મહાત્મા ગાંધીજીની 1926માં મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ, સુપાની ઐતિહાસિક મુલાકાત

મહાત્મા ગાંધીજીની 1926માં મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ, સુપાની ઐતિહાસિક મુલાકાત

મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ, સુપાનીમાં 1926માં મહાત્મા ગાંધીજીની ઐતિહાસિક મુલાકાતના સ્મરણમાં વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે, ગુરુકુલના વિદ્યાર્થીઓ અને શિક્ષકમંડળે મહાત્મા ગાંધીજીના વિચારોથી પ્રેરાઈને કેમ્પસમાં સ્વચ્છતા અભિયાન ચલાવ્યું હતું.


ગાંધીજીએ 1926માં ગુરુકુલની મુલાકાત દરમિયાન પોતાના સંદેશમાં ગુરુકુલને ઉદ્દેશીને બિરદાવતા લખ્યું હતું, ” આ ગુરુકુળ જોવાની મારી ઇચ્છા આજે પૂરી થઈ. હું ઇશ્વરનો આ માટે પાર માનું છું. ગુરુકુળની વૃદ્ધિ થાઓ આ ગુરુકુલમાંથી વિદ્યાર્થીઓ સાચા ધર્મસેવક અને દેશસેવક બને તેવું હું ઈચ્છું છું.”


આ સંદેશ આજે પણ ગુરુકુલ માટે ગૌરવ અને પ્રેરણાનું સ્ત્રોત છે. આને ધ્યાનમાં રાખીને 450થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓએ મળીને કેમ્પસ અને આસપાસના વિસ્તારોમાં વ્યાપક સફાઈ અભિયાન હાથ ધર્યું હતું.


કેમ્પસ ડાયરેક્ટર ડૉ. ચંદ્રગુપ્તજી અને સહ-કેમ્પસ ડાયરેક્ટર શ્રી સુરેશભાઈ રત્નાણીએ વિદ્યાર્થીઓને સફાઈ અભિયાનને સતત જાળવવા અને મહાત્મા ગાંધીજીના મૂલ્યોને જીવનમાં ઉતારવા માટે પ્રેરિત કર્યા.
આ પ્રસંગે ધોરણ 9ના વિદ્યાર્થીઓને ‘ગાંધી’ ફિલ્મ બતાવવામાં આવી, જેથી તેઓ મહાત્મા ગાંધીજીના વિચારોને સમજીને જીવનમાં અનુસરી શકે. જિલ્લા શિક્ષણાધિકારી જયેશભાઈ ચૌધરીએ ગુરુકુલના સ્વચ્છતા અભિયાનને બિરદાવ્યું અને વિદ્યાર્થીઓમાં સ્વયં શ્રમ અને સ્વચ્છતાના મૂલ્યો વિકસિત કરવાનો હેતુ જતાવ્યો.
આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ગુજરાત ગુરુકુલ સભાના પદાધિકારી ઓની વિશેષ હાજરી રહી હતી અને તેમણે ગુરુકુલના આ પ્રયાસોની પ્રશંસા કરી.ગુજરાત ગુરુકુલ સભાના મંત્રી પંકજસિંહ ઠાકોર દ્વારા વિદ્યાર્થીઓને ભોજન આપવામાં આવ્યું હતું

Related post

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું સન્માન, પરિમલ નથવાણીએ વિકાસ માટે સૌને એક થવાનો સંદેશ આપ્યો

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું…

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન (NMA) દ્વારા ચાર પેઢીથી હીરા ઉદ્યોગમાં અગ્રેસર અને વિશ્વપ્રસિદ્ધ મહેન્દ્ર બ્રધર્સના મેનેજિંગ ડિરેક્ટર મિલન પરીખનું શ્રેષ્ઠ ઉદ્યોગપતિ તરીકે…
25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને કટોકટીમાં નવસારીનો સંઘર્ષની સંપૂર્ણ કહાની

25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને…

25 જૂન 1975: જ્યારે દેશમાં લાગુ થઈ ઇમરજન્સી, ભારતીય લોકશાહીનો સૌથી વિવાદાસ્પદ અધ્યાય 25 જૂન, 1975નો દિવસ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સૌથી…
‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *