જનમંચ કાર્યક્રમ: બીલીમોરા શહેર ખાતે કોંગ્રેસ વિપક્ષ નેતા અમિત ચાવડાનો જનમંચ કાર્યક્રમ યોજાયો, લોક પ્રશ્નો સાંભળી ને બોલ્યા “બીલીમોરા ભ્રષ્ટાચાર માટે વખાણય” છે

જનમંચ કાર્યક્રમ: બીલીમોરા શહેર ખાતે કોંગ્રેસ વિપક્ષ નેતા અમિત ચાવડાનો જનમંચ કાર્યક્રમ યોજાયો, લોક પ્રશ્નો સાંભળી ને બોલ્યા “બીલીમોરા ભ્રષ્ટાચાર માટે વખાણય” છે

કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યના જિલ્લાઓમાં જઈ જનમંચ કાર્યક્રમ યોજી લોકોની સમસ્યાઓ સાંભળીને તેને સરકાર સુધી પહોંચાડી તેનું હકારાત્મક નિરાકરણ લાવવા માટેના પ્રયાસોના ભાગરૂપે નવસારી જિલ્લાના બીલીમોરા શહેર ખાતે આજરોજ વિધાનસભાના વિપક્ષી નેતા અમિત ચાવડાના અધ્યક્ષ સ્થાને કોંગ્રેસ નો જનમંચ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ઉપરોક્ત જનમંચ કાર્યક્રમમાં બીલીમોરા શહેર તથા આજુબાજુ ગ્રામ્ય વિસ્તાર સહિત ચીખલી, વાંસદા ના લોકો પોતાના પ્રશ્નો ખાસ કરીને આદિવાસીઓના જમીન સંપાદન, ગાયકવાડી મીલ ચાલના વળતર,વોર્ડ 2ના પાણી, મહિલાના દિવ્યાંગ પતીનો પ્રશ્ન, મધ્યાહન ભોજન ગુણવત્તા, મનરેગા કામના ભ્રષ્ટાચાર, રોડ રસ્તાઓ,હાઇવે નંબર 56 ને નવો નહીં પરંતુ પહોળું કરવાની માંગ, પોલીસ દ્વારા થતો અન્યાય, હળપતિ સમાજના ઓછા આવાસો મંજૂર થતા હોવાની રાવ, વર્ષોથી પોતાની જમીનમાં રસ્તો ન મળવાની ફરિયાદ, બીલીમોરામાં બ્રિજ ઉપરથી નીચે પડી મૃત્યુ પામેલા હળપતિ યુવાનની હત્યા થઈ હોવાની ફરિયાદ, જેવા અનેક પ્રશ્નો જનમંચમાં લોકોએ વર્ણવી ન્યાયની આશા સેવી છે પ્રશ્નો જનમંચ કાર્યક્રમમાં વિગેરે લઈને લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

https://youtu.be/MrrM_h7xrpA?si=oVXeRokeloNvQAfQ

બીલીમોરા શહેરના ભાજપના કાર્યકર એવા કમલેશ બારોટ નામના વ્યક્તિએ 20 કિલો જેટલી RTI અને લેખીત રજૂઆત કરેલા એક ભરેલો થેલો લઈ જનમંચ કાર્યક્રમમાં લોકો સમક્ષ ઠાલવ્યો જે જોઈએ લોકો અચબિંત થઈ ગયા હતા, જેમાં તેમણે બીલીમોરા શહેરમાં મહત્તમ ભ્રષ્ટાચાર થતો હોવાની હૈયા વરાળ ઠાલવી હતી સાથે જ આ રજૂઆત ખોટી હોય તો 51 હજાર રૂપિયા તેઓ ચેલેન્જ આપનારને આપશે તેવી પણ વાત તેમણે કરી હતી, શહેરના તમામ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર હોવાની તેમજ ચૂંટાયેલા સભ્યો સહિત સરકારી કર્મચારીઓ તથા કોન્ટાકટરો કટકી કરતા હોવાની પણ આક્ષેપ તેમણે કર્યા હતા

 

કોંગ્રેસ ધ્વારા રાજયના જુદા જુદા જિલ્લાઓમાં જનમંચ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જે અંતર્ગત દક્ષિણ ગુજરાતના પ્રવાસે નવસારીના બીલીમોરા ખાતેથી સમગ્ર રાજ્યમાં વિપક્ષી નેતા અમિષ ચાવડા દ્વારા જનમંચ કાર્યક્રમ અંતર્ગત જે તે શહેર સહિત લોકોના સળગતા પ્રશ્નોને સાંભળી તેની રજૂઆત વિધાનસભામાં કરશે તેવી લોકોને હયાધરપત આપી હતી આ કાર્યક્રમમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સહિત જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષ પટેલ સહિત કોંગ્રેસી અગ્રણીઓ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. શહેરના અનેક પ્રશ્નોથી પીડાતા લોકોએ લેખિત અને મૌખિકમાં પોતાની રજૂઆત કરી હતી.

ધરમપુર તાલુકામાં કામ કરતા જેટકોના 66કેવીના કર્મચારીઓનો પગાર છેલ્લા ત્રણ મહિનાથી અટકેલો હતો જે અંગે વિપક્ષી નેતા અમિત ચાવડાએ ઉપરી કક્ષાએ રજૂઆત કરતા તાત્કાલિક તેમના પગારની ચુકવણી કરવામાં આવી હતી જે અંગે કર્મચારીઓ દ્વારા અમિત ચાવડા તથા ધારાસભ્ય અનંત પટેલ અભિવાદન પણ કાર્યક્રમમાં કર્યું હતું

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *