એક જ સપ્તાહમાં નવસારી કૃષિ યુનિવર્સિટીને મળ્યું બીજું રાષ્ટ્રીય સન્માન :“જળ સંરક્ષણ” અભિયાન હેઠળ કુલપતિ ડો. ઝેડ. પી. પટેલને “જળ પ્રહરી સન્માન” પ્રાપ્ત થયું

એક જ સપ્તાહમાં નવસારી કૃષિ યુનિવર્સિટીને મળ્યું બીજું રાષ્ટ્રીય સન્માન :“જળ સંરક્ષણ” અભિયાન હેઠળ કુલપતિ ડો. ઝેડ. પી. પટેલને “જળ પ્રહરી સન્માન” પ્રાપ્ત થયું

નવસારી સંસદીય મતક્ષેત્રના લોકલાડીલા સાંસદ અને ભારત સરકારના જળ શક્તિ મંત્રાલયના માનનીય કેન્દ્રીય કેબીનેટ મંત્રી સી. આર. પાટીલના માર્ગદર્શન હેઠળ નવી દિલ્હી ખાતે આયોજીત વરસાદી પાણીનું જળસંચય માટે ઉમદા કામગીરીઓ કરનારાઓને લોકો તેમજ સામાજિક સંસ્થાઓ તથા શૈક્ષણિક સંસ્થાઓ સન્માનિત કરવાનો સમારોહ યોજાવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં દેશની અગ્રીમ પંક્તિની નવસારી કૃષિ યુનિવર્સિટીના યશસ્વી કુલપતિ ડો. ઝેડ. પી. પટેલને વરસાદી પાણીના સંરક્ષણ માટે કરેલા અથાગ પ્રયત્નો બદલ “જળ પ્રહરી સન્માન” થી સન્માનિત કરાયા હતા.

જળ શક્તિ મંત્રાલયના નેજા હેઠળના આ વિશિષ્ટ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજ્ભુષણ ચૌધરી,રવનીત સીંઘ બિટ્ટુ અને અન્ય મહાનુભાવોની હાજરીમાં આ સન્માન એનાયત કરતા નવસારી કૃષિ યુનિવર્સિટીએ જળ સંચય અને સંરક્ષણ ક્ષેત્રે કરેલા અદ્ભુત પ્રયાસોને રાષ્ટ્રીય ઓળખ મળી છે. નોંધનીય છે કે હજુ ૧૩ ડિસેમ્બરે જ આસામના ગૌહાટી ખાતે યોજાયેલ ડીજીટલ ટ્રાંસફોર્મેશન કોન્કલેવમાં, તેઓના માર્ગદર્શન હેઠળ વિકસાવાયેલ “એગ્રીકલ્ચરલ એક્ષ્પેરીમેન્ટ મોનીટરીંગ સીસ્ટમ” એપ્લીકેશન બદલ “ડીજીટલ ટ્રાંસફોર્મેશન નેશનલ એવોર્ડ” યુનિવર્સિટીને એનાયત થયો હતો. આમ, એક જ સપ્તાહમાં કૃષિ યુનિવર્સિટીએ બીજું રાષ્ટ્રીય સન્માન મેળવતા સર્વત્ર આનંદ અને ગર્વની લાગણી વ્યાપી ગઈ છે.

ડો. ઝીણાભાઈ પી. પટેલે યુનિવર્સિટીના ૧૦૦૦ એકરના ફાર્મમાં ૮ જેટલા તળાવોને ઊંડા કરાવવામાં અંગત રસ લઈને યુનિવર્સિટીના જળ અને જમીન વ્યવસ્થાપન સંશોધન એકમના વૈજ્ઞાનિકો સાથે તાલમેલ સાધી વરસાદી પાણી વહી જતું અને વ્યર્થ જતું અટકાવવા પગલા લીધા છે. તેઓએ જમીન સુધારણા અને જળ સંચય અને સંરક્ષણ માટે ૯×૯ ફૂટનો પરકોલેશન પીટ શોષક ખાડો બનાવીને ૫ બોર કરીને ફિલ્ટર લગાવીને નવસારી પંથકમાં થતી અનરાધાર વરસાદની હેલીના અંદાજે ૨૫ લાખ લીટર પાણીને બરબાદ થતું બચાવીને, જમીનમાં ઉતારીને, જમીનના પાણીના સ્તર ઊંચા લાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ૪૦ જેટલા ટ્યુબ વેલ ધરવતા કેમ્પસમાં ભૂગર્ભ જળ સ્તર સુધારણા અને વરસાદી જળ સંચય અને સંરક્ષણ દ્વારા સિંચાઈ માટે યોગ્ય પાણીની ઉપલબ્ધતા પણ વધી છે. ડો. ઝેડ. પી. પટેલે આગામી સમયમાં આ અભિયાનને વધુ વેગવંતુ બનાવવાની નેમ જાહેર કરવા સાથે આ ઉમદા કાર્ય અને સિદ્ધિ માટે યુનિવર્સિટીના જળ અને જમીન વ્યવસ્થાપન સંશોધન એકમના વડા ડો. વિકાસ આર. નાયક અને તેઓની સમર્પિત ટીમના સભ્યોના અથાક પ્રયાસો અને મહેનતને હૃદયથી બિરદાવી હતી.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *