વાંસદાના ૨૭ ગામોમાં મનરેગા યોજના અંતર્ગત વાડી આંબા કલમો માટેની પરવાનગી ને લઈ સાંસદ ધવલભાઈ પટેલના પત્રને લઈ જિલ્લા વહીવટીતંત્ર મંજૂરી આપી
- Local News
- September 28, 2024
- No Comment
નવસારી જિલ્લાના વાંસદા તાલુકા ગામોમાં મનરેગા યોજના અંતર્ગત આંબા કલમો માટે જરૂરી મંજૂરીઓ ન મળતા ઘણાં લોકો અટવાઈ ગયા હતા.આ અંગે વલસાડ ડાંગ સંસદીય મતક્ષેત્ર આવતા વાંસદા વિસ્તારના લોકો આ અંગે લોકસભા દંડક અને વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલ રજૂઆત કરી હતી

આ રજૂઆત મળતા સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા વાંસદા તાલુકા ના ૨૭ જેટલા ગામોમાં મનરેગા યોજના અંતર્ગત વાડી આંબા કલમના કામ માટેની પરવાનગી છેલ્લા ઘણા સમયથી મળતી ન હતી આ અંગે વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે નવસારી જિલ્લા ડીડીઓ અને નિયામકને પત્ર લખી તાત્કાલિક ધોરણે મંજૂરીઓ આપવા માટે જણાવ્યું હતું
જે આ પત્ર અનુસંધાનમાં ગણતરીના દિવસોની અંદર વાડી આંબા કલમ ના કામ માટેની પરવાનગી મળી જતા ૨૭ ગામના ખેડૂતોમાં સહિત અન્ય લોકોમાં આનંદ લાગણી છવાઈ જવા પામી છે