હથિયાર જમા કરવા પડશે: લોકસભા ચૂંટણી પહેલા હથિયારી પરવાનેદારો ફરજિયાત નજીક પોલીસ સ્ટેશન જઈ હથિયાર જમા કરાવો: અધિક કલેકટર નવસારી

હથિયાર જમા કરવા પડશે: લોકસભા ચૂંટણી પહેલા હથિયારી પરવાનેદારો ફરજિયાત નજીક પોલીસ સ્ટેશન જઈ હથિયાર જમા કરાવો: અધિક કલેકટર નવસારી

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ યોજાનાર છે અને મતગણતરી તા.૦૪/૦૬/૨૦૨૪ ના રોજ થનાર છે. લોકસભાની ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી અંગે અમલ કરવાની આદર્શ આચારસંહિતા અન્વયે નવસારીના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કેતન પી.જોષીએ મળેલી સત્તાની રૂએ એક જાહેરનામાં દ્વારા નવસારી જિલ્લામાં યોજાનાર લોકસભાની સામાન્ય ચૂંટણી વિસ્તારમાં ધારણ કરતાં તમામ શસ્ત્ર પરવાનેદારોને શસ્ત્ર પરવાના હેઠળનું અગ્નિશાસ્ત્ર તથા દારૂગોળા નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરવાવવાનું રહેશે.

આ ઉપરાંત યોજાનાર ચૂંટણીના તમામ વિસ્તારમાં કોઇપણ વ્યકિતએ શસ્ત્ર અધિનિયમ-૧૯૫૯ ની કલમ-૨ ની વ્યાખ્યામાં આવતું કોઇપણ હથિયાર પોતાની પાસે રાખવું નહિ. નવસારી જિલ્લા કાર્યક્ષેત્ર બહારથી મેળવેલ પરવાના ધારણ કરનાર વ્યકતિઓએ પણ હથિયાર તાત્કાલિક અસરથી નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના રહેશે. જે કિસ્સાઓમાં હથિયાર પરવાનેદારોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવા માટે પરમીટો આપવામાં આવેલી હશે તો તે પણ ઉપરોકત સમય દરમિયાન રદ કરવામાં આવે છે. ઉપરોકત તમામ હથિયારો ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તા.૦૪/૦૬/૨૦૨૪ બાદ દિન-૦૭ માં સબંધિત તમામ પરવાનેદારોને પરત સોંપવા અંગેની કાર્યવાહી પોલીસ સ્ટેશનના અધિકારીએ પૂર્ણ કરવાની રહેશે.

આ હુકમના ભંગ કરનાર વ્યકિત વિરુધ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ -૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે. સરકારી નોકરી કે કામ કરતી વ્યકિત કે જે કાયદાકીય ફરજનો ભાગ હોય અને જિલ્લા મેજીસ્ટ્રેટ અથવા જિલ્લા પોલીસ અધિકારી અધિકૃત કરે તેવી વ્યકિતઓને આ જાહેરનામાથી મુકિત આપવામાં આવી છે.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *