નવસારી જિલ્લાના ત્રણ સરકારી આયુર્વેદ દવાખાનાનું લોકાર્પણ કરતા જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ 

નવસારી જિલ્લાના ત્રણ સરકારી આયુર્વેદ દવાખાનાનું લોકાર્પણ કરતા જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ 

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારી નવસારીના માર્ગદર્શન હેઠળ આયુષની સેવાઓ છેવાડાના લોકો સુધી પહોંચી શકે તે હેતુથી વાંસદા તાલુકામાં ભીનાર તથા વાંસદા ગામમાં અને ખેરગામ તાલુકામાં પાટી ગામે સરકારી આયુર્વેદ દવાખાના નું લોકાર્પણ જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ ના હસ્તે કરવામાં આવ્યું હતું .

સરકારી આયુર્વેદ દવાખાનાના લોકાપર્ણ કાર્યક્રમમાં જિલ્લા આયુર્વેદ અધિકારી વૈધ નયનાબેન પટેલ દ્વારા મહેમાનોનું સ્વાગત કરી સરકારી આયુર્વેદ વિશે લોકોને જાણકારી આપી હતી .

પ્રાસંગિક ઉદબોધન કરતા જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ દ્વારા આયુર્વેદિક ચિકિત્સા પધ્ધતિ ની સારવાર છેવાડાના માનવી સુધી પહોંચે અને વધારેમાં વધારે લોકો સરકારી આયુર્વેદ દવાખાનાનો લાભ લે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી .

ખેરગામ તાલુકાના સરકારી આયુર્વેદ દવાખાના પાટીનું લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન ગણદેવીના ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને આયુર્વેદિક ચિકિત્સાનો બહોળો પ્રચાર પ્રસાર થાય તેમ જ ખેરગામ ની જનતા આયુર્વેદિક દવાખાના નો મહત્તમ લાભ લે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી

સરકારી આયુર્વેદ દવાખાનાના લોકાપર્ણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્યો તથા વાંસદા અને ખેરગામ તાલુકાના પદાધિકારીઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *