હથિયાર જમા કરવા પડશે: લોકસભા ચૂંટણી પહેલા હથિયારી પરવાનેદારો ફરજિયાત નજીક પોલીસ સ્ટેશન જઈ હથિયાર જમા કરાવો: અધિક કલેકટર નવસારી

હથિયાર જમા કરવા પડશે: લોકસભા ચૂંટણી પહેલા હથિયારી પરવાનેદારો ફરજિયાત નજીક પોલીસ સ્ટેશન જઈ હથિયાર જમા કરાવો: અધિક કલેકટર નવસારી

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ યોજાનાર છે અને મતગણતરી તા.૦૪/૦૬/૨૦૨૪ ના રોજ થનાર છે. લોકસભાની ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી અંગે અમલ કરવાની આદર્શ આચારસંહિતા અન્વયે નવસારીના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કેતન પી.જોષીએ મળેલી સત્તાની રૂએ એક જાહેરનામાં દ્વારા નવસારી જિલ્લામાં યોજાનાર લોકસભાની સામાન્ય ચૂંટણી વિસ્તારમાં ધારણ કરતાં તમામ શસ્ત્ર પરવાનેદારોને શસ્ત્ર પરવાના હેઠળનું અગ્નિશાસ્ત્ર તથા દારૂગોળા નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરવાવવાનું રહેશે.

આ ઉપરાંત યોજાનાર ચૂંટણીના તમામ વિસ્તારમાં કોઇપણ વ્યકિતએ શસ્ત્ર અધિનિયમ-૧૯૫૯ ની કલમ-૨ ની વ્યાખ્યામાં આવતું કોઇપણ હથિયાર પોતાની પાસે રાખવું નહિ. નવસારી જિલ્લા કાર્યક્ષેત્ર બહારથી મેળવેલ પરવાના ધારણ કરનાર વ્યકતિઓએ પણ હથિયાર તાત્કાલિક અસરથી નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના રહેશે. જે કિસ્સાઓમાં હથિયાર પરવાનેદારોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવા માટે પરમીટો આપવામાં આવેલી હશે તો તે પણ ઉપરોકત સમય દરમિયાન રદ કરવામાં આવે છે. ઉપરોકત તમામ હથિયારો ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તા.૦૪/૦૬/૨૦૨૪ બાદ દિન-૦૭ માં સબંધિત તમામ પરવાનેદારોને પરત સોંપવા અંગેની કાર્યવાહી પોલીસ સ્ટેશનના અધિકારીએ પૂર્ણ કરવાની રહેશે.

આ હુકમના ભંગ કરનાર વ્યકિત વિરુધ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ -૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે. સરકારી નોકરી કે કામ કરતી વ્યકિત કે જે કાયદાકીય ફરજનો ભાગ હોય અને જિલ્લા મેજીસ્ટ્રેટ અથવા જિલ્લા પોલીસ અધિકારી અધિકૃત કરે તેવી વ્યકિતઓને આ જાહેરનામાથી મુકિત આપવામાં આવી છે.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *