નવસારી જિલ્લા બાગાયતી ખેડૂત જોગ:નવસારી જિલ્લાના ખેડૂતો સાવધાન: પીએમ કિસાન યોજનાનો લાભ બંધ થઇ શકે છે
- Local News
- November 20, 2024
- No Comment
એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજિસ્ટ્રી હેઠળ રાજ્યમાં ખેડુતોને આધાર આઇડીની જેમ ફાર્મર આઇડી બનાવવાનું નક્કી કરેલ છે. જેમાં રાજ્યમાં ખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર આઈડી મળશે. ફાર્મર આઈડી દ્વારા તમામ ખેતીવાડી અને ધિરાણ સંબંધી લાભો સરળ બનશે. રાજ્યમાં 15 ઓક્ટોબર 2024 થી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે. તેમજ ચાલુ મહિનાની 25 તારીખ પહેલા ફાર્મર રજીસ્ટ્રી હેઠળ ખેડૂતોએ પોર્ટલ પર નોંધણી કરાવી ફરજિયાત છે. ભારત સરકારે પીએમ કિસાનના આગામી ડિસેમ્બરના હપ્તા માટે ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાત કરી છે.

જેમાં 25 નવેમ્બર પહેલા પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ નોંધણી કરાવવાની રહેશે. વેબ પોર્ટલથી દરેક ગ્રામ પંચાયત કચેરીમાં આ નોંધણી થશે. આ સાથે ખેડૂત જાતે પણ નોંધણી કરી શકશે. જેમાં તમામ ખેડૂતો નોંધણી કરાવવી ફરજીયાત છે. રજીસ્ટ્રશન કરાવવા માટે ખેડુતે આધાર કાર્ડ,આધારથી લિન્ક મોબાઇલ,સર્વે નંબર (૭/૧૨ અને ૮ અ નકલ) આધાર પુરાવા સાથે લઇ જવાના રહેશે. સાથે વધુ માહિતી માટે ગ્રામ્ય કક્ષાએ સંબંધિત ગ્રામ પંચાયત કચેરીના વીસીઈનો સંપર્ક કરવાનો રહેશે. આ પ્રોજેક્ટ અંતર્ગત ખેડુતોને સમયસર ફાર્મર આઇડી બનાવવા માટે નવસારી જિલ્લા ખેતીવાડી અધિકારી ડો.અતુલ ગજેરાએ અખબારી યાદીમાં જણાવ્યુ છે.
