જલાલપોર તાલુકાના આરક સિસોદ્રા ગામે મિયાંવાંકી પધ્ધતિ બનેલું કવચ વનનું લોકાર્પણ કરતા: ધારાસભ્ય આર. સી. પટેલ

જલાલપોર તાલુકાના આરક સિસોદ્રા ગામે મિયાંવાંકી પધ્ધતિ બનેલું કવચ વનનું લોકાર્પણ કરતા: ધારાસભ્ય આર. સી. પટેલ

જલાલપોર તાલુકાના આરક સિસોદ્રા ગામે સામાજિક વનીકરણ વિભાગ નવસારીની સૂપા રેન્ઝ દ્વારા મિયાવાકી પદ્ધતિથી બનાવેલ “કવચવન 2023-24” નો લોકાર્પણ જલાલપોર તાલુકાના ધારાસભ્ય આર સી પટેલ વરદહસ્તે કરાયો હતો.

કવચવનમાં અલગ અલગ 100 પ્રકારની પ્રજાતિના કુલ 5000 રોપા નું વાવેતર ઓગસ્ટ મહિનામાં કરવામાં આવ્યું હતું. આજે એ એક નાનકડા વન માં પરિવર્તિત થયેલ છે. જેમાં અલગ અલગ 20 થી 22 પ્રકારના પક્ષીઓ અને 15 પ્રકારના પતંગિયા જોવા મળે છે તથા અહી બેસવા માટે વન કુટીર, બાળકો માટે ક્રીડાંગણ,વડ પૂજન માટે વડ વાવેતર અને સાથે બેસવાના ઓટલા, ચાલવા માટેના વનમાંથી પસાર થતા વોલ્ક વે, ચબુતરો, ઔષધીય રોપાનું વાવેતર ,કમળ કુંડ, પૂરાણીય કૂવાનું સમારકામ કરી તેને ભાતીગળ ચિત્રોથી રંગી આકર્ષણ નું કેન્દ્ર બનાવવામાં આવ્યું છે.આરક સીસોદ્રા ગામ અલગ અલગ 6 ગામો ને જોડતો રસ્તા ધરાવતું હોય અંહી સહેલાણીઓ કવચવન ની મુલાકાત લેતા રહે છે

આ ઉપરાંત શાળા કોલેજના વિધાર્થીઓ પણ અહીં અર્બોરેટમ તરીકે કવચ વન નો ઉપયોગ કરે છે ગ્રામજનો અહીં ચાલવા માટે તથા કસરત કરવા માટે આવે છે વડીલો અહીં ગોષ્ઠિ માટે પધારે છે અને વટેમાર્ગુ અહી વિરામ કરવા બેસે છે આમ અનેક રીતે લોકો કવચવનનો ઉપયોગ કરી રહ્યા છે.

આ પ્રસંગે ધારાસભ્ય આર. સી. પટેલે જણાવ્યું હતું કે દરેક ગામમાં આવું એક કવચ વન હોવું જ જોઈએ.

આ પ્રસંગે નવસારી સામાજિક વનીકરણ વિભાગના વડા ભાવનાબેન દેસાઈએ જણાવ્યું હતું કે સૌ સાથે મળીને વૃક્ષો વાવવા જોઇએ અને તેનું જતન કરવું જોઈએ.

આ પ્રસંગે તાલુકા પ્રમુખ કારોબારી અધ્યક્ષ, જલાલપોર તાલુકા પંચાયતના સદસ્યો,ગામના સરપંચ, ગ્રામજનો વિધાર્થીઓ મોટી સંખ્યમાં હાજર રહ્યા હતા

Related post

વીજ ફોલ્ટ થતા: આગ ઝરતી ગરમીમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં લાઈટ ગુલ થતા લોકોએ હાલાકી, 7 જિલ્લા અને 23 શહેર અને 3461 ગ્રામ્ય વિસ્તારના 32 લાખ,37 હજારથી વધુ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો

વીજ ફોલ્ટ થતા: આગ ઝરતી ગરમીમાં દક્ષિણ ગુજરાતના અનેક…

આજ રોજ વીજ ફોલ્ટ થવાને કારણે બપોરે  3.45 વાગ્યા આસ પાસના અરસામાં સુરત સહિતના દક્ષિણ ગુજરાતમાં વીજળી ગુલ થઈ ગઈ છે.…
નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:  441 જેટલા ક્રિકેટ ખેલાડીઓ માંથી 8 ટીમ માટે 120 જેટલા ખેલાડીઓની થશે પસંદગી, દરેક ટીમને 2 લાખ પોઇન્ટ્સ ફાળવાયા

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:…

નવસારી શહેરમાં આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર નવસારી પ્રીમિયર લીગ (એનપીએલ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ…
આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું:હિટ વેવની આગાહીના પગલે નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું…

ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુ પક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *