુનાઈટેડ આરબ અમીરાત, યુક્રેન, રશિયા, સુદાન, બાંગ્લાદેશ તેમજ દેશની વિવિધ જરૂરિયાત ભરી વ્યક્તિઓને અંગ પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. આ અંગદાન મહિમા નવસારી શહેર જિલ્લામાં આરંભ પામે અને પૂણ્ય કાર્ય થાય તેવો આયોજકોનો ઉમદા હેતુ છે.

ચાલો આપણે સાથી મળી માનવતાને ઉજાગર કરીએ

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *