મહાત્મા ગાંધીજીની 1926માં મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ, સુપાની ઐતિહાસિક મુલાકાત

મહાત્મા ગાંધીજીની 1926માં મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ, સુપાની ઐતિહાસિક મુલાકાત

મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ, સુપાનીમાં 1926માં મહાત્મા ગાંધીજીની ઐતિહાસિક મુલાકાતના સ્મરણમાં વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે, ગુરુકુલના વિદ્યાર્થીઓ અને શિક્ષકમંડળે મહાત્મા ગાંધીજીના વિચારોથી પ્રેરાઈને કેમ્પસમાં સ્વચ્છતા અભિયાન ચલાવ્યું હતું.


ગાંધીજીએ 1926માં ગુરુકુલની મુલાકાત દરમિયાન પોતાના સંદેશમાં ગુરુકુલને ઉદ્દેશીને બિરદાવતા લખ્યું હતું, ” આ ગુરુકુળ જોવાની મારી ઇચ્છા આજે પૂરી થઈ. હું ઇશ્વરનો આ માટે પાર માનું છું. ગુરુકુળની વૃદ્ધિ થાઓ આ ગુરુકુલમાંથી વિદ્યાર્થીઓ સાચા ધર્મસેવક અને દેશસેવક બને તેવું હું ઈચ્છું છું.”


આ સંદેશ આજે પણ ગુરુકુલ માટે ગૌરવ અને પ્રેરણાનું સ્ત્રોત છે. આને ધ્યાનમાં રાખીને 450થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓએ મળીને કેમ્પસ અને આસપાસના વિસ્તારોમાં વ્યાપક સફાઈ અભિયાન હાથ ધર્યું હતું.


કેમ્પસ ડાયરેક્ટર ડૉ. ચંદ્રગુપ્તજી અને સહ-કેમ્પસ ડાયરેક્ટર શ્રી સુરેશભાઈ રત્નાણીએ વિદ્યાર્થીઓને સફાઈ અભિયાનને સતત જાળવવા અને મહાત્મા ગાંધીજીના મૂલ્યોને જીવનમાં ઉતારવા માટે પ્રેરિત કર્યા.
આ પ્રસંગે ધોરણ 9ના વિદ્યાર્થીઓને ‘ગાંધી’ ફિલ્મ બતાવવામાં આવી, જેથી તેઓ મહાત્મા ગાંધીજીના વિચારોને સમજીને જીવનમાં અનુસરી શકે. જિલ્લા શિક્ષણાધિકારી જયેશભાઈ ચૌધરીએ ગુરુકુલના સ્વચ્છતા અભિયાનને બિરદાવ્યું અને વિદ્યાર્થીઓમાં સ્વયં શ્રમ અને સ્વચ્છતાના મૂલ્યો વિકસિત કરવાનો હેતુ જતાવ્યો.
આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ગુજરાત ગુરુકુલ સભાના પદાધિકારી ઓની વિશેષ હાજરી રહી હતી અને તેમણે ગુરુકુલના આ પ્રયાસોની પ્રશંસા કરી.ગુજરાત ગુરુકુલ સભાના મંત્રી પંકજસિંહ ઠાકોર દ્વારા વિદ્યાર્થીઓને ભોજન આપવામાં આવ્યું હતું

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…
કે. એન્ડ બી. સાર્વજનિક હાઈસ્કૂલ આલીપોરમા ત્રિદિવસીય આચાર્ય વ્યવસાયિક સજ્જતા તાલીમ યોજાઈ

કે. એન્ડ બી. સાર્વજનિક હાઈસ્કૂલ આલીપોરમા ત્રિદિવસીય આચાર્ય વ્યવસાયિક…

નવસારી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (ડાયેટ), નવસારી દ્વારા આલીપોર સ્થિત કે. એન્ડ બી. સાર્વજનિક હાઈસ્કૂલમાં ત્રિદિવસીય આચાર્ય વ્યવસાયિક સજ્જતા તાલીમનું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *