સ્વચ્છતા હી સેવા -૨૦૨૪ :નવસારી જિલ્લામાં તા.૧૭ મી સપ્ટેમ્બરથી સ્વચ્છતા ઝુંબેશ અભિયાનનો પ્રારંભ

સ્વચ્છતા હી સેવા -૨૦૨૪ :નવસારી જિલ્લામાં તા.૧૭ મી સપ્ટેમ્બરથી સ્વચ્છતા ઝુંબેશ અભિયાનનો પ્રારંભ

 

‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન થકી નવસારી જિલ્લાના ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં જનભાગીદારીથી સ્વચ્છ અને સુઘડ બનાવવામાં આવશે

સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશની કામગીરીના ભાગરૂપે સ્વચ્છતા બાબતે જનજાગૃતિ ફેલાવવા અને નાગરિકોને ભાગીદારી વધારવા અને લોકોમાં સ્વભાવ સ્વચ્છતા- સંસ્કાર સ્વચ્છતા ના સૂત્રને કાયમી ધોરણે ટકાવી રાખવાના હેતુથી તા.૧૭/૦૯/૨૦૨૪ થી તા.૦૨/૧૦/૨૦૨૪ સુધી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ સમગ્ર રાજયમાં શરૂ થઇ રહયો છે. જે અન્વયે નવસારી જિલ્લામાં પણ તા.૧૭ મી સપ્ટેમ્બર-૨૦૨૪ થી ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન થકી ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં જનભાગીદારીથી સ્વચ્છ અને સુઘડ બનાવવામાં આવશે.

નવસારી જિલ્લામાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન કાર્યક્રમ અનુસાર તા.૧૭/૦૯/૨૦૨૪ ના રોજ નવસારી તાલુકામાં તેલાડા, આમડપોર, કુંભાર ફળિયા, પીનસાડ-સરોણા, પેરા ગામે, જલાલપોર તાલુકામાં ભુતસાડ, એથાણા,કોથમડી અને કલથાણ ગામે, ખેરગામ તાલુકામાં તોરણવેરા, જામનપાડા અને નડગધરી ગામે, ગણદેવી તાલુકામાં દેવધા, છાપર, કલમઠા, મોરલી, ભાઠા ગામે, વાંસદા તાલુકામાં રવાણીયા, ખાંભલા, કંબોયા, દોલધા, ચાપલધરા અને ચોરવણી ગામે યોજાશે.

https://x.com/InfoNavsariGoG/status/1834588328290844938?t=7SHUTENafLA44FAtxcPd3w&s=09

લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવે એવા શુભ આશયથી ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનની ઉજવણી કરવામાં આવશે. જ્યાં ગંદકી થતી હોય એવા સ્થળોની ઓળખ કરીને કાયમી સફાઈ થાય તેમજ પ્લાસ્ટિક જેવા પર્યાવરણને નુકસાનકર્તા પરિબળોનો નિકાલ અને જાહેર ઉદ્યાનો, દરિયાઈ વિસ્તાર, શાકમાર્કેટ, ઉદ્યોગોના વિસ્તાર જેવા સ્થળોએ ઝૂંબેશના રૂપે સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવશે. નાગરિકોને આ અભિયાનમાં સહભાગી બને અને સ્વચ્છતા માટે નાગરિકોમાં એક આદત કેળવાય એવા શુભહેતુસર સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને તેમની આસપાસનો વિસ્તાર સ્વચ્છ કરી નવસારી જિલ્લાને સ્વચ્છ બનાવવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *