રાષ્ટ્રીય સ્મારક દાંડી ખાતે સ્વચ્છતા પખવાડિયાની કામગીરીનો શુભારંભ થયો

રાષ્ટ્રીય સ્મારક દાંડી ખાતે સ્વચ્છતા પખવાડિયાની કામગીરીનો શુભારંભ થયો

આઝાદીના પ્રવેશદ્વાર અને ઇતિહાસમાં શિરમોર ગણાતી દાંડીકૂચ ના ઐતિહાસિક સ્મારકનું વ્યવસ્થાપન ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સ્મારકમાં વર્ષ દરમિયાન ઐતિહાસિક તથા જાહેર થયેલા રાષ્ટ્રીય દિવસોની ઉજવણી કરવામાં આવે છે.

આ વર્ષે પણ દર વર્ષની જેમ આપણા વડાપ્રધાનના જન્મદિવસથી લઈને મહાત્મા ગાંધીજીના જન્મદિવસ સુધી એટલે કે એક પખવાડિયું જાહેર જગ્યાઓએ સ્વચ્છતાની કામગીરી કરીને ઉજવવામાં આવી રહી છે. સરકાર દ્વારા પણ સ્વચ્છતા હી સેવા અંગે કામગીરી કરી રહી છે. આ સમય દરમ્યાન ખાસ કરીને ઐતિહાસિક સ્થળો સૈફીવિલા, પ્રાર્થના મંદિર અને જાહેર રસ્તા વગેરે સ્થળોએ સ્વચ્છતાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં સ્મારકના સફાઇ કર્મીઓ તેમજ ગાર્ડન વિભાગના સેવક ભાઈ બહેનો જોડાયા હતા.

આ કામગીરીમાં વિસ્તારની આજુબાજુના ઘરના લોકો તેમજ દુકાનદારોને પણ સહભાગી કરવામાં આવી રહ્યા છે. જેથી કરીને આ વિસ્તાર કાયમ માટે સ્વચ્છ રહે જેના લીધે પ્રવાસીઓ પણ પ્રેરણા લેતા હોય છે. સ્વચ્છતા એ કાર્યક્રમ નહીં પરંતુ આપણા સંસ્કાર બને ત્યાં સુધી આ અભિયાનમાં જોડાઈએ એ આપણાં સૌની જવાબદારી છે.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *