ત્રણ દિવસમાં ફરી એકવાર હુમલો: વાંસદાના ઉપસળ ગામે વધુ એક બાળકી હુમલાનો શિકાર બની, બંને ગામની ધટના વચ્ચે માત્ર ત્રણ કિલોમીટર અંતર

ત્રણ દિવસમાં ફરી એકવાર હુમલો: વાંસદાના ઉપસળ ગામે વધુ એક બાળકી હુમલાનો શિકાર બની, બંને ગામની ધટના વચ્ચે માત્ર ત્રણ કિલોમીટર અંતર

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઉપસળ ગામમાં દીપડાએ ફરી એકવાર ૧૦ બાળકી પર હુમલાનો શિકાર બની. આ ઘટના તાજેતરમાં એક સપ્તાહમાં વાંસદા વિસ્તારનો બીજો હુમલો નોંધાવા પામ્યો છે, વાંસદા પંથકમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. ઉપસળ ગામમાં રહેતી 10 વર્ષની સિદ્ધિ પટેલ નામની બાળકી પર દીપડાએ અચાનક આવી હુમલો કર્યો હતો ગત ગુરુવારના રોજ મોટીવાલઝર ગામે દિપડાના હુમલો બાળકી પર થયો હતો તેવાજ સામ્યતા ધરાવતા દિપડાના હુમલાના નિશાન જોવા મળી રહ્યા છે

ઘાયલ બાળકીને તાત્કાલિક સારવાર માટે વાંસદા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ઉપસળ ગામ સહિત આજુબાજુના ગામો સહિત સ્થાનિક લોકોની ચિંતા વધી જવા પામી છે. કારણ કે પૂર્વ પટ્ટીના વિસ્તારમાં લોકો ઉપર સતત દીપડાના હુમલાનો તેમાં પણ ખાસ કરીને નાના બાળકો દિપડાના હુમલાનો શિકાર બની રહ્યા છે. આ ધટના બાબતે વન વિભાગના આર.એફ.ઓ જે ડી રાઠોડ અધિકારીને જાણ કરવામાં આવી છે, અને મામલાની અધિકારીઓ તથા કર્મચારીઓ વધુ તપાસ ચલાવી રહ્યા છે.વાંસદા પશ્ચિમ વનવિભાગ ધ્વારા દિપડાને પાંજરે પુરવાર જરૂરી પાંજરા તેમજ નાઈટ વિઝન કેમેરા (ટ્રેપ કેમેરા ) પણ ગોઠવવામાં આવી રહ્યા છે.

વાંસદાના મોટી વાલઝર ગામે ત્રણ દિવસ હુમલા થયાની શાહી હજુ સુકાઈ નથી. ડુંગરી ફળિયામાં રહેતા શિક્ષક કમલેશભાઇ ની ૧૦ વર્ષીય દીકરી પર એકા એક દીપડાએ હુમલો કરતા બાળકીના ગળા તથા કાન નજીક ભાગે નખ તથા દાંતના નિશાન પડ્યા  છે. જેથી તેણીને તાત્કાલિક સુરત ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવી છે.

દિપડાના હુમલા બંને બાળકીઓની ઈજાઓની તસ્વીર જોતા વન્યજીવ ઉપર કામ કરતા નિષ્ણાંત માનવું કે હુમલો કરનાર દિપડો એકજ હોવાનું તારણ કરી રહ્યા છે.મોટીવાલઝર અને ઉપસડગામ વચ્ચે માત્ર ત્રણ કિલોમીટર અંતર છે તેથી એકજ દિપડાએ એકાએક આવી હુમલો કર્યાનું નકારી શકાય એમ નથી.

વાંસદા તાલુકામાં ત્રણ દિવસમાં બીજી વખત વધુ એક બાળકી ઉપર દીપડાએ હુમલાનો  શિકાર બની: બંને ગામની ઘટના વચ્ચે માત્ર ત્રણ કિલોમીટર અંતર છે 

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *