લોકસભાની ચૂંટણીમાં હિસાબ રાખવો પડશે: નવસારી જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોનાં પ્રતિનિધિઓ સાથે બેઠક મળી; ચૂંટણી ખર્ચના હિસાબોથી વાકેફ કરાયા

લોકસભાની ચૂંટણીમાં હિસાબ રાખવો પડશે: નવસારી જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોનાં પ્રતિનિધિઓ સાથે બેઠક મળી; ચૂંટણી ખર્ચના હિસાબોથી વાકેફ કરાયા

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની જાહેરાત થતાં આદર્શ આચારસંહિતા અમલમાં મૂકાઈ છે. ૨૫ – નવસારી લોકસભા મતવિસ્તારમાં આગામી તા.૦૭ મે, ૨૦૨૪ના રોજ મતદાન યોજાશે. લોકસભા સામાન્ય ચૂંટણીની આદર્શ આચારસંહિતા અમલી હોય નવસારી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા મેજીસ્ટ્રેટ ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને જિલ્લાના વિવિધ રાજકીય પક્ષોનાં પ્રતિનિધિઓ સાથે આજે નવસારી જિલ્લા સેવા સદન ખાતેના કોન્ફરન્સ હોલમાં બેઠક મળી હતી.

આ બેઠકમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને લોકસભા ચૂંટણી દરમિયાન કરવામાં આવતા ખર્ચના હિસાબો માટે ચૂંટણીપંચની સૂચના મુજબ વિવિધ વસ્તુઓ અને બાબતોના નક્કી કરવામાં આવેલા ભાવો વિશે માહિતી આપવામાં આવી હતી.આ બેઠકમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સૂચનો અને રજૂઆતોને જિલ્લા ચૂંટણી અધિકારીએ સાંભળ્યા હતા અને નિયમોના બાબતે અને કાયદાની જોગવાઈથી ઉપસ્થિત તમામને માહિતગાર કરવામાં આવ્યા હતા.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા, નાયબ કલેકટર ઓમકાર શીંદે,નાયબ ચૂંટણી અધિકારી પ્રિયંકાબેન પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related post

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં પહોંચાશે અંતરિયાળ

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં…

​જો તમે અમદાવાદ, વડોદરા કે સુરત, જેવા મોટા શહેરોમાં વસવાટ કરો છો અને વીકએન્ડમાં દક્ષિણ ગુજરાતના પ્રાકૃતિક જંગલો તેમજ નયનરમ્ય પ્રવાસન…
શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને ‘શ્રી મહાદેવ દેસાઈ સેવક પુરસ્કાર’ અર્પણ કરાયો

શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને…

સમાજ સેવા અને માનવતાના ક્ષેત્રમાં દીર્ઘકાલીન યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનિત કરવાની પરંપરાને આગળ ધપાવતા શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ (સ્વપ્ન લોક સોસાયટી,…
ચીખલી-ખેરગામ-વાંસદાના લોકો ઉમટ્યા, સાંસદ ધવલભાઈ પટેલે યોજ્યો લોકદરબાર

ચીખલી-ખેરગામ-વાંસદાના લોકો ઉમટ્યા, સાંસદ ધવલભાઈ પટેલે યોજ્યો લોકદરબાર

વલસાડ-ડાંગ લોકસભાના લોકપ્રિય સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલ દ્વારા વાંસદા સ્થિત તેમના જનસંપર્ક કાર્યાલય ખાતે લોકદરબાર યોજાયો હતો. સામાન્ય નાગરિકોને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *