બી.એસ.એન.એલએ કર્યું અજાયબી, ૧૪,૫૦૦ હજાર ફૂટની ઊંચાઈએ ૪જી નેટવર્ક સ્થાપિત કર્યું
- Technology
- September 23, 2024
- No Comment
૪જી સેવાનું વિસ્તરણ કરતી વખતે, બી.એસ.એન.એલ એ ભારતના (દેશના) પ્રથમ ગામથી ૧૪,૫૦૦ ફૂટની ઉંચાઈ સુધી મોબાઈલ નેટવર્કનું વિસ્તરણ કર્યું છે. બી.એસ.એન.એલએ અત્યાર સુધીમાં સમગ્ર ભારતમાં ૩૫ હજારથી વધુ ૪જી ટાવર લગાવ્યા છે.
બી.એસ.એન.એલએ અત્યાર સુધીમાં ૩૫ હજારથી વધુ ૪જી ટાવર લગાવ્યા છે અને આવતા વર્ષે જૂન સુધીમાં ૧ લાખ મોબાઈલ ટાવર લગાવવાની યોજના છે. તાજેતરમાં કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભારત સંચાર નિગમ લિમિટેડના નેટવર્ક વિસ્તરણ યોજના વિશે માહિતી આપી હતી. બી.એસ.એન.એલ એ દેશના સૌથી પૂર્વીય રાજ્ય અરુણાચલ પ્રદેશના મલપુથી લદ્દાખના ફોબારંગ સુધી 4G નેટવર્ક વિસ્તાર્યું છે, જે ૧૪,૫૦૦ ફૂટની ઊંચાઈએ આવેલું છે.
https://x.com/DoT_India/status/1837728401823543563?t=DLOdXRT0ecpfZrarTNY2kA&s=19
૧૪,૫૦૦ ફુટ પર ૪જી
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (ડોટ) એ તેના સત્તાવાર X હેન્ડલ દ્વારા બી.એસ.એન.એલ ના ૪જી નેટવર્ક વિસ્તરણ વિશે માહિતી શેર કરી છે. ડોટ એ તેની પોસ્ટમાં જણાવ્યું છે કે બી.એસ.એન.એલ નું 4જી નેટવર્ક 14,500 ફૂટની ઉંચાઈ પર સ્થિત લદ્દાખના ફોનબર્ગ સુધી પહોંચી ગયું છે. આટલું જ નહીં, બી.એસ.એન.એલ એ તેની ૪જી સેવાને ઉગતા સૂર્યની ભૂમિ અરુણાચલ પ્રદેશ માલાપુ સુધી વિસ્તારી છે.
https://x.com/DoT_India/status/1838092331003896004?t=OhM-8104SaINlw1HSLYS-g&s=19
પહેલી વાર ગામમાં ફોન રણક્યો.
આ સિવાય એક વીડિયો શેર કરતા ડોટ એ કહ્યું કે મોબાઈલ નેટવર્ક ભારતના પહેલું ગામ નબી સુધી પહોંચી ગયું છે. ઉત્તરાખંડના આ ગામમાં પહેલીવાર ફોન રણક્યો છે. અત્યાર સુધી આ ગામમાં ટેલિકોમ્યુનિકેશનની સુવિધા નહોતી. ભારતમાં મોબાઈલ નેટવર્ક દેશના 98 ટકા સુધી વિસ્તર્યું છે. દિલ્હી અને મુંબઈ જેવા મેટ્રોપોલિટન શહેરોથી દૂરના પહાડો પર આવેલા ગામડાઓ સુધી મોબાઈલ નેટવર્કનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે.
https://x.com/DoT_India/status/1837445466596036871?t=j8ojB_m9loHDy7l66c6xiw&s=19
બી.એસ.એન.એલ ૪જી સેવાનો પણ ઝડપથી વિસ્તરણ કરવામાં આવી રહ્યો છે. આવતા વર્ષે, બી.એસ.એન.એલ ની ૪જી સેવા સમગ્ર દેશમાં એક સાથે શરૂ કરવામાં આવશે. દેશના તમામ ટેલિકોમ સર્કલમાં બી.એસ.એન.એલ ની ૪જી સેવાનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં 35 હજારથી વધુ ૪જી ટાવર લગાવવામાં આવ્યા છે. ભારત સંચાર નિગમ લિમિટેડને પુનર્જીવિત કરવા માટે સરકારે 6 હજાર કરોડ રૂપિયાની નાણાકીય સહાય પણ આપી છે. આવનારા કેટલાક મહિનામાં બી.એસ.એન.એલ અન્ય ખાનગી ટેલિકોમ કંપનીઓને ટક્કર આપતી જોવા મળશે.