નવસારીમાં અંગદાન પ્રવૃત્તિને વેગ આપવા શુભારંભ થયો
- Local News
- January 21, 2024
- No Comment
અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી ખાતે હાર્દિક આર નાયકના અધ્યક્ષ પદે યોજાયેલા માર્ગદર્શક શિબિરમાં આરંભે સ્વાગત હાર્દિક નાયક દ્વારા અને ડોક્ટર રાજન શેઠજીએ અંગદાન નો મહિમા બળવત્તર બને તે માટે સંવેદનશીલ તબીબો અને હોસ્પિટલ સંચાલકો આગળ આવે એવી અપીલ સાથે પોતે પણ આ કાર્યને આગળ ધપાશે એમ ખાતરી આપી હતી. તેમણે નિલેશ માંડલીવાળાને અંગદાન પ્રવૃત્તિ માટે તેમને દેશભરમાં જાણીતા પ્રણેતા ગણાવ્યા હતા.

રેડક્રોસ નવસારીના પ્રમુખ ડો. અતુલભાઇ દેસાઈ તથા રોટરી આઈ હોસ્પિટલના સેક્રેટરી યોગેશભાઈ નાયક એ પ્રવૃત્તિ માટે તમામ પીઠબળ આપવાની ખાતરી આપી હતી. આવા કાર્યોમાં નવસારી શહેર જિલ્લો આ યજ્ઞમાં જોડાશે એમ જણાવ્યું હતું.
નવસારી જિલ્લા આહીર સમાજના મેનેજિંગ ટ્રસ્ટી સંજય આહીર એ પણ આ કાર્યની પડખે રહેવાની ખાતરી આપી હતી વિવેકાનંદ ટ્રસ્ટ ના ચેરમેન મહેશભાઈ લાડે પણ તમામ સહયોગ ની ખાતરી આપી હતી આ સભામાં રશ્મિબેન પંકજભાઈ દેસાઈ દ્વારા 23 જેટલા દેહદાન મેડિકલ હોસ્પિટલ ને પહોંચ્યા તેની ગૌરવપૂર્ણ નોંધ લેવામાં આવી હતી કાર્યક્રમનું સંચાલન ગૌતમ મહેતા દ્વારા થયું હતું.
અંગદાન માટે જીવન સમર્પિત કરનાર સુરતના નિલેશભાઈ માંડલી વાળા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું