ભારતભરમાં અંગદાન પ્રવૃત્તિના મશાલચી સુરતના નિલેશ માંડલેવાળાનો શનિવાર તા. ૨૦ જાન્યુઆરીએ અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ ખાતે અંગદાન મહિમા શિબિર

ભારતભરમાં અંગદાન પ્રવૃત્તિના મશાલચી સુરતના નિલેશ માંડલેવાળાનો શનિવાર તા. ૨૦ જાન્યુઆરીએ અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ ખાતે અંગદાન મહિમા શિબિર

છેલ્લા ૨૦ વર્ષથી પોતાનો વ્યવસાય છોડીને ડોનેટ લાઈફ નામની સંવેદનાસભર સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી અને ભારતભરમાં અંગદાન મહિમાના મશાલચી તરીકે જાણીતા તથા મા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમજ ગુજરાત સરકાર દ્વારા વિભૂષિત નિલેશ માંડલેવાળાનો અંગદાન મહિમા સમજાવતો શિબિર નવસારી શહેર અને જિલ્લા માટે અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ, સ્વપ્ન લોક સોસાયટી કાલિયાવાડી પુલ પાસે સવારે ૧૦-૩૦ કલાકે યોજાયો છે.

અનાવિલ સંસ્કાર ટ્રસ્ટના પ્રમુખ જીજ્ઞેશભાઈ દેસાઈ, ઉપપ્રમુખ રવિન દેસાઈ, મંત્રી હાર્દિક નાયક અને સાથીઅોના સથવારે આ અંગદાન મહિમા શિબિરમાં નવસારી શહેર જિલ્લાનાં સમાજ સેવા કરતી સંસ્થાઅોના પ્રતિનિધિઓ અને સામાજિક કાર્યકરોને ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ પાઠવાયું છે.

સુરતની ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા આજપયત ૪૯૪ કિડની, ૨૧૩ લીવર, ૫૦ હૃદય, ૪૬ ફેફસા, ૮ પેન્કીઆસ, ૪ હાથ તેમજ ૧ નાનુ આંતરડું, ૩૮૯ ચક્ષુ દાન, વ્યકિતઓના ચક્ષુદાન દ્વારા ૧૧૦૬ માનવીઓના જીવન સુખદ રીતે ચાલી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સુરતથી દાન કરાયેલ હૃદય, ફેફસા વિગેરે યુનાઈટેડ આરબ અમીરાત, યુક્રેન, રશિયા, સુદાન, બાંગ્લાદેશ તેમજ દેશની વિવિધ જરૂરિયાત ભરી વ્યક્તિઓને અંગ પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. આ અંગદાન મહિમા નવસારી શહેર જિલ્લામાં આરંભ પામે અને પૂણ્ય કાર્ય થાય તેવો આયોજકોનો ઉમદા હેતુ છે.

ચાલો આપણે સાથી મળી માનવતાને ઉજાગર કરીએ

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *