લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪:નવસારી જિલ્લાના વિશ્રામગૃહ/ડાકબંગલા,સરકારી રહેણાંકનો વપરાશ કરવા પર પ્રતિબંધ 

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪:નવસારી જિલ્લાના વિશ્રામગૃહ/ડાકબંગલા,સરકારી રહેણાંકનો વપરાશ કરવા પર પ્રતિબંધ 

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ યોજાનાર છે અને મતગણતરી તા.૦૪/૦૬/૨૦૨૪ ના રોજ થનાર છે. જેને અનુલક્ષીને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કેતન પી.જોષીએ મળેલી સત્તાની રૂએ નવસારી જિલ્લામાં તાત્કાલિક અસરથી અગામી તા.૦૪/૦૬/૨૦૨૪ સુધી જિલ્લાના વિશ્રામગૃહ, ડાક બંગલા, સરકારી રહેણાંકના ઉપયોગ અંગે પ્રતિબંધ અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ છે.

જે અનુસાર કોઇપણ પક્ષ કે પક્ષના સભ્યો કે ઉમેદવારો એકહથ્થુ અધિકારો ભોગવશે નહી અને આવા રહેણાંકનો ઉપયોગ બીજા પક્ષના સભ્યો કે ઉમેદવારોને પણ કરવા દેશે. કોઇપણ પક્ષ કે ઉમેદવારો આવા રહેણાંક નો ઉપયોગ પ્રચાર કચેરી કે અન્ય ચુંટણી વિષયક હેતુ માટે કરી શકશે નહી.સરકારી વિશ્રામગૃહ, અતિથિગૃહ વિગેરેમાં રાજકીય પક્ષોના સભ્યોની પ્રાસંગિક મીટીંગો પણ યોજી શકશે નહી. ચુંટણી પ્રચારમાં આવેલ જે મહાનુભાવોને સરકારી વિશ્રામ ગૃહ- અતિથિગૃહ વિગેરેમાં રહેવા માટે રૂમ ફાળવવામાં આવ્યા હોય તે મહાનુભાવોને લાવતા-લઇ જતાં વાહનને જ સરકારી વિશ્રામગૃહ/અતિથિગૃહ વિગેરેના કંપાઉન્ડમાં રાખી શકાશે.

જો તેઓના માટે એક કરતાં વધારે વાહનોનો ઉપયોગ કરતા હોય તો બે થી વધારે વાહનોને વિશ્રામગૃહ/અતિથિગૃહ વિગેરેના કંપાઉન્ડમાં રાખી શકાશે નહી. એક જ વ્યકિતને ૪૮ કલાકથી વધુ સમય માટે રૂમ ફાળવી શકાશે નહી તેમજ ચુંટણી પ્રચાર માટે આવતા કોઇપણ મહાનુભાવો મતદાન પુરુ થવાના ૪૮ કલાક પહેલા વિશ્રામગૃહ/અતિથિગૃહ વિગેરેમાં રહેવા માટે રૂમનો ઉપયોગ કરી શકાશે નહી. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત વિરુધ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

Related post

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:  441 જેટલા ક્રિકેટ ખેલાડીઓ માંથી 8 ટીમ માટે 120 જેટલા ખેલાડીઓની થશે પસંદગી, દરેક ટીમને 2 લાખ પોઇન્ટ્સ ફાળવાયા

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:…

નવસારી શહેરમાં આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર નવસારી પ્રીમિયર લીગ (એનપીએલ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ…
આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું:હિટ વેવની આગાહીના પગલે નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું…

ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુ પક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક…
નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ૫૯ જુના શિક્ષકોને નિમણૂંક ઓર્ડરો એનાયત કરાયા

નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં…

ગુજરાત રાજ્ય કક્ષાએ જુના શિક્ષકોની ભરતી માટેની ઓનલાઈન પ્રક્રિયા કાર્યરત થઈ હતી. આ પ્રક્રિયા જુદા જુદા તબક્કાઓ પૂર્ણ કરી અંતિમ તબક્કામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *