નવસારી લોકસભા સીટને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા ક્લસ્ટર પ્રભારી ભરતભાઈ પંડ્યા ની અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ

નવસારી લોકસભા સીટને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા ક્લસ્ટર પ્રભારી ભરતભાઈ પંડ્યા ની અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ

આગામી લોકસભાની ચૂંટણીને લઈને 25 નવસારી લોકસભા બેઠકના આયોજન માટે ભાજપ કાર્યાલય ખાતે ક્લસ્ટર પ્રભારી ભરતભાઈ પંડ્યા ના અધ્યક્ષ સ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા સંગઠનના હોદ્દેદારો અને લોકસભા ચૂંટણી ના જવાબદાર પદાધિકારીઓ હાજર રહ્યા હતા

સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીને સૌથી વધુ લીડ આપતી નવસારી લોકસભા બેઠક માટે આગામી ચૂંટણી લક્ષી આયોજન માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય જનતા પાર્ટીના ક્લસ્ટર પ્રભારી ભરતભાઈ પંડ્યા એ હાજર રહીને કાર્યકર્તાઓ ને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને સી આર પાટીલ સાહેબના આ સીટ 10 લાખથી વધુ માર્જિનથી જીતવાના સંકલ્પને સાકાર કરવા માટે કાર્યકરોને કામે લાગી જવા હકાલ કરી હતી

આ બેઠકમાં પ્રદેશ ભાજપના મંત્રી શીતલબેન સોની જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ, નવસારી લોકસભાના સંયોજક અશોકભાઈ ધોરાજીયા, નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ ચોર્યાસી ના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ ઉધના ધારાસભ્ય મનુભાઈ પટેલ લીંબાયત ના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ નવસારી લોકસભાના જિલ્લાના કોઓર્ડીનેટર જીગરભાઈ દેસાઈ સુરત મહાનગરના મહામંત્રી કિશોરભાઈ બિંદલ ,નવસારીના મહામંત્રી ડો.અશ્વિનભાઈ પટેલ જીગ્નેશભાઈ નાયક સહિતના આગેવાનો અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા

Related post

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં પહોંચાશે અંતરિયાળ

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં…

​જો તમે અમદાવાદ, વડોદરા કે સુરત, જેવા મોટા શહેરોમાં વસવાટ કરો છો અને વીકએન્ડમાં દક્ષિણ ગુજરાતના પ્રાકૃતિક જંગલો તેમજ નયનરમ્ય પ્રવાસન…
GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી ચેનલ ન્યૂઝ કેપિટલ માર્કેટનો કરાવ્યો શુભારંભ

GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી…

ન્યૂઝ કેપિટલ નેટવર્ક આયોજિત ગિફ્ટ ઈકોનોમિક ફોરમમાં ડે. સીએમ હર્ષ સંઘવી સહિત મંત્રીઓ, મહાનુભાવો રહ્યા હાજર, ગુજરાતના આર્થિક રોડમેપ વિશે થઈ…
શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને ‘શ્રી મહાદેવ દેસાઈ સેવક પુરસ્કાર’ અર્પણ કરાયો

શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને…

સમાજ સેવા અને માનવતાના ક્ષેત્રમાં દીર્ઘકાલીન યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનિત કરવાની પરંપરાને આગળ ધપાવતા શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ (સ્વપ્ન લોક સોસાયટી,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *