જલાલપોર તાલુકાના આરક સિસોદ્રા ગામે મિયાંવાંકી પધ્ધતિ બનેલું કવચ વનનું લોકાર્પણ કરતા: ધારાસભ્ય આર. સી. પટેલ

જલાલપોર તાલુકાના આરક સિસોદ્રા ગામે મિયાંવાંકી પધ્ધતિ બનેલું કવચ વનનું લોકાર્પણ કરતા: ધારાસભ્ય આર. સી. પટેલ

જલાલપોર તાલુકાના આરક સિસોદ્રા ગામે સામાજિક વનીકરણ વિભાગ નવસારીની સૂપા રેન્ઝ દ્વારા મિયાવાકી પદ્ધતિથી બનાવેલ “કવચવન 2023-24” નો લોકાર્પણ જલાલપોર તાલુકાના ધારાસભ્ય આર સી પટેલ વરદહસ્તે કરાયો હતો.

કવચવનમાં અલગ અલગ 100 પ્રકારની પ્રજાતિના કુલ 5000 રોપા નું વાવેતર ઓગસ્ટ મહિનામાં કરવામાં આવ્યું હતું. આજે એ એક નાનકડા વન માં પરિવર્તિત થયેલ છે. જેમાં અલગ અલગ 20 થી 22 પ્રકારના પક્ષીઓ અને 15 પ્રકારના પતંગિયા જોવા મળે છે તથા અહી બેસવા માટે વન કુટીર, બાળકો માટે ક્રીડાંગણ,વડ પૂજન માટે વડ વાવેતર અને સાથે બેસવાના ઓટલા, ચાલવા માટેના વનમાંથી પસાર થતા વોલ્ક વે, ચબુતરો, ઔષધીય રોપાનું વાવેતર ,કમળ કુંડ, પૂરાણીય કૂવાનું સમારકામ કરી તેને ભાતીગળ ચિત્રોથી રંગી આકર્ષણ નું કેન્દ્ર બનાવવામાં આવ્યું છે.આરક સીસોદ્રા ગામ અલગ અલગ 6 ગામો ને જોડતો રસ્તા ધરાવતું હોય અંહી સહેલાણીઓ કવચવન ની મુલાકાત લેતા રહે છે

આ ઉપરાંત શાળા કોલેજના વિધાર્થીઓ પણ અહીં અર્બોરેટમ તરીકે કવચ વન નો ઉપયોગ કરે છે ગ્રામજનો અહીં ચાલવા માટે તથા કસરત કરવા માટે આવે છે વડીલો અહીં ગોષ્ઠિ માટે પધારે છે અને વટેમાર્ગુ અહી વિરામ કરવા બેસે છે આમ અનેક રીતે લોકો કવચવનનો ઉપયોગ કરી રહ્યા છે.

આ પ્રસંગે ધારાસભ્ય આર. સી. પટેલે જણાવ્યું હતું કે દરેક ગામમાં આવું એક કવચ વન હોવું જ જોઈએ.

આ પ્રસંગે નવસારી સામાજિક વનીકરણ વિભાગના વડા ભાવનાબેન દેસાઈએ જણાવ્યું હતું કે સૌ સાથે મળીને વૃક્ષો વાવવા જોઇએ અને તેનું જતન કરવું જોઈએ.

આ પ્રસંગે તાલુકા પ્રમુખ કારોબારી અધ્યક્ષ, જલાલપોર તાલુકા પંચાયતના સદસ્યો,ગામના સરપંચ, ગ્રામજનો વિધાર્થીઓ મોટી સંખ્યમાં હાજર રહ્યા હતા

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *