કેરી પાક બચાવવા:આંબાની ખેતી કરતાં ખેડૂતોએ રોગ જીવાત અટકાવવા માટે આટલુ કરો

કેરી પાક બચાવવા:આંબાની ખેતી કરતાં ખેડૂતોએ રોગ જીવાત અટકાવવા માટે આટલુ કરો

નાયબ બાગાયત નિયામકની કચેરી, નવસારી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી દ્વારા દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત વગેરે જીલ્લાનાં આંબાની ખેતી કરતાં ખેડૂતોને જણાવાવાનું કે છેલ્લા બે દિવસથી વાતાવરણમાં બદલાવ જોવા મળી રહયો છે અને વાદળછાયુ વાતાવરણની સાથે સાથે બપોરે ગરમીનો અનુભવ પણ થાય છે. આ સંજોગોમાં આંબાની ખેતી કરતા ખેડૂતોને કેરીના પાકમાં રોગ જીવાત આવવાની શક્યતાને નકારી શકાય તેમ નથી જેના પગલે કેરીના ઉત્પાદનમાં ઘટાડો થવાની પણ શક્યતાઓ રહેલી છે.


આ વાદળછાયા વાતાવરણમાં કેરીના પાકમાં ભૂકીછારો અને મધીયો આવવાની શકયતા છે. માટે ખેડૂતોને મધીયાના નિયંત્રણ માટે ઈમીડા-૪ મી.લી. અથવા થાયોમીથોક્સમ ૩ ગ્રામ અથવા બીટા સાયફ્લુથ્રીન+ ઈમીડાકલોપ્રીડ ૫ મી.લી. અથવા બ્યુપ્રોફેનઝીન ૨૦ મી.લી દવાનો ૧૦ લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવાની ભલામણ છે. જયારે ભુકી છારાના નિયંત્રણ માટે હેકમાકોનેઝોલ ૧૦ મી.લી. અથવા પ્રોપીકોનાઝોલ- ૧૦ મીલી ૧૦ લીટર પાણીમાં છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે. વધુમાં ખેડૂતોને જણાવવાનું કે ફુલ આવી ગયા હોય અને કળી બેસવાની શરૂઆત થઈ ગઈ હોય તો એક હળવું પિયત દવાના છંટકાવ બાદ તુરંત આપી દેવુ. જરૂર જણાયતો બીજો દવાનો છંટકાવ ૧૦ દિન બાદ કરી શકાય.

જે ખેડૂતોને આંબાના પાકમાં કણી બેસી ગઈ હોય અને વટાણા જેવી કેરી થઈ ગઈ હોય તો NAA (નેપ્થેલીક એસીટીક એસિડ) ૪ ગ્રામ પાવડર ૨૦૦ લીટર પાણીમાં અથવા પ્લાનોફિકસ ૯૦ મી.લી. ૨૦૦ લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવાથી કેરીનું ખરણ અટકાવી શકાય છે. આ અંગે વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, જૂની જિલ્લા તિજોરી કચેરીની બાજુમાં, પોલીસ ગેટ, મોટા બજાર, નવસારી ફોન નંબર (૦૨૬૩૭) ૨૮૧૮૫૮ પર સંપર્ક કરવા જણાવાયું છે.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *