નવસારી જિલ્લામાં ૩૬૫૧ પરિવારોને મળ્યું પોતાનું પાકું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું આવાસોનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું

નવસારી જિલ્લામાં ૩૬૫૧ પરિવારોને મળ્યું પોતાનું પાકું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું આવાસોનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું

ગુજરાતના ૧૮૨ વિધાનસભા ક્ષેત્રોમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે એક લાખ ત્રીસ હજારથી વધુ પી.એમ આવાસોનું એક સાથે ઇ-લોકાર્પણ/ખાતમહુર્ત અર્પણનો ઐતિહાસીક કાર્યક્રમ ઉજવાયો.

વિકસિત ભારત-વિકસિત ગુજરાત’ની નેમને સાકાર કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠાના ડીસા ખાતેથી રૂ.૨,૯૯૩ કરોડના ખર્ચે ૧,૩૧,૪૫૦થી વધુ આવાસોનું વર્ચ્યુઅલ માધ્યમથી ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. ગુજરાતના ૧૮૨ વિધાનસભા ક્ષેત્રોમાં યોજાયેલા સમાંતર કાર્યક્રમમાં રાજ્યભરમાં આવાસ યોજનાના લાભાર્થીઓ અને તેમના કુટુંબીજનો સાથે નાગરિકો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા.

જે અંતર્ગત નવસારી જિલ્લાના જલાલપોર,ગણદેવી ,વાંસદા અને નવસારી વિધાનસભા વિસ્તારમાં યોજાયેલ સમાંતર આવસ ઈ લોકાર્પણ કાર્યક્રમોમાં કુલ ૩૬૫૧ આવાસોના ઈ-લોકાર્પણ કાર્યક્રમો સંપન્ન થયા હતાં.

આ કાર્યક્રમના ઉપલક્ષમાં નવસારી કૃષિ યુનીવર્સીટી ખાતે જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)ના ૩૫૦ , પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના ૧૩, હળપતિ આવાસ યોજનાના ૧૩૨ આવાસો , ડો.આંબેડકર આવાસના ૧ એમ કુલ ૪૯૬ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ૐ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના ૨૪૬ , પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના ૪૯ , હળપતિ આવાસ યોજનાના ૧૯૭, ડો.આંબેડકર આવાસના ૧ એમ કુલ ૪૯૩ આવાસોનું લોકાર્પણ કરાયું હતું.

જ્યારે ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં નેશનલ ચીખલી ગ્રાઉન્ડ ખાતે ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)ના ૬૦૩ આવાસો , પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના ૧૨ , હળપતિ આવાસ યોજનાના ૯૨ , ડો.આંબેડકર આવાસના ૧ , પંડિત દીનદયાળ આવાસના ૪ એમ કુલ ૭૧૨ આવાસોનું લોકાર્પણ તેમજ હળપતિ આવાસ યોજનાના ૨૩ આવસોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યાં હતાં.

તે જ રીતે વાંસદાના ઘોડમાળ ગામના પી.એચ.સી. ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈના ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)ના ૧૮૫૬ આવાસો, હળપતિ આવાસ યોજનાના ૯૪ લોકાર્પણ તેમજ હળપતિ આવાસ યોજનાના ૧૨૪ આવસોનું ખાતમુહૂર્ત કરવામાં કરવામાં આવ્યું હતું. જિલ્લામાં યોજાયેલા સમાંતર આવાસોના ઈ લોકાર્પણ કાર્યક્રમોમાં મહાનુભાવોના વરદહસ્તે લાભાર્થીઓને સ્ટેજ પરથી આવાસની પ્રતિકાત્મક ચાવી સોંપવામાં આવી હતી. આ તકે લાભાર્થીઓએ આવાસ યોજનાનો સુખદ્ અનુભવ વર્ણવતા પોતાનો પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.

 

કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સંવાદ સહિતના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. નવસારી જિલ્લાના ચારે વિધાનસભા વિસ્તારમાં ઈ લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોએ એલ.ઈ.ડી. સ્ક્રિન ઉપર પ્રધાનમંત્રી નું જીવંત પ્રસારણ અને લાભાર્થીઓ સાથેનો સંવાદ કાર્યક્રમ નિહાળ્યો હતો. દરેક ઈ લોકાર્પણ કાર્યક્રમ સ્થળ પર વિકસતી ભારત સેલ્ફી પોઈન્ટ અને ક્વીઝ કોર્નરના પ્રશ્નોતરીએ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું.

આ તકે, મતદાન અવશ્ય કરવાની અપીલ કરતી અવસર ડોક્યુમેન્ટરી, ઈવીએમ ડેમોન્સ્ટ્રેશન, તેમજ આવાસ યોજનાના લાભાર્થીઓનો પ્રતિભાવ રજૂ કરતી ડોક્યુમેન્ટ્રી, ક્વીઝ , સેલ્ફી પોઈન્ટ , ક્વીઝ કોર્નર જેવી રમતો અને ગુજરાતની વિકાસગાથા આલેખતી અને સરકારની લોકકલ્યાણલક્ષી યોજનાઓની જાણકારી આપતી વીડિયો ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી. નવસારીના ચાર વિધાનસભા વિસ્તારમાં યોજાયેલા કાર્યક્રમમાં નવસારી કલેકટર ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા, પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ, વાંસદા પ્રયોજન અધિકારી આનન્દુ સુરેશ, નવસારી નિવાસી અધિક કલેકટર કેતન જોષી,વાંસદા પ્રાંત અધિકારી ડી.આઈ.પટેલ , અગ્રણીઓ મહાનુભાવો અને નાગરિકો તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *