નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા સફાઇ મિત્રોને ‘સ્વચ્છતા હિરો’ તરીકે સન્માનીત કરવામાં આવ્યા

નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા સફાઇ મિત્રોને ‘સ્વચ્છતા હિરો’ તરીકે સન્માનીત કરવામાં આવ્યા

નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા સફાઇ કર્મચારીને ફક્ત સફાઈ માટે નહિ પરંતુ તેઓની આવડત અને તેમની કાબેલિયતને પણ ઘ્યાને લઇ તેઓના કામગીરીની સરાહના કરવામાં અવી રહી છે. નગરપાલીકાના કાગદીવાડ પાસે આવેલા કચરાના સ્પોટ પાસે અને ગાર્ડનોમાં નગરપાલિકાના સફાઈ કામદાર દ્વારા વોલ પેઇન્ટીંગ અને અને મ્યુરલ પેઇન્ટીંગ કામગીરી કરવામાં આવેલ છે જેને ચીફ ઓફિસર દ્વારા ‘સ્વચ્છતા હિરો’ તરીકે આજરોજ સન્માનિત કરવામાં આવ્યા હતા.

સ્વચ્છતા હી સેવા “સ્વભાવ સંસ્કાર સ્વચ્છતા” અંતર્ગત નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા આજરોજ ‘સ્વચ્છતા હીરો’ને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં કાગદીવાડ પાસે આવેલા કચરાના સંવેદનશીલ સ્પોટ પર બ્રાન્ડ એમ્બેસેડર, સ્થાનિક રહેવાસીઓ, નગરપાલિકા સ્ટાફ મદદથી આ જગ્યા પર બ્યુટીફિક્શન કામગીરી કરવામાં આવી હતી.

આ જગ્યાને સાફ સફાઇ કરી એક એક સેલ્ફી પોઇન્ટ તરીકે બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી જેમાં સ્થાનિક રહેવાસીઓ જેમાં સુફિયાનભાઈ દ્વારા આ જગ્યા પર રૂ.૨ લાખ જેટલા સ્વ ખર્ચ કરી RCC કરવીને બેસવા માટે બાકડા મુકાવામાં આવ્યા છે. નગરપાલિકા દ્વારા આ બાબતને ધ્યાને લઈ સુફિયાનભાઈની સ્વચ્છતા પ્રત્યેની પહેલને ચીફ ઓફીસર દ્વારા ‘સ્વચ્છતા હિરો’ તરીકે સન્માનીત કરવામાં આવ્યા હતા.

આ સ્થળ પર નગરપાલિકામાં સફાઈ કરતા એવા સફાઇ કર્મચારી કિરણભાઈ કાંતિભાઈ અને ઇન્દ્રજીતભાઈ ચીમન ભાઈ દ્વારા સુંદર ભીત ચિત્ર અને સ્વચ્છતા સંદેશ વોલ પેઇન્ટીંગ કરવામાં આવી હતી. તેઓની સ્વચ્છતા જાળવવા બાબતની કામગીરી અને કાબેલિયતને પણ નગરપાલિકા દ્વારા ઘ્યાને લઈ તેઓને પણ ‘સ્વચ્છતા હીરો’ તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.

Related post

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું સન્માન, પરિમલ નથવાણીએ વિકાસ માટે સૌને એક થવાનો સંદેશ આપ્યો

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું…

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન (NMA) દ્વારા ચાર પેઢીથી હીરા ઉદ્યોગમાં અગ્રેસર અને વિશ્વપ્રસિદ્ધ મહેન્દ્ર બ્રધર્સના મેનેજિંગ ડિરેક્ટર મિલન પરીખનું શ્રેષ્ઠ ઉદ્યોગપતિ તરીકે…
25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને કટોકટીમાં નવસારીનો સંઘર્ષની સંપૂર્ણ કહાની

25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને…

25 જૂન 1975: જ્યારે દેશમાં લાગુ થઈ ઇમરજન્સી, ભારતીય લોકશાહીનો સૌથી વિવાદાસ્પદ અધ્યાય 25 જૂન, 1975નો દિવસ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સૌથી…
‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *