નવસારીના કછોલ ગામે “અતિરુદ્ર મહાયજ્ઞ”ના ત્રીજા દિવસે વન પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી નર્મદેશ્વર શિવલિંગ પર જળાભિષેક કરી યજ્ઞમાં આહુતિ આપી

નવસારીના કછોલ ગામે “અતિરુદ્ર મહાયજ્ઞ”ના ત્રીજા દિવસે વન પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી નર્મદેશ્વર શિવલિંગ પર જળાભિષેક કરી યજ્ઞમાં આહુતિ આપી

નવસારી જિલ્લાના કછોલ ગામ સ્થિત કૈલાશ ફાર્મ ખાતે શ્રીમતી કૌશલ્યાબેન પ્રભુમલ લાલવાણી ટ્રસ્ટ દ્વારા આયોજિત “અતિરુદ્ર મહાયજ્ઞ”માં ત્રીજા દિવસે વન પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નર્મદેશ્વર શિવલિંગ પર જળાભિષેક કરી નવ ગ્રહયજ્ઞમાં આહુતિ આપી હતી. આ પ્રસંગે ચોર્યાસીના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ સહિત વિવિધ મહાનુભાવો મંત્રી સાથે વિશેષ હાજર રહ્યા હતા. “અતિરુદ્ર મહાયજ્ઞ”માં મંત્રી મુકેશભાઈ પટેલે તથા ઉપસ્થિત મહાનુભાવોએ યજ્ઞશાળાના હવનકુંડ પર બિરાજેલા દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા પંડિતો અને બ્રાહ્મણોના આશીર્વાદ ગ્રહણ કર્યા હતા.

આ પ્રસંગે મંત્રી મુકેશભાઈ પટેલએ જણાવ્યું હતું કે, આજે “અતિરુદ્ર મહાયજ્ઞ”માં હાજર રહેવાનું સૌભાગ્ય મળ્યું એ મારા જીવન માટે અલૌકિક ચેતનાની ક્ષણ બની છે. મંત્રીશ્રીએ નવસારીમાં પ્રથમવાર આયોજિત થયેલ “અતિરુદ્ર મહાયજ્ઞ” દ્વારા લોકોને આદ્યાત્મિક ઉર્જાની અનુભૂતિ સાથે દિવ્ય અવસર બની રહે એવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

આ પ્રસંગે વન પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે શ્રીમતી કૌશલ્યાબેન પ્રભુમલ લાલવાણી ટ્રસ્ટ દ્વારા “અતિરુદ મહાયજ્ઞ”નું સુંદર આયોજન કરી જનજન સુધી મહાદેવના આશીર્વાદ પહોંચડાવાની વિશેષ લોકસેવાને બિરદાવી હતી.

“અતિરુદ્ર મહાયજ્ઞ” આદ્યાત્મિક ઉર્જાની અનુભૂતિ કરાવે છે: વન પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *