ખેલૈયાઓ અને વેપારીઓ માટે સારા સમાચાર: હવે નવરાત્રિમાં મોડી રાત સુધી રમી શકાશો ગરબા, ગુજરાત સરકારની મોટી જાહેરાત કરી

ખેલૈયાઓ અને વેપારીઓ માટે સારા સમાચાર: હવે નવરાત્રિમાં મોડી રાત સુધી રમી શકાશો ગરબા, ગુજરાત સરકારની મોટી જાહેરાત કરી

નવરાત્રી પર્વને લઈને ખેલૈયાઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે ગરબા રમવાને લઈને મોટો નિર્ણય લીધો છે. ખેલૈયાઓ હવે મહાનગરોમાં મોડી રાત સુધી ગરબા રમી શકશે.

નવરાત્રિ પર્વના મુદ્દે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. ત્યારે આ વખતે નવરાત્રીને લઈને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે હવે મોડી રાત સુધી ખેલૈયા ગરબા રમી શકશે. જેને લઇને સમગ્ર ગરબા ઉત્સુકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. અને સૌ કોઇ આજે જ ગરબે ઝુમી ઉઠ્યા હતા.સાથે જ ધંધાર્થીઓ મોડી રાત સુધી ધંધો અને વ્યવસાય પણ કરી શકશે. આ અંગે નવરાત્રીને લઈને 10 દિવસ માટે લોકો એ પોલીસના સૂચનોને સહકાર આપવા જણાવવામાં આવ્યું છે.

રાજયમાં નવરાત્રીમાં ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબા રમી શકશે

નવરાત્રીને લઈને ખેલૈયાઓ માટે મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે ગરબા રમવાને લઈને મોટો નિર્ણય લેવા માં આવ્યો છે. ખેલૈયાઓ હવે મોડી રાત સુધી ગરબા રમી શકશે. સાથે ધંધાર્થીઓ પણ આ દરમિયાન પોતાનો ધંધો રોજગાર ચાલુ રાખી શકશે. આયોજકોને પણ નિયમો અનુસરવા નિર્દેશ સાથે હર્ષ સંઘવી જણાવ્યું છે. સાથે ગરબાની મજા સાથે નિયમોનું પણ પાલન કરવાનું જણાવ્યું છે

https://x.com/sanghaviharsh/status/1839948170731892952?t=QzBahSMcV2c-1QSlSAgEVA&s=19

ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ મોટી જાહેરાત

નવરાત્રી પાવન પર્વ ને લઈ ગુજરાતભરમાં તાડમારથી તૈયારીઓ હાલમાં ચાલી રહી છે ત્યારે હવે આ તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે જોકે તે પહેલા ખેલૈયાઓ માટે ગરબા રમવાને લઈને ખુશીના સમાચાર સામે આવ્યા છે. નવારાત્રીમાં આયોજકો દ્વારા એઆઈ કેમેરા,સીસીટીવી કેમેરા,ફાયર સેફ્ટી સહિતની ગાઈડલાઈન સાથે ગરબા રમાડવાની સૂચના આપવામાં આવવી હતી. તે સાથે આયોજકો માટે પણ ગાઈડલાઈન મુજબ નવરાત્રીનું આયોજન કરવા અંગે સૂચના આપવામાં આવી ત્યારે આ બધાની વચ્ચે ખેલૈયાઓ માટે મોડી રાત સુધી ગરબા રમવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કે આ તહેવારમા સૌ ખેલૈયાઓ મા અંબાની ભક્તિમાં ભરપૂર રંગાઇ શકે અને મોડી રાત સુધી રમી શકે , ઉપરાંત નાના મોટા ફેરીયા, દુકાનો વાળા અને વેપારીઓ ધંધો કરી શકે તેને લઇ આ નિર્ણય લેવામાં આવ્યો અને આ માટે પોલીસને સૂચના પણ આપી દેવામાં આવી છે. આ ઉપરાંત આયોજકોને પણ મારી વિનંતી છે કે તે લોકો ડીજે અને બેન્ડનો અવાજ લોકો હેરાન ન થાય તેવો રાખે. તથા ખેલૈયાઓ ગરબા રમી શકે તેને લઇ રાજ્ય સરકાર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. પરંતુ સાથે સાથે લોકો પણ પોતાની ફરજ નિભાવે તે મહત્વનું છે. નવરાત્રિમાં દિલથી મા અંબેની ભક્તિ કરી શકો તેવી શુભકામનાઓ.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *