સમસ્ત કુકણા સમાજની વાંસદા ખાતે કારોબારી સમિતિની બેઠક યોજાઈ

સમસ્ત કુકણા સમાજની વાંસદા ખાતે કારોબારી સમિતિની બેઠક યોજાઈ

નવસારી સમસ્ત કુકણા સમાજની ખાંભલાઝાપા, વાંસદા સમાજ ભવન ખાતે કારોબારી સભા મળી હતી. જેમાં સમાજના હોદ્દેદારો કારોબારી સભ્યો સાથે મહિલા અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં આગામી વાંસદા કુકણા સમાજમાં જન્મ, લગ્ન અને મરણની વિધિના રીત-રિવાજોમાં સુધારા કરવા માટે ધારા-ધોરણો સુધારવા ઉપપ્રમુખ મણીભાઈ પવાર દ્વારા રજૂઆત કરી સમાજમાં થતા દુષણો, વ્યસન તેમજ લગ્નમાં થતા ખોટા ખર્ચાઓ દેખાદેખી કરી સમાજ દેવામાં ડૂબતો જાય છે. જેથી સમાજમાં નવી પેઢી વ્યાસનોમાં બરબાદ થતી જાય છે.

જેને રોકવા વાંસદા તાલુકાના ૯૬ ગામોમાં, ગામે–ગામમાં જનજાગૃતિ કરી લોકોને સમજ આપવા અને સમાજને નુકસાન કરતા દૂષણનો વ્યસનો તેમજ રીત-રિવાજોમાં સુધારા કરવા માટે ધારા-ધોરણો નકકી કરવા માટે એક સમિતી બનાવી તેમને આ સમાજમાંથી દૂષણો વ્યસનો અને લગ્નમાં થતા ડી.જે. જેવા આધુનિક યુગમાં ખોટા ખર્ચાઓ બંધ કરવા માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો જે આગામી દિવસોમાં વાંસદા તાલુકાને ચાર (૦૪) ઝોનમાં વહેંચણી કરી તમામને કામગીરી (જવાબદારી) સોંપવા માટે ચર્ચા કરી નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં આ મિટિંગમાં કુકણા સમાજ એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ ડી.જી. ચૌધરી અને શિક્ષક સંઘના ભરતભાઈ થોરાટ, વાંસદા તેમજ આદિવાસી કોકણા, કોકણી, કુકણા, કુન્બી (ડાંગ) ગુજરાત રાજયના ઇશ્વરભાઈ માળી દ્વારા આવા સમાજમાં ધારા-ધોરણો પરિવર્તન લાવવા ટેકો જાહેર કરવામાં આવ્યો હતો.

કારોબારી મિટિંગમાં સમસ્ત કુકણા સમાજ વાંસદાના મંત્રી અમરતભાઈ ગાયકવાડ, ઉપપ્રમુખ મણીભાઈ પવાર, કાંતાબેન ગાવિંત, પૂર્વ પ્રમુખ મણીભાઈ ગાવિંત, કાંતિભાઈ કુન્બી શાંતુભાઈ, બારકુભાઈ તેમજ સમાજના અગ્રણી સંદીપભાઈ મહાકાળ સાથે સમાજના પ્રમુખ બાબુભાઈ ગાંગુડા દ્વારા પ્રકૃતિ પૂજા કરી કારોબારી મિટિંગની અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ, જે આગામી દિવસોમાં સમાજના બિનજરૂરી ખર્ચા નિયંત્રણ કરવા આવા પ્રકારના નિર્ણયો લેવા માટે ચર્ચા કરવામાં આવી હતી.

કુકણા સમાજમાં જન્મ, લગ્ન અને મરણની વિધિના રીત-રિવાજોમાં સુધારો કરવા માટે રજૂઆત કરવામાં આવી 

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *