નવસારી ખાતે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અધ્યક્ષતામાં “પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ-વ- પ્રદર્શન” કાર્યક્રમ યોજાયો

નવસારી ખાતે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અધ્યક્ષતામાં “પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ-વ- પ્રદર્શન” કાર્યક્રમ યોજાયો

પ્રાકૃતિક કૃષિ થકી દેશ ઉન્નત બને, તથા દેશનો પ્રત્યેક નાગરીક સ્વસ્થ અને તંદુરસ્ત બને અને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તેમજ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થાય તે માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અંબાબેન માહલાની ઉપસ્થિતિમાં શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ સુરખાઇ ચીખલી ખાતે “ “પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ”-વ- પ્રદર્શન” કાર્યક્રમનું બે દિવસીય આયોજન કરવામાં આવ્યુ હતું.

આ પ્રસંગે ઉપપ્રમુખે દેશી ગાય આધારિત સંપુર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં પ્રતિ માસ રૂપિયા ૯૦૦/- પ્રમાણે સહાય કરે છે. લાભ લેવા ઉપસ્થિત ખેડૂતોને આહવાન કરવામાં આવ્યુ હતુ. તેમજ પરિસંવાદમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં બહેનો હોય નારી શક્તિ દરેક ક્ષેત્રે કેટલી આગળ છે અને આજની કૃષિને માત્ર ને માત્ર નારી જ બચાવી શકે છે એમ કહી પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે માહિલાઓને આહવાન કરવામાં આવ્યું હતુ.

કાર્યક્રમમાં નવસારી જિલ્લાના જુદા જુદા તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતા કુલ-૩૦ ખેડુતોએ પોતાની પ્રોડક્ટ જેવી કે ગૌમુત્ર અને ગોબર દ્વારા તૈયાર થયેલા વિવિધ પ્રોડક્ટ જેવી કે સાબુ, હેરઓઇલ, મધ, આમળા કેન્ડી, રાગી લોટ, રાગી, પાપડી, રાગી બિસ્કીટ, રાગી લાડુ, શાકભાજી, બાગાયતી ફળ, દેશી અનાજ, સરગવો, વિવિધ જાતનું ડાંગર, રતાળુ કંદ, હળદર, હળદર પાઉડર વગેરે વેચાણ કરવામાં આવ્યું હતું. તેમજ કૃષિ સંલગ્ન વિભાગો, વનવિભાગ વગેરે વિભાગોના યોજનાકીય સ્ટોલનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતુ.

“પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ”-વ- પ્રદર્શન” માં પ્રાકૃતિક કૃષિના ઋષિ એવા પરીમલભાઇ પટેલ, હેમંતભાઇ પટેલ, વિપિનભાઇ નાયક, મનુભાઇ પટેલ, લક્ષ્મીબેન પટેલ, રેખાબેન પટેલ એમના વક્તવ્યમાં પ્રાકૃતિક કૃષિ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. કે.વિ.કે. નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડો. કે.એ.શાહે પ્રાકૃતિક ખેતીની વૈજ્ઞાનીક ઢબે માહિતી આપી ખેડુતોને લાભાન્વિત કર્યા હતા.

આ કાર્યક્રમમાં માજી. ખેત ઉત્પાદન અને સિંચાઇ સમિતિ અધ્યક્ષ પરિમલભાઇ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ રાકેશભાઇ પટેલ, રમીલાબેન પટેલ કાર્યકારી અધ્યક્ષ શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત નવસારી, અગ્રણી સંજયભાઇ બિરારી, જિલ્લા ખેતી અધિકારી ડો. અતુલ ગજેરા, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) પરેશભાઇ કથીરીયા, મદદનીશ ખેતી નિયામક (પા.સં) ચીખલી નિલેશભાઇ ગામીત, મદદનીશ ખેતી નિયામક (એગ્રો.) વાંસદા પરેશભાઇ કોલડીયા તેમજ મદદનીશ ખેતી નિયામક (પા.સં.) વાંસદાના પ્રફુલભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *