હથિયાર જમા કરવા પડશે: લોકસભા ચૂંટણી પહેલા હથિયારી પરવાનેદારો ફરજિયાત નજીક પોલીસ સ્ટેશન જઈ હથિયાર જમા કરાવો: અધિક કલેકટર નવસારી

હથિયાર જમા કરવા પડશે: લોકસભા ચૂંટણી પહેલા હથિયારી પરવાનેદારો ફરજિયાત નજીક પોલીસ સ્ટેશન જઈ હથિયાર જમા કરાવો: અધિક કલેકટર નવસારી

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ યોજાનાર છે અને મતગણતરી તા.૦૪/૦૬/૨૦૨૪ ના રોજ થનાર છે. લોકસભાની ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી અંગે અમલ કરવાની આદર્શ આચારસંહિતા અન્વયે નવસારીના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કેતન પી.જોષીએ મળેલી સત્તાની રૂએ એક જાહેરનામાં દ્વારા નવસારી જિલ્લામાં યોજાનાર લોકસભાની સામાન્ય ચૂંટણી વિસ્તારમાં ધારણ કરતાં તમામ શસ્ત્ર પરવાનેદારોને શસ્ત્ર પરવાના હેઠળનું અગ્નિશાસ્ત્ર તથા દારૂગોળા નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરવાવવાનું રહેશે.

આ ઉપરાંત યોજાનાર ચૂંટણીના તમામ વિસ્તારમાં કોઇપણ વ્યકિતએ શસ્ત્ર અધિનિયમ-૧૯૫૯ ની કલમ-૨ ની વ્યાખ્યામાં આવતું કોઇપણ હથિયાર પોતાની પાસે રાખવું નહિ. નવસારી જિલ્લા કાર્યક્ષેત્ર બહારથી મેળવેલ પરવાના ધારણ કરનાર વ્યકતિઓએ પણ હથિયાર તાત્કાલિક અસરથી નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના રહેશે. જે કિસ્સાઓમાં હથિયાર પરવાનેદારોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવા માટે પરમીટો આપવામાં આવેલી હશે તો તે પણ ઉપરોકત સમય દરમિયાન રદ કરવામાં આવે છે. ઉપરોકત તમામ હથિયારો ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તા.૦૪/૦૬/૨૦૨૪ બાદ દિન-૦૭ માં સબંધિત તમામ પરવાનેદારોને પરત સોંપવા અંગેની કાર્યવાહી પોલીસ સ્ટેશનના અધિકારીએ પૂર્ણ કરવાની રહેશે.

આ હુકમના ભંગ કરનાર વ્યકિત વિરુધ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ -૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે. સરકારી નોકરી કે કામ કરતી વ્યકિત કે જે કાયદાકીય ફરજનો ભાગ હોય અને જિલ્લા મેજીસ્ટ્રેટ અથવા જિલ્લા પોલીસ અધિકારી અધિકૃત કરે તેવી વ્યકિતઓને આ જાહેરનામાથી મુકિત આપવામાં આવી છે.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *