જલાલપોર તાલુકાના વાંસી-બોરસી ખાતે વડાપ્રધાન ના કાર્યક્રમને અનુલક્ષીને કેટલાંક માર્ગોને વન-વે તથા પ્રતિબંધિત રૂટ જાહેર કરાયા 

જલાલપોર તાલુકાના વાંસી-બોરસી ખાતે વડાપ્રધાન ના કાર્યક્રમને અનુલક્ષીને કેટલાંક માર્ગોને વન-વે તથા પ્રતિબંધિત રૂટ જાહેર કરાયા 

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના તા.૨૨ મી ફેબ્રુઆરીના જલાલપોર તાલુકાના વાંસી-બોરસીના “પી.એમ મિત્ર પાર્ક” કાર્યક્રમને અનુલક્ષીને, નવસારી જિલ્લા પ્રશાસને કેટલાક માર્ગોને વન-વે જાહેર કરવા સાથે, કેટલાક વિસ્તારોને પ્રતિબંધિત કરી વૈકલ્પિક રૂટ જાહેર કર્યા છે.

જેને અનુલક્ષીને નિવાસી અધિક કલેકટર કેતન પી.જોષીએ મળેલી સત્તાની રૂએ એક જાહેરનામાં દ્વારા નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં તા.૨૨/૦૨/૨૦૨૪ ના રોજ સવારે ૯-૦૦ વાગ્યા ૨૪-૦૦ વાગ્યા સુધી વન-વે રસ્તા તથા વૈકલ્પિક રૂટ જાહેર કરાયાં છે.

જે અન્વયે મરોલી રેલ્વે ઓવરબ્રિજનો રસ્તો કાર્યક્રમ શરુ થતા પહેલા પૂર્વથી પશ્ચિમ તરફ વન વે રહેશે. વૈકલ્પિક રૂટ તરીકે ઉભરાટ તરફથી આવતા વાહનો નડોદ થઈ પોંસરા ગરનાળુ વાડગામ થઈ સુરત તથા નવસારી તરફ તથા મરોલી રેલ્વે ઓવરબ્રીજ નીચેથી રાજા રોડ થઈ કડોલી અને છીણમ થઈ સુરત તથા નવસારી તરફ જઈ શકાશે .

મરોલી રેલ્વે ઓવરબ્રિજનો રસ્તો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પશ્ચિમથી પૂર્વથી તરફ વન વે રહેશે. જયારે વૈકલ્પિક રૂટ તરીકે મરોલી ચાર રસ્તાથી કોલાસણા, કડોલી ગરનાળુ થઈ મરોલી તરફ આવી શકશે. મરોલી ચાર રસ્તાથી વાડા-પોંસરા ગરનાળુ થઇ મરોલી તરફ આવી શકશે. મરોલી ચાર રસ્તાથી માણેકપોર ટંકોલી થઈ સાગર ઓવરબ્રિજ થઈ મરોલી ઉભરાટ જઈ શકાશે .

આ ઉપરાંત નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં તા.૨૨/૦૨/૨૦૨૪ ના રોજ મોટા-ભારે વાહનો માટે પ્રતિબંધ તથા વૈકલ્પિક રૂટ જાહેર કરાયાં છે.

જે અન્વયે ને.હા.નં ૪૮ પરથી ધોળાપીપળા થી કસ્બા સર્કલ થઈ મરોલી ચાર રસ્તાથી સચિન-સુરત તરફથી આવતા વાહનો માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે. જયારે વૈકલ્પિક રૂટ તરીકે ને.હા.નં ૪૮ પરથી ધોળાપીપળા ઓવરબ્રિજ ઉપરથી વેસ્મા ઓવરબ્રિજ ઉપરથી પલસાણા ચાર રસ્તા થઈ સુરત તરફ જઈ શકાશે.

ને.હા.નં ૪૮ પરથી વેસ્મા ચાર રસ્તાથી મરોલી ચાર રસ્તાથી સચિન-સુરત જતા વાહનો માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે. જયારે વૈકલ્પિક રૂટ તરીકે ને.હા.નં ૪૮ થઈ વેસ્માથી ઓવરબ્રિજ ઉપરથી પલસાણા ચાર રસ્તા થઈ સુરત તરફ જઈ શકાશે. નવસારી શહેરથી વિરાવળ થઈ કસ્બા મરોલીથી સચિન-સુરત તરફ જતા વાહનો માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે. જયારે વૈકલ્પિક રૂટ તરીકે નવસારી શહેરથી વિરાવાળ કસ્બાથી ધોળાપીપળા ચાર રસ્તા થઈ ને.હા.૪૮ થઇ સુરત તરફ જઈ શકાશે. આ હુકમનો ભંગ કે અનાદર કરનાર વ્યકિતને ગુજરાત પોલીસ અધિનિયમ ની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Related post

નવસારી ક્રિકેટ ફીવર:NDCA દ્વારા ‘નવસારી પ્રીમિયર લીગ’ની ચોથી સીઝનનો ગાંધી કોલેજ ખાતે ભવ્ય પ્રારંભ થશે

નવસારી ક્રિકેટ ફીવર:NDCA દ્વારા ‘નવસારી પ્રીમિયર લીગ’ની ચોથી સીઝનનો…

નવસારીના રમતગમત પ્રેમીઓ માટે ખુશખબર શહેરની સૌથી લોકપ્રિય ક્રિકેટ ટુર્નામેન્ટ ‘નવસારી પ્રીમિયર લીગ’ (NPL)ની ચોથી સીઝનનો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો…
​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં પહોંચાશે અંતરિયાળ

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં…

​જો તમે અમદાવાદ, વડોદરા કે સુરત, જેવા મોટા શહેરોમાં વસવાટ કરો છો અને વીકએન્ડમાં દક્ષિણ ગુજરાતના પ્રાકૃતિક જંગલો તેમજ નયનરમ્ય પ્રવાસન…
GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી ચેનલ ન્યૂઝ કેપિટલ માર્કેટનો કરાવ્યો શુભારંભ

GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી…

ન્યૂઝ કેપિટલ નેટવર્ક આયોજિત ગિફ્ટ ઈકોનોમિક ફોરમમાં ડે. સીએમ હર્ષ સંઘવી સહિત મંત્રીઓ, મહાનુભાવો રહ્યા હાજર, ગુજરાતના આર્થિક રોડમેપ વિશે થઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *