બળબળતા રણમાં અનેક પુષ્પો ખીલી ઉઠે અને રણને બાગ બાગ થવાનો જે આનંદ થાય તે સયાજી લાઈબ્રેરીમાં આવીને હું અનુભવું છું: મુંબઈના જાણીતા કલાકાર દિલીપ રાવલ

બળબળતા રણમાં અનેક પુષ્પો ખીલી ઉઠે અને રણને બાગ બાગ થવાનો જે આનંદ થાય તે સયાજી લાઈબ્રેરીમાં આવીને હું અનુભવું છું: મુંબઈના જાણીતા કલાકાર દિલીપ રાવલ

ગુજરાત અને દેશની જાણીતી અને એક યુનિવર્સિટી કરતાં કરતાં પણ વ્યાપક સઘન અને સર્વાંગી કેળવણી આપતી આવતીકાલના સક્ષમ નાગરિકો તૈયાર કરતી સયાજી વૈભવ લાઇબ્રેરી એ બાળ જગત અને યુવા જગત માટે માતાની મમતા અને પિતાનું વાત્સલ્ય છે સયાજી વૈભવ લાઇબ્રેરી દ્વારા વેકેશનના 35 થી 40 દિવસ બાળકોને શું આપી શકાય એ માટે વેકેશન વાંચોનોત્સવ નો ભગીરથ કાર્યક્રમ સયાજી લાઇબ્રેરીના પ્રમુખ અને નવસારીના ઉમદા મહાજન પ્રશાંત નરેન્દ્ર પારેખના નેતૃત્વમાં વરિષ્ઠ ટ્રસ્ટી જય પ્રકાશ મહેતા ઉપપ્રમુખ પરેશ રણજીત રાય રાઠોડ આગેવાન મહિલા કાર્યકર અને મંત્રી એવા શ્રીમતી માધવી રાજુ શાહ અને ખજાનચી દિપક પરીખ તથા સક્રિય કાર્યકરોના સથવારે સફળ રીતે ઉજવાયો હતો.

આ કાર્યક્રમમાં આવા જમાનામાં ધોમ ધખતા ઉનાળામાં મામા ફોઈના ઘરે જવાની પ્રથાઓ બંધ પર્યટક સ્થળો હાઉસફુલ ત્યારે નવસારીના બાલ જગતની આંગળી કોણ ઝાલે હાલરડા કોણ ગાય એવી માતાનું માતૃત્વ ક્યાં આપી શકાય ખપે ઉચકતા પિતાનું વાત્સલ્ય ક્યાં આપી શકાય એનું મનન ચિંતન કરી સાથો સાથ બાળકો મોબાઇલ થી દૂર થાય એનું સર્વાંગી લાલન પાલન થાય એ માટે પુસ્તક વાંચન નાટક દ્વારા અભિનય કહેવતોની અલ્લાબેલી રમત અસરકારક વક્તવ્ય અને સંસ્કૃતિના જતન સંવર્ધન સાથે જ્ઞાન અને વિજ્ઞાનના સંબંધ ના પ્રોજેક્ટ સયાજીના સંચાલકોએ ગુથી કાઢ્યા હતા આ વેકેશન ના આ મહોત્સવમાં કેટલાક બાળકોએ 50 થી માંડીને 125 જેટલા પુસ્તકો માત્ર વાંચ્યા નહીં પણ પચાવ્યા અને સાથોસાથ યોગ નાટક કહેવતો અને પ્રાચીન થી માંડી અર્વાચીન સંકલનમાં સક્રિય ભૂમિકા દાખવી આવતીકાલનો નાગરિક કેવો હોઈ શકે એની પાપા પગલીમાં છબછબીયા કર્યા હતા

મુખ્ય મહેમાન અને જાણીતા કલાકાર વક્તા એવા મુંબઈ સ્થિત ગુજરાતી દિલીપભાઈ રાવલે પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે કંઈક નવું ન કરે તો નવસારી નહીં આ લાઈબ્રેરી સમગ્ર પશ્ચિમ ભારતની દીવાદાંડી છે આજનું આ નવસારીનું બાલજગત આવતીકાલના ભારતનું વિશ્વભર નું પ્રતીક પ્રેરણા અને ઉદાહરણ બની રહેશે તેમણે વધુમાં જણાવ્યું કે સયાજી વૈભવ લાઇબ્રેરી ની ઠેક ઠેકાણે ફ્રેન્ચાઇઝી હોવી જોઈએ અહીં મને માતાનું હાલરડું સંભળાય છે અને પિતાનો વાત્સલ્યનો ખભો દેખાય છે લાલન પાલન કરતી આ લાઇબ્રેરી મા બાપ જેટલી જ આ ધરતી માટે મહામૂલી અને ઉમદા છે

આ પ્રવૃત્તિઓનો પ્રસન્નચિત અભિવ્યક્તિ સમારોહ માં મુખ્ય મહેમાન તરીકે મુંબઈના જાણીતા કલાકાર અને લેખક દિલીપભાઈ રાવલ તથા ગ્રામ્ય સેવામાં આખું જીવન સમર્પિત કરી ચૂકેલી ગ્રામ સેવા ટ્રસ્ટ ખારેલ ની તબીબ દંપતિ ડોક્ટર અશ્વિન શાહ અને હર્ષાબેન શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આરંભે આવકાર સયાજી વૈભવ લાઇબ્રેરીના પ્રમુખ પ્રશાંત પારેખ દ્વારા તેમજ કાર્યક્રમનો અહેવાલ મંત્રી શ્રીમતી માધવી રાજુ શાહ દ્વારા અને મંચસ્થ ઉપપ્રમુખ પરેશ આર રાઠોડ જયપ્રકાશ મહેતા દિપક પરીખ દ્વારા આ ભગીરથ પ્રોજેક્ટમાં ઉમદા સમર્પણ અને સક્રિયતા દાખવનાર સર્વશ્રી પિયુષ ભટ્ટ સ્વાતિ શેખર પરીખ કિર્તીદા વૈદ મુક્તિ પટેલ ઉમાબેન ભટ્ટ નીરા પંડ્યા વિગેરેનું અભિવાદન થયું હતું

 

બાળ વિદ્યાર્થી બેલડી યશશ્રી રાવિકર તથા બાળક તીર્થ ચિલ્વેરી દ્વારા સમગ્ર કાર્યક્રમનું અદભુત સંચાલન થયું હતું બાલ જગતના તેજસ્વી સિતારા પ્રિઝલ ઉનડકટ, વિધાન પરમાર,પર્લ લાડ, રોશની ભારતીય, દર્શના રાણા વિગેરેને ઉમદા પ્રદાન બદલ આભૂષિત થયા હતા.

સત્યમ શિવમ સુન્દરમ એવા આ કાર્યક્રમ ડોક્ટર અશ્વિન શાહે બિરદાવી સયાજી વૈભવ લાઇબ્રેરી ટીમની પીઠ થાબડી હતી

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *