આગામી લોકસભાની ચૂંટણીઓને લઈ: ગુજરાત રાજ્યમાં ગૃહ વિભાગ ધ્વારા પોલીસ બેડામાં 550 જેટલા પી.આઈ તથા પી.એસ.આઈ  કર્મચારીઓની બદલીઓ કરાઈ

આગામી લોકસભાની ચૂંટણીઓને લઈ: ગુજરાત રાજ્યમાં ગૃહ વિભાગ ધ્વારા પોલીસ બેડામાં 550 જેટલા પી.આઈ તથા પી.એસ.આઈ કર્મચારીઓની બદલીઓ કરાઈ

આગામી દિવસોમાં દેશભરમાં લોકસભા ચૂંટણી યોજાનાર છે.તે પહેલા ગુજરાત રાજ્યમાં વિવિધ વિભાગોમાં સરકારી અધિકારીઓની બદલી કરવામાં આવી આવી રહી છે. લોકસભાની ચૂંટણી ને લઈ વહીવટી કારણોસર આગામી ચૂંટણી સંદર્ભે બદલી કરાઈ રહી છે. આજરોજ રાજ્યભરમાં બિન હથિયારી તેમજ હથિયારી પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે.જેના ભાગરૂપે નવસારી જિલ્લામાંથી ત્રણ પી.આઈ તેમજ અગિયાર પી.એસ.આઇ બદલી અન્ય જિલ્લાઓમાં થવા પામી છે.

આજરોજ રાજ્યના પોલીસ બેડામાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યો છે.ગૃહ વિભાગ દ્વારા રાજ્યના 550 પી.આઈ તેમજ પી.એસ.આઈ ની બદલીના આદેશ અપાયા હતા. મળતી જાણકારી અનુસાર, ગુજરાત પોલીસમાં 275 પી.એસ.આઇના બદલી તેમજ 232 બિનહથિયારી પી.આઈ અને 43 હથિયારી પી.એસ.આઈની બદલી કરવામાં આવી હતી. તમામની આંતર જિલ્લા બદલી કરાઇ હતી. રાજ્યભરમાં 550 જેટલા પોલીસ કર્મચારીઓની સાગમટે બદલી નો હુકમ કર્યો છે.

જેમાં નવસારી જિલ્લામાં ફરજ બજાવતા ત્રણ પોલીસ ઈન્સ્પેક્ટર એવા પી.જી. ચૌધરી નવસારી થી વલસાડ જિલ્લામાં, કે.એલ.પટણી નવસારી થી ઈન્ટેલિજન્સમાં, પી.આર.કરેણ નવસારી થી સી.આઈ.ડી ક્રાઇમ ખાતે બદલી કરવામાં આવી છે. આ ત્રણેય પી.આઈ બદલી થતા તેમની જગ્યાએ ડી.જે કુબાવત પી.ટી.સી જુનાગઢ થી નવસારી, વી.જે.જાડેજા અમદાવાદશહેર થી નવસારી,એ.જે.ચૌહાણ અમદાવાદ શહેર થી નવસારી ખાતે બદલી કરવામાં આવી છે.

નવસારી જિલ્લા માંથી બિન હથીયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર બદલી થયેલા અધિકારીઓ પી.એસ.આઈ એસ એસ. માલની પશ્ચિમ રેલ્વે, અમદાવાદ, પી.એસ.આઈ એન. ડી. ચૌધરીની પશ્ચિમ રેલ્વે, વડોદરા ખાતે પી.એસ.આઈ એમ. આર. વાળાની પૂર્વ કચ્છ, પી.એસ.આઈ એમ. જી. પાટીલની નર્મદા, પી.એસ.આઈ એસ. એમ. ગામિતની પંચમહાલ જિલ્લો,ટ્રાફિક પી.એસ.આઈ જાગૃત જોશી અને ખેરગામ પી.એસ.આઈ ડી. આર. પઢેરિયાની મહેસાણા જિલ્લો.પી.એસ.આઈ એ. આર. સૂર્યવંશીની અને પી.એસ.આઈ ડી. ડી. રાવલની તાપી, પી.એસ.આઈ પી. એચ. કછવાહાની સુરત ગ્રામ્ય અને પી.એસ.આઈ બી. જે. ચૌધરીની પશ્ચિમ કચ્છ બદલી કરવામાં આવી છે.

નવસારી જિલ્લામાં અન્ય જિલ્લાઓ માંથી બદલી થઈ આવેલા અધિકારીઓ એવા તાપીના પી.એસ.આઈ એમ. આર જાની, ભરૂચના પી.એસ.આઈ આર. જી. પટેલ, અમદાવાદના પી.એસ.આઈ એમ. બી. ગામીત અને પી.એસ.આઈ એસ. વી. પટેલ ભરૂચના પી.એસ.આઈ આઈ. એલ. સૈયદ, અમદાવાદના પી.એસ.આઈ સી. એલ. મોહિતે અને પી.એસ.આઈ વી. પી. ચૌધરી સુરતના પી.એસ.આઈ યુ. એમ. ગાવિત અને પી.એસ.આઈ પી. જી. ડાવરાને નવસારી જિલ્લામાં બદલીઓ કરવામાં આવી છે.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *