નવસારીમાં ગાયત્રી શક્તિપીઠ ની બે વીઘા જમીનમાં મહાશિવરાત્રી ના દિવસે મિયા વાંકી પદ્ધતિથી 6280 વૃક્ષોનું વૃક્ષારોપણ થયું

નવસારીમાં ગાયત્રી શક્તિપીઠ ની બે વીઘા જમીનમાં મહાશિવરાત્રી ના દિવસે મિયા વાંકી પદ્ધતિથી 6280 વૃક્ષોનું વૃક્ષારોપણ થયું

છેલ્લા ચાર દાયકા થી નિર્માણ પામેલી રાયચંદ રોડ બંદર રોડ ખાતે આવેલી ગાયત્રી શક્તિપીઠ હિન્દુ સંસ્કૃતિના જતન સંવર્ધન સાથે સક્રિય પણ સર્વાંગી માનવસેવા કરી રહી છે આગામી શિવરાત્રીના દિવસે આઠમી માર્ચ ના સવારે ગાયત્રી શક્તિપીઠ ની બે વીઘા જમીનમાં મિયાવાકી પદ્ધતિથી 6280 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ થયું. ધારાસભ્ય રાકેશ દેસાઈ અને સામાજિક કાર્યકરો દ્વારા તથા ગાયત્રી પરિવાર દ્વારા આ વૃક્ષારોપણની ભૂમિને ગુરુ રામ શર્મા આચાર્યના નામથી રામ વન નામ આપવામાં આવ્યું છે. આ વૃક્ષારોપણમાં ગુલમોહર,વડ,પીપળો, લીમડો,સીતા અશોક,પિલટો તબુબીયા રોઝીયા, કૈલાશપતિ,ગરમાળો વિગેરે 105 જાતના વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે.

નવસારી ના ગાયત્રી શક્તિપીઠ ના ગાયત્રી પરિવાર ઇન્ફીનિટી ફાઉન્ડેશન નવસારી અને હરિયાળી ગ્રુપ બીલીમોરા દ્વારા ગાયત્રી શક્તિપીઠની બે વીઘા જમીનમાં મિયાવાકી પદ્ધતિથી આજે શિવરાત્રી મહાપર્વ નિમિત્તે 6280 જેટલા નવસારીના પ્રથમ રામવન નિર્માણ માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું નવસારીના લોકલાડીલા ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ ઇન્ફીનિટી ફાઉન્ડેશનના હાર્દિક નાયક ગાયત્રી પરિવારના દક્ષિણ ઝોન ઉપસયોજક હિતેન્દ્રભાઈ દેસાઈ સૌરાષ્ટ્ર લેવા સમાજના પ્રમુખ મધુભાઈ કથીરિયા સેવાભાવી નગર સેવક પ્રશાંત દેસાઈ વિગેરે દ્વારા વૃક્ષારોપણ થયું હતું આ ભગીરથ રામવનના નિર્માણમાં હરિયાળી ગ્રુપ બીલીમોરા ના ડોક્ટર નીલ દેસાઈ વિગેરે એ જહમત ઉઠાવી હતી

Related post

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:  441 જેટલા ક્રિકેટ ખેલાડીઓ માંથી 8 ટીમ માટે 120 જેટલા ખેલાડીઓની થશે પસંદગી, દરેક ટીમને 2 લાખ પોઇન્ટ્સ ફાળવાયા

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:…

નવસારી શહેરમાં આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર નવસારી પ્રીમિયર લીગ (એનપીએલ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ…
આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું:હિટ વેવની આગાહીના પગલે નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું…

ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુ પક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક…
નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ૫૯ જુના શિક્ષકોને નિમણૂંક ઓર્ડરો એનાયત કરાયા

નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં…

ગુજરાત રાજ્ય કક્ષાએ જુના શિક્ષકોની ભરતી માટેની ઓનલાઈન પ્રક્રિયા કાર્યરત થઈ હતી. આ પ્રક્રિયા જુદા જુદા તબક્કાઓ પૂર્ણ કરી અંતિમ તબક્કામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *