લાંબા સંશોધન બાદ ભારત સહિત ગુજરાતને વધુ એક નવી સરીસૃપ પ્રજાતિને ઓળખ મળી.હવે રાજ્યમાં કુલ 66 પ્રજાતિઓના સાપ

લાંબા સંશોધન બાદ ભારત સહિત ગુજરાતને વધુ એક નવી સરીસૃપ પ્રજાતિને ઓળખ મળી.હવે રાજ્યમાં કુલ 66 પ્રજાતિઓના સાપ

વિશ્વભરમાં વન્યજીવો ઉપર નવી નવી પ્રજાતિઓ સંશોધન વન્ય અનેક પ્રાણીશાસ્ત્રી (વૈજ્ઞાનિક) સંશોધન કરી વૈજ્ઞાનિક પધ્ધતીઓ વન્યજીવ સંશોધન કરાઈ રહ્યા છે આવું જ એક વૈજ્ઞાનિક દૃષ્ટિએ ભારતના વૈજ્ઞાનિક દૃષ્ટિએ ભારતમાં ફરી નવી નવી વન્યજીવો રહેલ વર્ણ ઉલ્લેખનીય વધુ એક પ્રજાતિ એવી વધુ એક પ્રજાતિ શોધી કઢાઈ છે  ગુજરાત રાજ્યમાં સરીસૃપ લગભગ 200 વર્ષથી રહી આવી ગૂઢ રહસ્ય હવે ઉકેલાઈ આવ્યો છે. સુરતના સંશોધક દિકાન્શ એસ. પરમાર અને પ્રાયસ સંસ્થા (Prayas Sanstha) ના સ્વયંસેવક મહુલ ઠાકુરે છેલ્લા લાંબા સમયથી પશ્ચિમી ઘાટનો બ્રોનઝબેક (Dendrelaphis chairecacos) પ્રજાતિની ઓળખ પુનઃ રિસર્ચ પેપર થકી માન્યતા મળી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર લગભગ 200 વર્ષથી રહી આવી ગૂઠ્ઠી હવે ઉકેલાઈ ગયું છે. સુરતના દિકાન્શ એસ. પરમાર અને તેમની ટીમે પશ્ચિમી ઘાટનો બ્રોનઝબેક (Dendrelaphis chairecacos) પ્રજાતિને પુનઃ માન્ય બનાવ્યું છે. આ સાપ સો પ્રથમ વખત 1827માં શોધાઈ હતી, પરંતુ ઘણા સંશોધકો માનતા હતા કે આ માન્ય પ્રજાતિ નથી અને એ સામાન્ય બ્રોનઝબેક (Common Bronzeback) છે. અમુક સંશોધકોએ આને પશ્ચિમી ઘાટના બ્રોનઝબેક (Western Ghats Bronzeback) તરીકે ઓળખવાનો પ્રયાસ કર્યો, પરંતુ અંતે લાંબા સમયથી ઉપરોક્ત સંશોધન કરાઈ રહ્યુ હતું.  જેને પરિણામો સુધી પહોંચવામાં કોઈને સફળતા મળી નહોતી હતી.

ત્યારે આ સંશોધન માટે, પ્રાણીશાસ્ત્રી દિકાન્શ એસ.પરમાર ધ્વારા ગોવા અને ગુજરાતના ડાંગ જિલ્લામાં જંગલ વિસ્તાર સહિત આ સાપ પર સંશોધન કર્યું હતું.ત્યાર પછી, તેમણે એક ટીમ બનાવી અને વધુ આ અંગે કામ હાથ ધરી હતી.

આ શોધ સાથે, ગુજરાત રાજ્ય અને ગોવામાંનવ એક નવો પ્રજાતિ મળ્યો છે. હાલમાં, ગુજરાત રાજ્યમાં 65 પહેલા પ્રજાતિઓના સાપો જોવા અને નોંધાયા હતા. હવે વધુ એક સાપની પ્રજાતિ નવો સાપ ઉમેરતા હવે રાજયમાં કુલ 65 થી વધીને 66 પ્રજાતિઓ હવે  થઈ છે.

ઉપરોક્ત સંશોધનમાં જુદી-જુદી ટીમ તથા મેમ્બરોનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.જેમાં દિકાન્શ એસ.પરમાર અને મહુલ ઠાકુરે ગુજરાતમાં કામ કર્યું હતું. તેમજ દિકાન્શ એસ. પરમાર અને અમૃત એસ. સિંહે ગોવામાં સાથે મળીને આ પ્રજાતિના સરીસૃપ (સાપ) અંગે વધુ નમૂનાઓ શોધ્યા હતા. તેમજ, એસ.આર.ગણેશે કેરાલામાં સંશોધન કર્યુ હતું.

આ સંશોધનમાં, ડેન્ડ્રેલાફિસ ચેરેકાકોસ એ કોલ્યુબ્રિડે પરિવારમાં સાપની એક પ્રજાતિ છે. આ પ્રજાતિ ભારતમાં જોવા મળે છે. Dendrelaphis chairecacos અને Dendrelaphis tristis (ભારતીય નમૂના) વચ્ચે 5.59-5.60% દ્રવતા અને ઇન્ટ્રાસ્પિસિફિક ફેરફાર 0.67% નોંધાયો છે. ડાંગમાં નવા રેકોર્ડ સાથે, પશ્ચિમી ઘાટની આ પ્રજાતિની આ શ્રેણી 350 કિમી (સતારા થી) વિસ્તરી છે.

પશ્ચિમી ઘાટનો બ્રોનઝબેક, સામાન્ય બ્રોનઝબેકની તુલનામાં થોડો લાલ-ભૂરો રંગ ધરાવે છે, અને તેનો શરીર અનોખા ક્રોસ બાર્સથી ઘેરાયેલો હોય છે, જે સામાન્ય બ્રોનઝબેકમાં જોવા મળતા નથી. આ સંશોધન વૈજ્ઞાનિક દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ છે અને ગુજરાત અને ગોવા માટે નવી પ્રજાતિની ઓળખ પ્રદાન કરે છે

ગુજરાતમાં પહેલ 65 પ્રજાતિઓ સાપો નોંધાઈ ચુક્યા છે.હવે સાપની વધુ એક નવા પ્રજાતિનો ઉમેરો થયો 

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *