રાષ્ટ્રીય સ્મારક દાંડી ખાતે સ્વચ્છતા પખવાડિયાની કામગીરીનો શુભારંભ થયો

રાષ્ટ્રીય સ્મારક દાંડી ખાતે સ્વચ્છતા પખવાડિયાની કામગીરીનો શુભારંભ થયો

આઝાદીના પ્રવેશદ્વાર અને ઇતિહાસમાં શિરમોર ગણાતી દાંડીકૂચ ના ઐતિહાસિક સ્મારકનું વ્યવસ્થાપન ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સ્મારકમાં વર્ષ દરમિયાન ઐતિહાસિક તથા જાહેર થયેલા રાષ્ટ્રીય દિવસોની ઉજવણી કરવામાં આવે છે.

આ વર્ષે પણ દર વર્ષની જેમ આપણા વડાપ્રધાનના જન્મદિવસથી લઈને મહાત્મા ગાંધીજીના જન્મદિવસ સુધી એટલે કે એક પખવાડિયું જાહેર જગ્યાઓએ સ્વચ્છતાની કામગીરી કરીને ઉજવવામાં આવી રહી છે. સરકાર દ્વારા પણ સ્વચ્છતા હી સેવા અંગે કામગીરી કરી રહી છે. આ સમય દરમ્યાન ખાસ કરીને ઐતિહાસિક સ્થળો સૈફીવિલા, પ્રાર્થના મંદિર અને જાહેર રસ્તા વગેરે સ્થળોએ સ્વચ્છતાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં સ્મારકના સફાઇ કર્મીઓ તેમજ ગાર્ડન વિભાગના સેવક ભાઈ બહેનો જોડાયા હતા.

આ કામગીરીમાં વિસ્તારની આજુબાજુના ઘરના લોકો તેમજ દુકાનદારોને પણ સહભાગી કરવામાં આવી રહ્યા છે. જેથી કરીને આ વિસ્તાર કાયમ માટે સ્વચ્છ રહે જેના લીધે પ્રવાસીઓ પણ પ્રેરણા લેતા હોય છે. સ્વચ્છતા એ કાર્યક્રમ નહીં પરંતુ આપણા સંસ્કાર બને ત્યાં સુધી આ અભિયાનમાં જોડાઈએ એ આપણાં સૌની જવાબદારી છે.

Related post

વીજ ફોલ્ટ થતા: આગ ઝરતી ગરમીમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં લાઈટ ગુલ થતા લોકોએ હાલાકી, 7 જિલ્લા અને 23 શહેર અને 3461 ગ્રામ્ય વિસ્તારના 32 લાખ,37 હજારથી વધુ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો

વીજ ફોલ્ટ થતા: આગ ઝરતી ગરમીમાં દક્ષિણ ગુજરાતના અનેક…

આજ રોજ વીજ ફોલ્ટ થવાને કારણે બપોરે  3.45 વાગ્યા આસ પાસના અરસામાં સુરત સહિતના દક્ષિણ ગુજરાતમાં વીજળી ગુલ થઈ ગઈ છે.…
નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:  441 જેટલા ક્રિકેટ ખેલાડીઓ માંથી 8 ટીમ માટે 120 જેટલા ખેલાડીઓની થશે પસંદગી, દરેક ટીમને 2 લાખ પોઇન્ટ્સ ફાળવાયા

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:…

નવસારી શહેરમાં આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર નવસારી પ્રીમિયર લીગ (એનપીએલ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ…
આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું:હિટ વેવની આગાહીના પગલે નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું…

ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુ પક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *