નવસારીના કછોલ ગામે “અતિરુદ્ર મહાયજ્ઞ”ના ત્રીજા દિવસે વન પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી નર્મદેશ્વર શિવલિંગ પર જળાભિષેક કરી યજ્ઞમાં આહુતિ આપી

નવસારીના કછોલ ગામે “અતિરુદ્ર મહાયજ્ઞ”ના ત્રીજા દિવસે વન પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી નર્મદેશ્વર શિવલિંગ પર જળાભિષેક કરી યજ્ઞમાં આહુતિ આપી

નવસારી જિલ્લાના કછોલ ગામ સ્થિત કૈલાશ ફાર્મ ખાતે શ્રીમતી કૌશલ્યાબેન પ્રભુમલ લાલવાણી ટ્રસ્ટ દ્વારા આયોજિત “અતિરુદ્ર મહાયજ્ઞ”માં ત્રીજા દિવસે વન પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નર્મદેશ્વર શિવલિંગ પર જળાભિષેક કરી નવ ગ્રહયજ્ઞમાં આહુતિ આપી હતી. આ પ્રસંગે ચોર્યાસીના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ સહિત વિવિધ મહાનુભાવો મંત્રી સાથે વિશેષ હાજર રહ્યા હતા. “અતિરુદ્ર મહાયજ્ઞ”માં મંત્રી મુકેશભાઈ પટેલે તથા ઉપસ્થિત મહાનુભાવોએ યજ્ઞશાળાના હવનકુંડ પર બિરાજેલા દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા પંડિતો અને બ્રાહ્મણોના આશીર્વાદ ગ્રહણ કર્યા હતા.

આ પ્રસંગે મંત્રી મુકેશભાઈ પટેલએ જણાવ્યું હતું કે, આજે “અતિરુદ્ર મહાયજ્ઞ”માં હાજર રહેવાનું સૌભાગ્ય મળ્યું એ મારા જીવન માટે અલૌકિક ચેતનાની ક્ષણ બની છે. મંત્રીશ્રીએ નવસારીમાં પ્રથમવાર આયોજિત થયેલ “અતિરુદ્ર મહાયજ્ઞ” દ્વારા લોકોને આદ્યાત્મિક ઉર્જાની અનુભૂતિ સાથે દિવ્ય અવસર બની રહે એવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

આ પ્રસંગે વન પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે શ્રીમતી કૌશલ્યાબેન પ્રભુમલ લાલવાણી ટ્રસ્ટ દ્વારા “અતિરુદ મહાયજ્ઞ”નું સુંદર આયોજન કરી જનજન સુધી મહાદેવના આશીર્વાદ પહોંચડાવાની વિશેષ લોકસેવાને બિરદાવી હતી.

“અતિરુદ્ર મહાયજ્ઞ” આદ્યાત્મિક ઉર્જાની અનુભૂતિ કરાવે છે: વન પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ

Related post

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…
નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય ફૂલ એક્શન મોડમાં,વહેલી સવારે ફિલ્ડ મીટિંગ યોજી

નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર…

નવસારી મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે જયેશ ઉપાધ્યાયે સત્તાવાર રીતે પદભાર સંભાળી લીધો છે. પદભાર સંભાળતાની સાથે જ તેઓ એક્શન મોડમાં…
નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *