નવસારી જિલ્લામાં એન.એચ.- એસ.એચ. કક્ષાનાં તમામ રોડને આગામી ચાર દિનમાં ખાડામુક્ત કરી નાગરિકો માટે વાહનવ્યહાર સરળ અને સુગમ બનાવવા કટીબ્ધ્ધ:નવસારી માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય)

નવસારી જિલ્લામાં એન.એચ.- એસ.એચ. કક્ષાનાં તમામ રોડને આગામી ચાર દિનમાં ખાડામુક્ત કરી નાગરિકો માટે વાહનવ્યહાર સરળ અને સુગમ બનાવવા કટીબ્ધ્ધ:નવસારી માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય)

વિવિધ કક્ષાના રસ્તાઓ ઉપર ભારે વરસાદ અને પુરને કારણે ખાડાઓ પડ્યા હતા જેને મેટલપેચ કરી તાત્કાલિક ધોરણે તમામ માર્ગોને ટ્રાફીકેબલ કરવામાં આવ્યા

નવસારી માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), નવસારી હસ્તક નવસારી જિલ્લામાં એન.એચ. કક્ષાનાં કુલ ૫ (પાંચ) રસ્તાઓ ૧૧.૧૭ કિ.મી. લંબાઈ, એસ.એચ. કક્ષાનાં કુલ ૩૧ (એકત્રીસ) રસ્તાઓ ૪૦૦.૧૫ કિ.મી. લંબાઈ, એમ.ડી.આર. તથા અન્ય કક્ષાનાં ૩૩ (તેત્રીસ) રસ્તાઓ ર૭૬.૦૭ કિ.મી. લંબાઈ આમ, કુલ ૬૯ મળી રસ્તાઓ ૬૮૭.૩૯ કિ.મી. લંબાઈના રસ્તાઓ આવેલા છે. જે પૈકી તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને પુરને કારણે ૪.૨૧ કિ.મી. લંબાઈમાં જ ખાડા પડવાથી અમુક રસ્તાઓ અવરોધાયા હતા. આ રસ્તાઓની સંપૂર્ણ લંબાઈ પર મેટલપેચ કરી તાત્કાલિક ધોરણે તમામ માર્ગોને ટ્રાફીકેબલ રાખવામાં આવ્યા છે. તેમજ રસ્તાઓને ખાડામુક્ત કરવા આજરોજ પાકા ડામર પેચની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. જે આગામી ચાર દિનમાં પૂર્ણ કરવાની કામગીરી કરી નાગરિકો માટે વાહનવ્યહાર સરળ અને સુગમ બનાવવામાં આવશે એમ નવસારી જિલ્લા કા.પા.ઇ.સ્ટેટ માર્ગ અને મકાન વિભાગે જણાવાયું છે.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *