શ્રી શ્રીજી સ્વામિનારાયણ શાળા વલોટીમાં( નઈ સોચ,નઈ ઉડાન,નયા ભારત) થીમ અંતર્ગત વાર્ષિકોત્સવ યોજાયો

શ્રી શ્રીજી સ્વામિનારાયણ શાળા વલોટીમાં( નઈ સોચ,નઈ ઉડાન,નયા ભારત) થીમ અંતર્ગત વાર્ષિકોત્સવ યોજાયો

શાળાના 1100 જેટલા વિદ્યાર્થીઓની 37 જેટલી રંગારંગ કૃતિઓએ આકર્ષણ જમાવ્યું 

શ્રી શ્યામ સુંદર આશ્રમ સંચાલિત સીબીએસસી ઈંગ્લીશ મીડીયમ શ્રી શ્રીજી સ્વામિનારાયણ શાળા નો વાર્ષિકોત્સવ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નઈ સોચ,નઈ ઉડાન,નયા ભારત ની થીમ સાથે રંગબેરંગી રોશની, સંગીત ની સુરાવલી વચ્ચે દેશ ભક્તિ ગીત, ડાન્સની ૧૦ સાંસ્કૃતિક કૃતિઓ મનમોહક બની હતી. જેમાં ગણેશ અને નવદુર્ગા સ્તુતિ,પ્રિ પ્રાયમરી વિભાગ ના બાળ ભૂલકાં ની સ્કૂલ ચલે હમ જેવી સાત કૃતિઓ તેમજ કળિયુગ ,રામાયણ જેવા વિવિધ વિષયો ને આવરી લેતી ૨૭ કૃતિ મળી કુલ ૩૭ સંગીતમય કૃતિઓ એ રંગ જમાવ્યો હતો. મોટી સંખ્યામાં વાલી વિદ્યાર્થીઓ ના ભવ્ય પરફોર્મન્સ નિહાળ્યો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓ એ છટાદાર સ્પષ્ટ અંગ્રેજી નો પરિચય કરાવ્યો હતો.

કાર્યક્રમમાં આવેલ સંતો એ સંસ્કૃતિ ના જતન સાથે શિક્ષણ ની જ્યોત જગાવનારા શાળા ના મેનેજીંગ ટ્રસ્ટી હરિ સેવક સ્વામી ને બિરદાવ્યા હતા. તે સાથે પ્રાચીન ગુરુકુળ ની પરંપરા ને યાદ કરી હતી. આચાર્ય સુરેશ મિશ્રા એ શાળા શિક્ષણ નો ચિતાર રજૂ કર્યો હતો. આ પ્રસંગે આનંદ સ્વરૂપ સ્વામી (વડિયા), સંત સ્વામી (ભિલાડ), માધવ સ્વામી(નાશિક), અજય સ્વામી (નાસિક) અને કેશવ મુરલી સ્વામી (વાપી) સહિત સંતો, મહંતો અને સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. શાળા પરીવાર એ વાર્ષિકોત્સવ યાદગાર બનાવ્યો હતો.સમગ્ર કાર્યક્રમ દરમ્યાન વિદ્યાર્થીઓ એ શિષ્ટ અને સંસ્કાર ના દર્શન સાથે ભારતીય પરંપરા જીવંત બનાવી હતી.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *