ત્રણ દિવસમાં ફરી એકવાર હુમલો: વાંસદાના ઉપસળ ગામે વધુ એક બાળકી હુમલાનો શિકાર બની, બંને ગામની ધટના વચ્ચે માત્ર ત્રણ કિલોમીટર અંતર

ત્રણ દિવસમાં ફરી એકવાર હુમલો: વાંસદાના ઉપસળ ગામે વધુ એક બાળકી હુમલાનો શિકાર બની, બંને ગામની ધટના વચ્ચે માત્ર ત્રણ કિલોમીટર અંતર

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઉપસળ ગામમાં દીપડાએ ફરી એકવાર ૧૦ બાળકી પર હુમલાનો શિકાર બની. આ ઘટના તાજેતરમાં એક સપ્તાહમાં વાંસદા વિસ્તારનો બીજો હુમલો નોંધાવા પામ્યો છે, વાંસદા પંથકમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. ઉપસળ ગામમાં રહેતી 10 વર્ષની સિદ્ધિ પટેલ નામની બાળકી પર દીપડાએ અચાનક આવી હુમલો કર્યો હતો ગત ગુરુવારના રોજ મોટીવાલઝર ગામે દિપડાના હુમલો બાળકી પર થયો હતો તેવાજ સામ્યતા ધરાવતા દિપડાના હુમલાના નિશાન જોવા મળી રહ્યા છે

ઘાયલ બાળકીને તાત્કાલિક સારવાર માટે વાંસદા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ઉપસળ ગામ સહિત આજુબાજુના ગામો સહિત સ્થાનિક લોકોની ચિંતા વધી જવા પામી છે. કારણ કે પૂર્વ પટ્ટીના વિસ્તારમાં લોકો ઉપર સતત દીપડાના હુમલાનો તેમાં પણ ખાસ કરીને નાના બાળકો દિપડાના હુમલાનો શિકાર બની રહ્યા છે. આ ધટના બાબતે વન વિભાગના આર.એફ.ઓ જે ડી રાઠોડ અધિકારીને જાણ કરવામાં આવી છે, અને મામલાની અધિકારીઓ તથા કર્મચારીઓ વધુ તપાસ ચલાવી રહ્યા છે.વાંસદા પશ્ચિમ વનવિભાગ ધ્વારા દિપડાને પાંજરે પુરવાર જરૂરી પાંજરા તેમજ નાઈટ વિઝન કેમેરા (ટ્રેપ કેમેરા ) પણ ગોઠવવામાં આવી રહ્યા છે.

વાંસદાના મોટી વાલઝર ગામે ત્રણ દિવસ હુમલા થયાની શાહી હજુ સુકાઈ નથી. ડુંગરી ફળિયામાં રહેતા શિક્ષક કમલેશભાઇ ની ૧૦ વર્ષીય દીકરી પર એકા એક દીપડાએ હુમલો કરતા બાળકીના ગળા તથા કાન નજીક ભાગે નખ તથા દાંતના નિશાન પડ્યા  છે. જેથી તેણીને તાત્કાલિક સુરત ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવી છે.

દિપડાના હુમલા બંને બાળકીઓની ઈજાઓની તસ્વીર જોતા વન્યજીવ ઉપર કામ કરતા નિષ્ણાંત માનવું કે હુમલો કરનાર દિપડો એકજ હોવાનું તારણ કરી રહ્યા છે.મોટીવાલઝર અને ઉપસડગામ વચ્ચે માત્ર ત્રણ કિલોમીટર અંતર છે તેથી એકજ દિપડાએ એકાએક આવી હુમલો કર્યાનું નકારી શકાય એમ નથી.

વાંસદા તાલુકામાં ત્રણ દિવસમાં બીજી વખત વધુ એક બાળકી ઉપર દીપડાએ હુમલાનો  શિકાર બની: બંને ગામની ઘટના વચ્ચે માત્ર ત્રણ કિલોમીટર અંતર છે 

Related post

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં પહોંચાશે અંતરિયાળ

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં…

​જો તમે અમદાવાદ, વડોદરા કે સુરત, જેવા મોટા શહેરોમાં વસવાટ કરો છો અને વીકએન્ડમાં દક્ષિણ ગુજરાતના પ્રાકૃતિક જંગલો તેમજ નયનરમ્ય પ્રવાસન…
GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી ચેનલ ન્યૂઝ કેપિટલ માર્કેટનો કરાવ્યો શુભારંભ

GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી…

ન્યૂઝ કેપિટલ નેટવર્ક આયોજિત ગિફ્ટ ઈકોનોમિક ફોરમમાં ડે. સીએમ હર્ષ સંઘવી સહિત મંત્રીઓ, મહાનુભાવો રહ્યા હાજર, ગુજરાતના આર્થિક રોડમેપ વિશે થઈ…
શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને ‘શ્રી મહાદેવ દેસાઈ સેવક પુરસ્કાર’ અર્પણ કરાયો

શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને…

સમાજ સેવા અને માનવતાના ક્ષેત્રમાં દીર્ઘકાલીન યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનિત કરવાની પરંપરાને આગળ ધપાવતા શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ (સ્વપ્ન લોક સોસાયટી,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *