સમસ્ત કુકણા સમાજની વાંસદા ખાતે કારોબારી સમિતિની બેઠક યોજાઈ

સમસ્ત કુકણા સમાજની વાંસદા ખાતે કારોબારી સમિતિની બેઠક યોજાઈ

નવસારી સમસ્ત કુકણા સમાજની ખાંભલાઝાપા, વાંસદા સમાજ ભવન ખાતે કારોબારી સભા મળી હતી. જેમાં સમાજના હોદ્દેદારો કારોબારી સભ્યો સાથે મહિલા અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં આગામી વાંસદા કુકણા સમાજમાં જન્મ, લગ્ન અને મરણની વિધિના રીત-રિવાજોમાં સુધારા કરવા માટે ધારા-ધોરણો સુધારવા ઉપપ્રમુખ મણીભાઈ પવાર દ્વારા રજૂઆત કરી સમાજમાં થતા દુષણો, વ્યસન તેમજ લગ્નમાં થતા ખોટા ખર્ચાઓ દેખાદેખી કરી સમાજ દેવામાં ડૂબતો જાય છે. જેથી સમાજમાં નવી પેઢી વ્યાસનોમાં બરબાદ થતી જાય છે.

જેને રોકવા વાંસદા તાલુકાના ૯૬ ગામોમાં, ગામે–ગામમાં જનજાગૃતિ કરી લોકોને સમજ આપવા અને સમાજને નુકસાન કરતા દૂષણનો વ્યસનો તેમજ રીત-રિવાજોમાં સુધારા કરવા માટે ધારા-ધોરણો નકકી કરવા માટે એક સમિતી બનાવી તેમને આ સમાજમાંથી દૂષણો વ્યસનો અને લગ્નમાં થતા ડી.જે. જેવા આધુનિક યુગમાં ખોટા ખર્ચાઓ બંધ કરવા માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો જે આગામી દિવસોમાં વાંસદા તાલુકાને ચાર (૦૪) ઝોનમાં વહેંચણી કરી તમામને કામગીરી (જવાબદારી) સોંપવા માટે ચર્ચા કરી નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં આ મિટિંગમાં કુકણા સમાજ એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ ડી.જી. ચૌધરી અને શિક્ષક સંઘના ભરતભાઈ થોરાટ, વાંસદા તેમજ આદિવાસી કોકણા, કોકણી, કુકણા, કુન્બી (ડાંગ) ગુજરાત રાજયના ઇશ્વરભાઈ માળી દ્વારા આવા સમાજમાં ધારા-ધોરણો પરિવર્તન લાવવા ટેકો જાહેર કરવામાં આવ્યો હતો.

કારોબારી મિટિંગમાં સમસ્ત કુકણા સમાજ વાંસદાના મંત્રી અમરતભાઈ ગાયકવાડ, ઉપપ્રમુખ મણીભાઈ પવાર, કાંતાબેન ગાવિંત, પૂર્વ પ્રમુખ મણીભાઈ ગાવિંત, કાંતિભાઈ કુન્બી શાંતુભાઈ, બારકુભાઈ તેમજ સમાજના અગ્રણી સંદીપભાઈ મહાકાળ સાથે સમાજના પ્રમુખ બાબુભાઈ ગાંગુડા દ્વારા પ્રકૃતિ પૂજા કરી કારોબારી મિટિંગની અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ, જે આગામી દિવસોમાં સમાજના બિનજરૂરી ખર્ચા નિયંત્રણ કરવા આવા પ્રકારના નિર્ણયો લેવા માટે ચર્ચા કરવામાં આવી હતી.

કુકણા સમાજમાં જન્મ, લગ્ન અને મરણની વિધિના રીત-રિવાજોમાં સુધારો કરવા માટે રજૂઆત કરવામાં આવી 

Related post

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં પહોંચાશે અંતરિયાળ

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં…

​જો તમે અમદાવાદ, વડોદરા કે સુરત, જેવા મોટા શહેરોમાં વસવાટ કરો છો અને વીકએન્ડમાં દક્ષિણ ગુજરાતના પ્રાકૃતિક જંગલો તેમજ નયનરમ્ય પ્રવાસન…
GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી ચેનલ ન્યૂઝ કેપિટલ માર્કેટનો કરાવ્યો શુભારંભ

GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી…

ન્યૂઝ કેપિટલ નેટવર્ક આયોજિત ગિફ્ટ ઈકોનોમિક ફોરમમાં ડે. સીએમ હર્ષ સંઘવી સહિત મંત્રીઓ, મહાનુભાવો રહ્યા હાજર, ગુજરાતના આર્થિક રોડમેપ વિશે થઈ…
શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને ‘શ્રી મહાદેવ દેસાઈ સેવક પુરસ્કાર’ અર્પણ કરાયો

શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને…

સમાજ સેવા અને માનવતાના ક્ષેત્રમાં દીર્ઘકાલીન યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનિત કરવાની પરંપરાને આગળ ધપાવતા શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ (સ્વપ્ન લોક સોસાયટી,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *