નવસારી જિલ્લા બાગાયતી ખેડૂત જોગ:બાગાયત ખાતામાં વર્ષ ૨૦૨૪-૨૫ માં “ક્રોપ કવરના ઉપયોગથી ફળપાકો અને શાકભાજી પાકોની રક્ષિત ખેતી માટેનો કાર્યક્રમ” અંતર્ગત વિવિધ યોજના માટે અરજી કરાશે

નવસારી જિલ્લા બાગાયતી ખેડૂત જોગ:બાગાયત ખાતામાં વર્ષ ૨૦૨૪-૨૫ માં “ક્રોપ કવરના ઉપયોગથી ફળપાકો અને શાકભાજી પાકોની રક્ષિત ખેતી માટેનો કાર્યક્રમ” અંતર્ગત વિવિધ યોજના માટે અરજી કરાશે

બાગાયત ખાતાની વર્ષ ૨૦૨૪-૨૫ માં “ક્રોપ કવરના ઉપયોગથી ફળપાકો અને શાકભાજી પાકોની રક્ષિત ખેતી માટેનો કાર્યક્રમ” નવી બાબત તરીકે મંજૂર થયેલ છે. આ કાર્યક્રમ હેઠળના (૧) ક્રોપ કવર (શાકભાજી પાકો માટે) (૨) ક્રોપ કવર/ બેગ (કેળ/પપૈયા પાક માટે) (૩) દાડમ ક્રોપ કવર/ ખારેક બંચ કવર (૪) ફ્રુટ કવર (આંબા, દાડમ, જામફળ, સીતાફળ, કમલમ (ડ્રેગનફ્રુટ) ઘટક માટે તેમજ ચાલુ બાબતના (૧) દરિયાઈ માર્ગે ફળ, શાકભાજી,ફૂલ તથા છોડના વિકાસ માટે વાહતુક ખર્ચ (૨) હવાઈ માર્ગે બાગાયત પેદાશની નિકાશ માટેના નૂરમાં સહાય તથા (૩) નિકાસકારોને બાગાયતી પાકોના ઈરેડીએશન પ્રક્રિયા માટે સહાય ઘટકમાં ઓનલાઈન અરજી કરવા માટે આઈ-ખેડૂત પોર્ટલ આજે તા.૨૧/૧૧/૨૦૨૪ થી તા.૨૦/૧૨/૨૦૨૪ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે. તેથી જિલ્લાના ખેડૂતમિત્રો જે આ યોજનાઓનો લાભ લેવા ઈચ્છતા હોય તેઓ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઈ-ગ્રામ કેન્દ્ર મારફતે, સાયબર કાફે અથવા પોતાની જાતે અરજી કરી શકશે.

આ માટે અરજદારે ૮-અ, ૭ અને ૧૨ ની નકલ, જાતિનો દાખલો (અનુ.જાતિ/અનુ.જન જાતિના કિસ્સામાં), આધારકાર્ડની નકલ, IFSC કોડવાળી રાષ્ટ્રીયકૃત બેન્ક પાસબુક,અરજી કર્યાની કોપી સાથે બિડાણ કરી નિયત સમયમાં કચેરીના કામકાજના દિવસે દિન-૭ દિનમાં નીચે જણાવેલ સરનામે રૂબરૂ અથવા ટપાલ મારફત જમા કરાવવાનું રહેશે.

અરજી નાયબ બાગાયત નિયામકની કચેરી, જૂની જીલ્લા તિજોરી કચેરીની બાજુમાં, પોલીસ ગેટ, મોટા બજાર, નવસારી, તા. જિ. નવસારી પિનકોડ – ૩૯૬ ૪૪૫. ફોન નંબર: (૦૨૬૩૭) ૨૮૧૮૫૮ના સરનામે મોકલવા નાયબ બાગાયત નિયામક નવસારી દ્વારા જણાવાયું છે.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *