નવસારી તાલુકાના પેરા ગામમાં આયુર્વેદ દવાખાનાનું લોકાર્પણ કરતા જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ

નવસારી તાલુકાના પેરા ગામમાં આયુર્વેદ દવાખાનાનું લોકાર્પણ કરતા જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર,નિયામક આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારી નવસારીની કચેરી હેઠળ આયુષની સેવાઓ લોકો સુધી પહોંચી શકે તે હેતુથી નવસારી તાલુકાના પેરા ગામમાં આયુર્વેદ દવાખાનાનું લોકાર્પણ નવસારી જિલ્લાના જીલ્લા પંચાયતના પ્રમુખ પરેશભાઈ દેસાઈ ના હસ્તે કરવામાં આવ્યું હતું . આ પ્રસંગે જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલ વિશેષ ઉપસ્થિત રહયા હતા .

સરકારી આયુર્વેદ દવાખાનાના લોકાપર્ણ કાર્યક્રમમાં મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્ર્મ ની શરૂઆત કરવામાં આવી.જિલ્લા આયુર્વેદ અધિકારી વૈધ નયનાબેન પટેલ દ્વારા મહેમાનોનું સ્વાગત કરી પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું. મંચસ્થ મહાનુભાવો નું ઔષધીય રોપા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશભાઈ દેસાઇ એ જણાવ્યું કે કોરોના જેવી મહામારીમાં લોકોએ આયુર્વેદ ઔષધિઓથી બનાવેલ ઉકાળાનો લાભ લીધો હતો. આયુર્વેદ ચિકિત્સા પધ્ધતિમા લોકોને હવે ખુબ વિશ્વાસ વધ્યો છે મહત્તમ લોકો આ ચિકિત્સા પધ્ધતિ નો લાભ લે તે માટે જણાવ્યું હતું .

જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલ દ્વારા આયુર્વેદ ચિકિત્સા પધ્ધતિ નો લાભ અને પંચકર્મ સારવાર નો લાભ વધુમાં વધુ લોકો લે તે માટે શુભેચ્છાઓ આપી.

આ ઉદ્ઘાટન કાર્યક્ર્મમાં નવસારી જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન અરવિંદભાઈ પાઠક, નવસારી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જીગરભાઈ દેસાઈ ,તાલુકા ભાજપ પ્રમુખ અશોકભાઈ પટેલ,તાલુકા પંચાયત સભ્ય રણધીરભાઈ પટેલ, પેરા ગામનાં સરપંચ રવિ નરેન્દ્રભાઇ વશી, ડેપ્યુટી સરપંચ રતીલાલભાઈ રાઠોડ, ડી.કે. ભંખોડિયા ડેપ્યુટી એન્જિનિયર (પંચાયત) માર્ગ અને મકાન, પેરા ગ્રામ પંચાયતના સભ્ય અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

Related post

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:  441 જેટલા ક્રિકેટ ખેલાડીઓ માંથી 8 ટીમ માટે 120 જેટલા ખેલાડીઓની થશે પસંદગી, દરેક ટીમને 2 લાખ પોઇન્ટ્સ ફાળવાયા

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:…

નવસારી શહેરમાં આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર નવસારી પ્રીમિયર લીગ (એનપીએલ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ…
આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું:હિટ વેવની આગાહીના પગલે નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું…

ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુ પક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક…
નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ૫૯ જુના શિક્ષકોને નિમણૂંક ઓર્ડરો એનાયત કરાયા

નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં…

ગુજરાત રાજ્ય કક્ષાએ જુના શિક્ષકોની ભરતી માટેની ઓનલાઈન પ્રક્રિયા કાર્યરત થઈ હતી. આ પ્રક્રિયા જુદા જુદા તબક્કાઓ પૂર્ણ કરી અંતિમ તબક્કામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *