સર. સી.જે.એન.ઝેડ મદ્રેસા સ્કુલ નવસારીનો એન. એસ. એસ યુનિટનો વાર્ષિક શિબિર પેરા ગામમાં યોજાયો

સર. સી.જે.એન.ઝેડ મદ્રેસા સ્કુલ નવસારીનો એન. એસ. એસ યુનિટનો વાર્ષિક શિબિર પેરા ગામમાં યોજાયો

નવસારી જિલ્લામાં આવેલ 168 વર્ષ જુની પારસી કોમ્યુનિટી દ્વારા સંચાલિત સર. સી જે એન ઝેડ મદ્રેસા સ્કુલના એન.એસ.એસ ના વાર્ષિક  શિબિરને તારીખ : 1/3/2024 થી 7/3/2024 ના રોજ નવસારી જિલ્લામાં આવેલ પેરા ગામમાં પ્રાથમિક શાળા તથા ગામના કોમ્યુનિટી હોલમાં અતિથિ વિશેષ નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ જીગરભાઈ દેસાઈ, મુખ્ય મહેમાન તરીકે ગામના નવયુવાન ઉત્સાહી સરપંચ રવિભાઈ વશી, પ્રાથમિક શાળાના આચાર્ય મનીષભાઈ મૈસુરિયા ઉત્સાહી ગામ્રજનો રાજુભાઈ, દિપકભાઇ તથા ઉમેશ ભાઈ, શંકરભાઈ, શાળાના આચાર્ય મર્ઝબાન પાત્રાવાલ, સુપરવાઇઝર હેમંત રાઠોડ તથા અન્ય શિક્ષકો, શિબિરાથીં વિધાર્થીઓની ઉપસ્થિતિમાં ખુલ્લો મુકાયો હતો. મહેમાનોએ વિધાર્થીઓને એન એસ એસ ની પ્રવૃત્તિથી માહિતગાર કરી સેવા કાર્ય માટે પ્રોત્સાહન પુરું પાડી માહિતી સભર માર્ગદર્શન આપ્યું હતું.

વિધાર્થીઓ દ્વારા સાત દિવસય શિબિરમાં શાળા કેમ્પસમાં ગ્રામ્ય વિધાર્થીઓને સ્પોટની પ્રવૃત્તિ માટે પ્રોત્સાહન પુરું પાડી વિવિધ ગેમ રમાડી પુરસ્કૃત કર્યા હતાં. રોટરી આઈ હોસ્પિટલના સહયોગથી પેરા ગામ મુકામે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તથા સમગ્ર ગામ્યજનો માટે નેત્ર ચેક અપ કેમ્પ નું આયોજન હાથ ધર્યું જેમાં ગામવાસી તથા સરપંચો નો ખૂબ જ સુંદર સહયોગ મળ્યો હતો. ઉપરાંત વિધાર્થીઓ દ્વારા ઔપચારિક શિક્ષણ તથા રોજગારી તેમજ ગ્રામ્ય ક્ષેત્રમાં સરકાર દ્વારા અપાતી વિવિધ સેવાઓ અંગે તથા ગામ્રજનોની સમસ્યા અંગે સર્વે કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. સમાજ સુરક્ષા હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમના સહયોગથી નશા મુક્તિ અભિયાન જાગૃતિ હેઠળ સમગ્ર ગામ્ય ક્ષેત્રમાં રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.

pવિધાર્થીઓ પાસે સેવા શ્રમ કાર્ય માં ગામના મુખ્ય રસ્તાની સફાઈ કામગીરી તથા નવસારી જિલ્લાની કચેરી દ્વારા “સ્વસ્છ નવસારી જવાબદારી અમારી” ટેગલાઈન હેઠળ સૂકા કચરા અને ભીંના કચરા ને અલગ રાખી સ્વચ્છતા ઝુંબેશમાં જોડાવા માટે વિધાર્થીઓ દ્વારા સમજ આપવામાં આવી. વિધાર્થીઓને બૌદ્ધિક વિકાસના હેતુસર તથા એન એસ એસ દ્વારા સામાજિક જાગૃતિ કાર્ય અંગે માહિતીગાર કરવા માટે રેડક્રોસ સોસાયટી ના વાઈસ ચેરમેન તથા વલસાડ કોલેજના રિટાયર્ડ પ્રોફેસર, વકતા લેખક મોટીવેટર જયંતિભાઈ નાયકનું વ્યાખ્યાન ગોઠવવામાં આવ્યું હતું.

ઉપરાંત પેરાગામ માં આવેલ સહકારી મંડળી, ગ્રામિણ બેંક તથા ગામપંચાચતની વિધાર્થીઓની મુલાકાત ગોઠવી દરેક સંસ્થામાં થતા કાર્યોથી માહિતગાર કર્યા. તથા નવસારી જિલ્લાનું પ્રસિદ્ધ અને પૌરાણિક એવા કપિલેશ્રવર મહાદેવ મંદિર ના દર્શન તથા ત્યાં આવેલ જુની વાવ ની મુલાકાત કરાવી ત્યાંના ઈતિહાસ તથા વાવ અંગેની માહિતી પ્રોગ્રામ ઓફિસર પ્રીતિ ભટ્ટ દ્વારા વિધાર્થીઓને આપવામાં આવી.

સમાપન કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ગુરુકુળ સુપા હાઈસ્કૂલના આચાર્ય પરેશભાઈ દેસાઈ, મુખ્ય મહેમાન શાળાના રિટાયર્ડ આચાર્ય જીમી અવારી,રિટાયર્ડ શિક્ષક સાયરસ કાસદ સુપરવાઇઝર હેમંતભાઈ રાઠોડ શાળાના આચાર્ય મર્ઝબાન પાત્રાવાલા, શિક્ષક રાજેશ પટેલ તથા પેરા ગામના સરપંચ રવિભાઈ વિધાર્થીઓને સફળતા પૂર્વક સેવા કાર્ય પૂર્ણ કર્યા અંગે શુભેચ્છાઓ પાઠવી હતી અને આગામી વર્ષમાં ફરી ગામમાં સેવા યજ્ઞ માટે પધારવા આમંત્રણ અપાયું હતું. શિબિરનું સમગ્ર આયોજન શાળાના આચાર્ય મર્ઝબાન પાત્રાવાલાના માર્ગદર્શન હેઠળ પ્રોગ્રામ ઓફિસર પ્રીતિ ભટ્ટ, જય લાડ તથા અન્ય શિક્ષકા બહેનોના સહકારથી પૂર્ણ થયું હતું.

Related post

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં પહોંચાશે અંતરિયાળ

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં…

​જો તમે અમદાવાદ, વડોદરા કે સુરત, જેવા મોટા શહેરોમાં વસવાટ કરો છો અને વીકએન્ડમાં દક્ષિણ ગુજરાતના પ્રાકૃતિક જંગલો તેમજ નયનરમ્ય પ્રવાસન…
GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી ચેનલ ન્યૂઝ કેપિટલ માર્કેટનો કરાવ્યો શુભારંભ

GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી…

ન્યૂઝ કેપિટલ નેટવર્ક આયોજિત ગિફ્ટ ઈકોનોમિક ફોરમમાં ડે. સીએમ હર્ષ સંઘવી સહિત મંત્રીઓ, મહાનુભાવો રહ્યા હાજર, ગુજરાતના આર્થિક રોડમેપ વિશે થઈ…
શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને ‘શ્રી મહાદેવ દેસાઈ સેવક પુરસ્કાર’ અર્પણ કરાયો

શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને…

સમાજ સેવા અને માનવતાના ક્ષેત્રમાં દીર્ઘકાલીન યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનિત કરવાની પરંપરાને આગળ ધપાવતા શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ (સ્વપ્ન લોક સોસાયટી,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *