નવસારી લોકસભા સીટને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા ક્લસ્ટર પ્રભારી ભરતભાઈ પંડ્યા ની અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ

નવસારી લોકસભા સીટને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા ક્લસ્ટર પ્રભારી ભરતભાઈ પંડ્યા ની અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ

આગામી લોકસભાની ચૂંટણીને લઈને 25 નવસારી લોકસભા બેઠકના આયોજન માટે ભાજપ કાર્યાલય ખાતે ક્લસ્ટર પ્રભારી ભરતભાઈ પંડ્યા ના અધ્યક્ષ સ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા સંગઠનના હોદ્દેદારો અને લોકસભા ચૂંટણી ના જવાબદાર પદાધિકારીઓ હાજર રહ્યા હતા

સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીને સૌથી વધુ લીડ આપતી નવસારી લોકસભા બેઠક માટે આગામી ચૂંટણી લક્ષી આયોજન માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય જનતા પાર્ટીના ક્લસ્ટર પ્રભારી ભરતભાઈ પંડ્યા એ હાજર રહીને કાર્યકર્તાઓ ને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને સી આર પાટીલ સાહેબના આ સીટ 10 લાખથી વધુ માર્જિનથી જીતવાના સંકલ્પને સાકાર કરવા માટે કાર્યકરોને કામે લાગી જવા હકાલ કરી હતી

આ બેઠકમાં પ્રદેશ ભાજપના મંત્રી શીતલબેન સોની જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ, નવસારી લોકસભાના સંયોજક અશોકભાઈ ધોરાજીયા, નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ ચોર્યાસી ના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ ઉધના ધારાસભ્ય મનુભાઈ પટેલ લીંબાયત ના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ નવસારી લોકસભાના જિલ્લાના કોઓર્ડીનેટર જીગરભાઈ દેસાઈ સુરત મહાનગરના મહામંત્રી કિશોરભાઈ બિંદલ ,નવસારીના મહામંત્રી ડો.અશ્વિનભાઈ પટેલ જીગ્નેશભાઈ નાયક સહિતના આગેવાનો અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *