નવસારી શહેરમાં આ ગણેશ મંડળ એક નહિં પરંતુ 1250 થી વધુ સોપારીમાંથી ગણપતિ મૂર્તિ બનાવી, જાણો શું છે કારણ

નવસારી શહેરમાં આ ગણેશ મંડળ એક નહિં પરંતુ 1250 થી વધુ સોપારીમાંથી ગણપતિ મૂર્તિ બનાવી, જાણો શું છે કારણ

ગણેશ ચતુર્થીની શરૂઆત થતા સાથે જ ભારતમાં ‘તહેવારોની મોસમ’ પણ શરૂ થાય છે. ગણેશ ચતુર્થી પછી આપણી પાસે નવરાત્રી, દિવાળી, દુર્ગા પૂજન શરૂઆત થાય છે. જેમ જેમ તહેવારોની મોસમ શરૂ થાય છે, તેમ દેવી દેવતાઓના લોકો ને આશીર્વાદ મેળવવાની સાથે નવા કાર્ય, વ્યવસાયો શરૂ કરવા, વ્યક્તિગત અને વ્યવસાયિક રીતે વિકાસ કરવાનો વગે મળે છે પરંતુ દેવગણ પ્રથમ પૂજનીય એવા ગણપતિ બાપ્પાના આશીર્વાદ સાથે આગળ વધવાનો સમય પણ શરૂ થાય છે.સેંકડો અને હજારો શિલ્પકારો અને કારીગરો ઘરો અને મંદિરો માટે સૌથી નાની અને સૌથી મોટી ગણપતિની મૂર્તિઓ બનાવવા આવે છે.સાથે અનેક લોકો જેમાં મોટાભાગની મૂર્તિઓ માટી, પ્લાસ્ટર ઓફ પેરિસ અને અન્ય સામગ્રીઓમાંથી બનાવવામાં આવે છે, સાથે અન્ય લોકોને પણ રોજગાર મળી રહે છે

લોકો દ્વારા ત્યારે ઘરના ઉપયોગ માટે લોકો કુદરતી માટીની બનેલી અને કુદરતી રંગોથી રંગીન વધુને વધુ ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓ તરફ લોકો આગળ વધી રહ્યા છે હાલમાં નવસારી શહેરમાં ગણેશોત્સવની દબદબાભેર ઉજવણી થઈ છે અને શહેરમાં હજારોની સંખ્યામાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. આવી જ એક પ્રતિમા સ્થાપવામાં આવી છે

નવસારી શહેરના ફુવારા વિસ્તારમાં આવેલા જૈન સોસાયટી ખાતે જૈન સોસાયટી યુવક મંડળ છેલ્લા પચાસ વર્ષ થી ગણેશ ઉત્સવ ઉજવણી કરવાતા આવ્યા છે છેલ્લા 12 વર્ષ થી ઈકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાઓ જાતેજ કાગળમાંથી,નાળિયેરમાંથી, રૂદ્રાક્ષ,ખારેક, પેપરના માવા, દોરાના બોબીન માંથી પણ બનાવ્યા આવ્યા હતા. દર વર્ષ ની જેમ આ વર્ષે પણ જૈન સોસાયટી યુવક મંડળ અનોખી રીતે ગણેશજી પ્રતિમા બનાવવાનો વિચાર આવ્યો. આ વખતે જૈન સોસાયટી યુવક મંડળ દ્વારા એક નહિ પરતું 1250 થી 1300 જેટલી સોપારીમાંથી એટલે કે 11 કિલો સોપારી લાવીને તેમાંથી અંદાજે દોઢ થી બે ફૂટ વિઘ્નહર્તા એવા ગણેશજીની પ્રતિમા નિમેશ ઉપાધ્યાય દ્વારા બનાવવામાં આવી છે

https://www.facebook.com/share/v/XYbzbRhfydkyHWKa/?mibextid=oFDknk

દર વર્ષની જેમ આ વર્ષે પણ ઈકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા બનાવવામાં આવી છે સાથે અન્ય માટીની મૂર્તિ પણ સ્થાપના કરવામાં આવી છે જેથી પર્યાવરણ નુકસાન તેમજ નદી પ્રદુષણ ન થાય આ સોપારી માંથી બનાવેલ પ્રતિમા કોઈ પણ રંગ ઉપયોગ કર્યો નથી તેઓ ધ્વારા પોતાની સોસાયટીમાં અનંત ચતુર્થી દિવસે આ તમામ ઈકો ફેન્ડલી ગણેશ વિસર્જન કરવામાં આવશે સાથે જ સ્થાપના મૂર્તિ પણ માટી વિસર્જન બાદ તેની માટી કૂડામાં ઉપયોગ લેવામાં આવશે

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *