નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સુખાબારી ગામે ફાયરિંગ બટ વિસ્તારમાં તારીખ 20 મી ડિસેમ્બર થી ૩૧મી જાન્યુઆરી સુધી પ્રવેશબંધી જાહેર કરાઈ

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સુખાબારી ગામે ફાયરિંગ બટ વિસ્તારમાં તારીખ 20 મી ડિસેમ્બર થી ૩૧મી જાન્યુઆરી સુધી પ્રવેશબંધી જાહેર કરાઈ

નવસારી પોલીસની ફાયરિંગ પ્રેક્ટિસ દરમિયાન ૪૩ દિવસ માટે રાહદારીઓના પ્રવેશ પર પ્રતિબંધ જાહેર:ગોળીબાર કે અશ્રુવાયુના અભ્યાસ દરમિયાન ઈજા ન થાય તે માટે જાહેર જનતાએ સાવચેત રહેવું

આવતીકાલથી એટલે કે તા. ૨૦-૧૨-૨૦૨૪ થી નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સુખાબારી ગામ સ્થિત ફાયરીંગ બટ ખાતે નવસારી પોલીસ દ્વારા ફાયરિંગ પ્રેક્ટિસ યોજાશે. જેના કારણે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી વાય. બી. ઝાલાએ જાહેરનામું પ્રસિદ્ધ કરીને આ વિસ્તારમાં રાહદારીઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

જાહેરનામા અંતર્ગત ફાયરિંગ પ્રેક્ટિસ દરમિયાન સુખાબારી ગામ સ્થિત ફાયરીંગ બટના વિસ્તારમાં આજુબાજુના રહીશો તેમજ બહારના કોઈ અનઅધિકૃત વ્યક્તિઓ આ જમીનની હદ વિસ્તારમાં પ્રવેશ કરવા અથવા હદમાં ફરવા કે ઢોર-ઢાંખરને પ્રવેશ આપવા માટે મનાઈ ફરમાવવામાં આવી છે. તા. ૨૦-૧૨-૨૦૨૪ થી તા. ૩૧-૦૧-૨૦૨૫ ના સમયગાળા દરમિયાન સવારે ૬ કલાકથી સાંજે ૬ કલાક સુધી અથવા કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી એટલે કે ૪૩ દિવસ માટે ઉક્ત વિસ્તારમાં પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. આ સાથે જ ગોળીબાર તથા અશ્રુવાયુના અભ્યાસ દરમિયાન ઈજા ન થાય તે માટે જાહેર જનતાને સાવચેત રહેવા જણાવાયું છે.

આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૫ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *