નવસારી તાલુકાના પેરા ગામમાં આયુર્વેદ દવાખાનાનું લોકાર્પણ કરતા જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ

નવસારી તાલુકાના પેરા ગામમાં આયુર્વેદ દવાખાનાનું લોકાર્પણ કરતા જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર,નિયામક આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારી નવસારીની કચેરી હેઠળ આયુષની સેવાઓ લોકો સુધી પહોંચી શકે તે હેતુથી નવસારી તાલુકાના પેરા ગામમાં આયુર્વેદ દવાખાનાનું લોકાર્પણ નવસારી જિલ્લાના જીલ્લા પંચાયતના પ્રમુખ પરેશભાઈ દેસાઈ ના હસ્તે કરવામાં આવ્યું હતું . આ પ્રસંગે જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલ વિશેષ ઉપસ્થિત રહયા હતા .

સરકારી આયુર્વેદ દવાખાનાના લોકાપર્ણ કાર્યક્રમમાં મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્ર્મ ની શરૂઆત કરવામાં આવી.જિલ્લા આયુર્વેદ અધિકારી વૈધ નયનાબેન પટેલ દ્વારા મહેમાનોનું સ્વાગત કરી પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું. મંચસ્થ મહાનુભાવો નું ઔષધીય રોપા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશભાઈ દેસાઇ એ જણાવ્યું કે કોરોના જેવી મહામારીમાં લોકોએ આયુર્વેદ ઔષધિઓથી બનાવેલ ઉકાળાનો લાભ લીધો હતો. આયુર્વેદ ચિકિત્સા પધ્ધતિમા લોકોને હવે ખુબ વિશ્વાસ વધ્યો છે મહત્તમ લોકો આ ચિકિત્સા પધ્ધતિ નો લાભ લે તે માટે જણાવ્યું હતું .

જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલ દ્વારા આયુર્વેદ ચિકિત્સા પધ્ધતિ નો લાભ અને પંચકર્મ સારવાર નો લાભ વધુમાં વધુ લોકો લે તે માટે શુભેચ્છાઓ આપી.

આ ઉદ્ઘાટન કાર્યક્ર્મમાં નવસારી જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન અરવિંદભાઈ પાઠક, નવસારી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જીગરભાઈ દેસાઈ ,તાલુકા ભાજપ પ્રમુખ અશોકભાઈ પટેલ,તાલુકા પંચાયત સભ્ય રણધીરભાઈ પટેલ, પેરા ગામનાં સરપંચ રવિ નરેન્દ્રભાઇ વશી, ડેપ્યુટી સરપંચ રતીલાલભાઈ રાઠોડ, ડી.કે. ભંખોડિયા ડેપ્યુટી એન્જિનિયર (પંચાયત) માર્ગ અને મકાન, પેરા ગ્રામ પંચાયતના સભ્ય અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *