સમસ્ત કુકણા સમાજની વાંસદા ખાતે કારોબારી સમિતિની બેઠક યોજાઈ

સમસ્ત કુકણા સમાજની વાંસદા ખાતે કારોબારી સમિતિની બેઠક યોજાઈ

નવસારી સમસ્ત કુકણા સમાજની ખાંભલાઝાપા, વાંસદા સમાજ ભવન ખાતે કારોબારી સભા મળી હતી. જેમાં સમાજના હોદ્દેદારો કારોબારી સભ્યો સાથે મહિલા અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં આગામી વાંસદા કુકણા સમાજમાં જન્મ, લગ્ન અને મરણની વિધિના રીત-રિવાજોમાં સુધારા કરવા માટે ધારા-ધોરણો સુધારવા ઉપપ્રમુખ મણીભાઈ પવાર દ્વારા રજૂઆત કરી સમાજમાં થતા દુષણો, વ્યસન તેમજ લગ્નમાં થતા ખોટા ખર્ચાઓ દેખાદેખી કરી સમાજ દેવામાં ડૂબતો જાય છે. જેથી સમાજમાં નવી પેઢી વ્યાસનોમાં બરબાદ થતી જાય છે.

જેને રોકવા વાંસદા તાલુકાના ૯૬ ગામોમાં, ગામે–ગામમાં જનજાગૃતિ કરી લોકોને સમજ આપવા અને સમાજને નુકસાન કરતા દૂષણનો વ્યસનો તેમજ રીત-રિવાજોમાં સુધારા કરવા માટે ધારા-ધોરણો નકકી કરવા માટે એક સમિતી બનાવી તેમને આ સમાજમાંથી દૂષણો વ્યસનો અને લગ્નમાં થતા ડી.જે. જેવા આધુનિક યુગમાં ખોટા ખર્ચાઓ બંધ કરવા માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો જે આગામી દિવસોમાં વાંસદા તાલુકાને ચાર (૦૪) ઝોનમાં વહેંચણી કરી તમામને કામગીરી (જવાબદારી) સોંપવા માટે ચર્ચા કરી નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં આ મિટિંગમાં કુકણા સમાજ એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ ડી.જી. ચૌધરી અને શિક્ષક સંઘના ભરતભાઈ થોરાટ, વાંસદા તેમજ આદિવાસી કોકણા, કોકણી, કુકણા, કુન્બી (ડાંગ) ગુજરાત રાજયના ઇશ્વરભાઈ માળી દ્વારા આવા સમાજમાં ધારા-ધોરણો પરિવર્તન લાવવા ટેકો જાહેર કરવામાં આવ્યો હતો.

કારોબારી મિટિંગમાં સમસ્ત કુકણા સમાજ વાંસદાના મંત્રી અમરતભાઈ ગાયકવાડ, ઉપપ્રમુખ મણીભાઈ પવાર, કાંતાબેન ગાવિંત, પૂર્વ પ્રમુખ મણીભાઈ ગાવિંત, કાંતિભાઈ કુન્બી શાંતુભાઈ, બારકુભાઈ તેમજ સમાજના અગ્રણી સંદીપભાઈ મહાકાળ સાથે સમાજના પ્રમુખ બાબુભાઈ ગાંગુડા દ્વારા પ્રકૃતિ પૂજા કરી કારોબારી મિટિંગની અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ, જે આગામી દિવસોમાં સમાજના બિનજરૂરી ખર્ચા નિયંત્રણ કરવા આવા પ્રકારના નિર્ણયો લેવા માટે ચર્ચા કરવામાં આવી હતી.

કુકણા સમાજમાં જન્મ, લગ્ન અને મરણની વિધિના રીત-રિવાજોમાં સુધારો કરવા માટે રજૂઆત કરવામાં આવી 

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *