નવસારીની સાહસિક ત્રિપુટી નવસારી થી નેપાળ ની સાહસિક સાયકલ યાત્રા કરશે

નવસારીની સાહસિક ત્રિપુટી નવસારી થી નેપાળ ની સાહસિક સાયકલ યાત્રા કરશે

  • Sports
  • February 14, 2024
  • No Comment

નવસારીના સાહસિક સાયકલવીર આચાર્ય બોમી જાગીરદાર, પારસી આગેવાન વિરાફ પીઠાવાલા અને ઓજલ માછીવાડના હરીશ ટંડેલની ત્રિપુટી ૫૯ વર્ષની વયે સાહસ યાત્રા કરશે 

નવસારીની ટાટા બોયઝ સ્કૂલના આચાર્ય છેલ્લા રપ થી ૩૦ વર્ષથી રોજના અંદાજે ૫૦ કિલોમીટર સાયકલ પ્રવાસ કરે છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી ૪૦૦૦ કિલોમીટરનો સાયકલ પ્રવાસ તેમજ દિલ્હીથી મુંબઈ સુધી ૧૫૦૦ કિલોમીટર સાયકલ પ્રવાસ તેમજ લેહ લડાખ ખારડુંગલાનો સાયકલ સાહસ પ્રવાસ આચાર્ય બોમી જાગીરદાર દ્વારા કરવામાં આવ્યો છે. ૫૯ વર્ષની વયે માનવી થાકી ગયો એમ કહેતો હોય ત્યારે જીવનમાં શૌર્ય સાહસ અને સંવેદનાને તરો તાજગી રાખનાર બોમી જાગીરદારે સમગ્ર જિલ્લાના ખેલ કૂદ ક્ષેત્રેને અનોરું પીઠબળ આપ્યું છે.

આગામી તા. ૨૦મી ફેબ્રુઆરીને સવારે ૬ કલાકે સર્કીટ હાઉસ નવસારીથી આચાર્ય બોમી જાગીરદાર તેમજ પારસી આગેવાન અને અડદા ગામના રહીશ એવા ૫૯ વર્ષના સાહસિક સાયકલ વીર વિરાફ પીઠાવાલા તેમજ વહાણ પર દેશ દેશાવરમાં કામ કરતાં અને જાણીતા સાયકલલિસ્ટ ઉમર વર્ષ ૫૯ પણ બોમી જાગીરદારના સથવારે આ ઉપરોકત સાહસિક ત્રિપુટી નવસારીથી નેપાળ સબકા સાથ સબકા વિકાસ અને ફીટ ઈન્ડીયાની ઝુંબેશ નવસારીની નેપાળ સુધી ગજવશે.

નવસારીવિજલપોર પાલિકાના પ્રથમ નાગરીક મીનલબેન દેસાઈ હિંદી ભાષી મહાસંઘના પ્રમુખ સંતોષ બી. શર્મા તેમજ નવસારી ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ અને મોનીંગ વોકર્સ કલબના આગેવાન પંકજસિંહ ઠાકોર અને સાથીઓ આ સાયકલ સાહસિક ત્રિપુટીને ભાવપૂર્ણ શુભકામનાઓ સાથે પ્રસ્થાન કરાવશે.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *