પ્રથમ વખત મતદાન કરનાર બહેરા-મુંગા દિવ્યાંગ યુવા મતદારોને Sign Language માં મતદાન પ્રક્રિયા વિશે માહિતગાર કરાયા

પ્રથમ વખત મતદાન કરનાર બહેરા-મુંગા દિવ્યાંગ યુવા મતદારોને Sign Language માં મતદાન પ્રક્રિયા વિશે માહિતગાર કરાયા

વાંસદા વિધાનસભા 177માં નોંધાયેલ દિવ્યાંગ મતદારો માટે આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત “દિવ્યાંગજન મતદાર જાગૃતિ અભિયાન-2024” હેઠળ મદદનીશ પીડબલ્યુડી નોડલ ઓફિસર અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી એસ.વી.રાઠોડ તેમજ ચીફ ઓફિસર એલ.બી.પટેલ,નાયબ મમલતદાર-વાંસદા દ્વારા જલારામ હોલ વાંસદા ખાતે દિવ્યાંગ મતદારો માટે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં વધુમાં વધુ મતદાન કરવા માટે દિવ્યાંગ મતદારોને જાગૃત કરવામાં આવ્યા હતા. જેમાં 90થી વધુ દિવ્યાંગો હાજર રહ્યા હતા.

દિવ્યાંગ મતદારો જે ૪૦% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનો તેમજ ૮૫ વર્ષથી વધુ વય ધરાવતા વૃધ્ધજનોની વૃધ્ધાશ્રમ અને દિવ્યાંગ શાળાની મુલાકત લઈ મતદાન માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.

દિવ્યાંગ અંધ,અસ્થિવિષયક તેમજ વૃધ્ધ અશક્ત મતદારો જેઓ સરળતાથી ચાલી શકે તેમ ન હોય તેઓને મતદાન કેંદ્ર પર મતદાન કુટિર સુધી લઈ જવા માટે નિયુક્ત કરવામાં આવનાર સહાયકોને મતદાન દિનના રોજ તેમને કરવાના કાર્યની તાલીમ પણ આપવામાં આવી છે.

બહેરા-મુંગા દિવ્યાંગ યુવા મતદાતાઓ જેઓ પ્રથમ વખત લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ મા મતદાન કરવા જઈ રહ્યા છે તેમને મિતલબેન નાયક દ્વારા Sign Language માં મતદાન પ્રક્રિયા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *