નવસારી જિલ્લા બાગાયતી ખેડૂત જોગ:નવસારી જિલ્લાના ખેડૂતો સાવધાન: પીએમ કિસાન યોજનાનો લાભ બંધ થઇ શકે છે

નવસારી જિલ્લા બાગાયતી ખેડૂત જોગ:નવસારી જિલ્લાના ખેડૂતો સાવધાન: પીએમ કિસાન યોજનાનો લાભ બંધ થઇ શકે છે

એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજિસ્ટ્રી હેઠળ રાજ્યમાં ખેડુતોને આધાર આઇડીની જેમ ફાર્મર આઇડી બનાવવાનું નક્કી કરેલ છે. જેમાં રાજ્યમાં ખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર આઈડી મળશે. ફાર્મર આઈડી દ્વારા તમામ ખેતીવાડી અને ધિરાણ સંબંધી લાભો સરળ બનશે. રાજ્યમાં 15 ઓક્ટોબર 2024 થી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે. તેમજ ચાલુ મહિનાની 25 તારીખ પહેલા ફાર્મર રજીસ્ટ્રી હેઠળ ખેડૂતોએ પોર્ટલ પર નોંધણી કરાવી ફરજિયાત છે. ભારત સરકારે પીએમ કિસાનના આગામી ડિસેમ્બરના હપ્તા માટે ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાત કરી છે.

જેમાં 25 નવેમ્બર પહેલા પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ નોંધણી કરાવવાની રહેશે. વેબ પોર્ટલથી દરેક ગ્રામ પંચાયત કચેરીમાં આ નોંધણી થશે. આ સાથે ખેડૂત જાતે પણ નોંધણી કરી શકશે. જેમાં તમામ ખેડૂતો નોંધણી કરાવવી ફરજીયાત છે. રજીસ્ટ્રશન કરાવવા માટે ખેડુતે આધાર કાર્ડ,આધારથી લિન્ક મોબાઇલ,સર્વે નંબર (૭/૧૨ અને ૮ અ નકલ) આધાર પુરાવા સાથે લઇ જવાના રહેશે. સાથે વધુ માહિતી માટે ગ્રામ્ય કક્ષાએ સંબંધિત ગ્રામ પંચાયત કચેરીના વીસીઈનો સંપર્ક કરવાનો રહેશે. આ પ્રોજેક્ટ અંતર્ગત ખેડુતોને સમયસર ફાર્મર આઇડી બનાવવા માટે નવસારી જિલ્લા ખેતીવાડી અધિકારી ડો.અતુલ ગજેરાએ અખબારી યાદીમાં જણાવ્યુ છે.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *