નવસારીની સર જે. જે.પ્રાયમરી શાળામાં હિન્દી દિન નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું 

નવસારીની સર જે. જે.પ્રાયમરી શાળામાં હિન્દી દિન નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું 

નવસારી જમશેદ બાગ ખાતે આવેલી સર જે. જે. પ્રાયમરી શાળામાં તા.૧૪ સપ્ટેમ્બરના રોજ હિન્દી દિનની ખૂબ જ સુંદર રીતે ઉજવણી કરવામાં આવી હતી. સન ૧૯૫૩ માં ૧૪ સપ્ટેમ્બરના રોજ હિન્દી ભાષાને ભારતની રાષ્ટ્રભાષા તરીકે જાહેર કરવામાં આવી હતી. ત્યારથી જ આ દિવસને હિન્દી દીન તરીકે ઉજવવામાં આવે છે..

હિન્દી દિન નિમિતે ધોરણ ૨ થી ૫ માં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ-૨ માં સુલેખન, ધોરણ- ૩ માં કવિતા અને ગીત, ધોરણ ૪ વૈશભૂષા અને ધોરણ પ માં ચૂટકુલે જેવી વિભિન્ન સ્પર્ધાઓનું આયોજન થયુ હતુ. ધોરણ- 3 માં કવિતા અને ગીતના આધારે બાળકોએ અવનવા વસ્ત્રો ધારણ કરી રજુઆત કરી હતી. ધોરણ-૨ માં મરોડદાર અક્ષરોથી નિર્ણાયકને પ્રભાવિત કર્યા હતા. તેમજ ધોરણ- ૪ માં વિવિધ વ્યવસાયકોનો પહેરવેશ ધારણ કર્યો હતો. ધોરણ-૫ માં ખૂબ જ હાસ્યપ્રદ ચૂટકુલે પ્રસ્તુત કરી વિદ્યાર્થીઓએ વાતાવરણ ને ખુશનુમાં બનાવી દીધું હતું.

દરેક વર્ગના બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક સ્પર્ધામાં ભાગ લઈ પોતાની કળા પ્રદર્શિત કરી હતી. આ સ્પર્ધામાં દરેક વર્ગના સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકે મહેતા પારૂલબેને સેવા આપી હતી. જેમણે વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર તેમજ આશ્વાસન નંબર આપી સન્માનિત કર્યા હતા. શાળાના હિન્દી વિષયના શિક્ષિકા બહેનો ગૌરી પટેલ અને વીરા ભૂરા દ્વારા ખૂબ જ સુંદર ડેકોરેશન તેમજ બાળકોને સ્પર્ધા માટે યોગ્ય માર્શદર્શન આપવામાં આવ્યુ હતું.

આ કાર્યક્રમ શાળાના આચાર્ય કડોદવાલાના માર્ગદર્શન હેઠળ આયોજીત કરવામાં આવ્યો હતો. વિજેતા બાળકોને શાળાપરીવાર દ્વારા અભિનંદન આપવામાં આવ્યા હતાં.

Related post

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં પહોંચાશે અંતરિયાળ

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં…

​જો તમે અમદાવાદ, વડોદરા કે સુરત, જેવા મોટા શહેરોમાં વસવાટ કરો છો અને વીકએન્ડમાં દક્ષિણ ગુજરાતના પ્રાકૃતિક જંગલો તેમજ નયનરમ્ય પ્રવાસન…
GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી ચેનલ ન્યૂઝ કેપિટલ માર્કેટનો કરાવ્યો શુભારંભ

GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી…

ન્યૂઝ કેપિટલ નેટવર્ક આયોજિત ગિફ્ટ ઈકોનોમિક ફોરમમાં ડે. સીએમ હર્ષ સંઘવી સહિત મંત્રીઓ, મહાનુભાવો રહ્યા હાજર, ગુજરાતના આર્થિક રોડમેપ વિશે થઈ…
શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને ‘શ્રી મહાદેવ દેસાઈ સેવક પુરસ્કાર’ અર્પણ કરાયો

શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને…

સમાજ સેવા અને માનવતાના ક્ષેત્રમાં દીર્ઘકાલીન યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનિત કરવાની પરંપરાને આગળ ધપાવતા શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ (સ્વપ્ન લોક સોસાયટી,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *