નવસારી જિલ્લા બાગાયતી ખેડૂત જોગ:નવસારી જિલ્લાના ખેડૂતો સાવધાન: પીએમ કિસાન યોજનાનો લાભ બંધ થઇ શકે છે

નવસારી જિલ્લા બાગાયતી ખેડૂત જોગ:નવસારી જિલ્લાના ખેડૂતો સાવધાન: પીએમ કિસાન યોજનાનો લાભ બંધ થઇ શકે છે

એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજિસ્ટ્રી હેઠળ રાજ્યમાં ખેડુતોને આધાર આઇડીની જેમ ફાર્મર આઇડી બનાવવાનું નક્કી કરેલ છે. જેમાં રાજ્યમાં ખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર આઈડી મળશે. ફાર્મર આઈડી દ્વારા તમામ ખેતીવાડી અને ધિરાણ સંબંધી લાભો સરળ બનશે. રાજ્યમાં 15 ઓક્ટોબર 2024 થી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે. તેમજ ચાલુ મહિનાની 25 તારીખ પહેલા ફાર્મર રજીસ્ટ્રી હેઠળ ખેડૂતોએ પોર્ટલ પર નોંધણી કરાવી ફરજિયાત છે. ભારત સરકારે પીએમ કિસાનના આગામી ડિસેમ્બરના હપ્તા માટે ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાત કરી છે.

જેમાં 25 નવેમ્બર પહેલા પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ નોંધણી કરાવવાની રહેશે. વેબ પોર્ટલથી દરેક ગ્રામ પંચાયત કચેરીમાં આ નોંધણી થશે. આ સાથે ખેડૂત જાતે પણ નોંધણી કરી શકશે. જેમાં તમામ ખેડૂતો નોંધણી કરાવવી ફરજીયાત છે. રજીસ્ટ્રશન કરાવવા માટે ખેડુતે આધાર કાર્ડ,આધારથી લિન્ક મોબાઇલ,સર્વે નંબર (૭/૧૨ અને ૮ અ નકલ) આધાર પુરાવા સાથે લઇ જવાના રહેશે. સાથે વધુ માહિતી માટે ગ્રામ્ય કક્ષાએ સંબંધિત ગ્રામ પંચાયત કચેરીના વીસીઈનો સંપર્ક કરવાનો રહેશે. આ પ્રોજેક્ટ અંતર્ગત ખેડુતોને સમયસર ફાર્મર આઇડી બનાવવા માટે નવસારી જિલ્લા ખેતીવાડી અધિકારી ડો.અતુલ ગજેરાએ અખબારી યાદીમાં જણાવ્યુ છે.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *