રાષ્ટ્રિય લોક અદાલત નિમિત્તે ગ્રાહક તકરાર નિવારણ કમિશન નવસારી ખાતે ૩૧ કેસોનુ નિરીક્ષણ : ૨૪,૧૮,૮૧૮ રૂપિયાના કુલ ૧૫ કેસોમાં પક્ષકારોની પરસ્પર સંમતિથી સમાધાન કરાયું

રાષ્ટ્રિય લોક અદાલત નિમિત્તે ગ્રાહક તકરાર નિવારણ કમિશન નવસારી ખાતે ૩૧ કેસોનુ નિરીક્ષણ : ૨૪,૧૮,૮૧૮ રૂપિયાના કુલ ૧૫ કેસોમાં પક્ષકારોની પરસ્પર સંમતિથી સમાધાન કરાયું

મદદનીશ નિયામક જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન, નવસારીની યાદીમાં જણાવ્યા અનુસાર રાષ્ટ્રિય લોક અદાલત નિમિત્તે ગ્રાહક તકરાર નિવારણ કમિશન નવસારી ખાતે તા.૧૪ મી સપ્ટેમ્બર ના રોજ કુલ ૩૧ કેસોનુ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જે પૈકી રૂ.૨૪,૧૮,૮૧૮/- ના કુલ ૧૫ કેસોમાં પક્ષકારોની પરસ્પર સંમતિથી સમાધાન કરાવી, પક્ષકારોને ન્યાય મળે એ શુભ આશયથી પ્રમુખ કેતન દસોંદી તથા સભ્ય જયકૃષ્ણ મેવાવાળા તથા કન્સીલીએટર આશિષ બારોટ તેમજ વકિલ એસ.ડી.શર્મા, ડી.એન.મિસ્ત્રી, કે.એ.તિવારી તથા એન.ડી.વકિલના સઘન પ્રયાસો દ્વારા લોક અદાલતને અનેરી સફળતા પ્રાપ્ત થઇ હતી.

આ રાષ્ટ્રીય લોક અદાલતમાં એક મેડિકલ નેગ્લિજન્સીના કેસમાં સમજાવટના અંતે ડોક્ટર અને મૃતક દર્દીના વિધવા પત્નિ વચ્ચે સુખદ સમાધાન થયેલુ હતું. આમ એકંદરે લોક અદાલતને ધારી સફળતા પ્રાપ્ત થયેલી અને વર્ષોવર્ષ આવી લોક અદાલત યોજવા વકીલો તથા પક્ષકારો તરફથી રજુઆત કરવામાં આવી હતી.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *