નમ્યુકો એટલે સેવા – સુવિધા – સહકાર:નવસારી મહાનગર પાલિકાના નવી ઓળખ સમા લોગોનું અનાવરણ કરતા કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ
- Local News
- January 18, 2025
- No Comment
કેન્દ્રીય જળ મંત્રી સી આર પાટીલે આજે નવસારી મહાનગર પાલિકાના લોગોનું અનાવરણ કરીને નવસારીને નવી ઓળખ આપી હતી તેમજ નવસારી મહાનગરવાસીઓને સ્વચ્છતાની ભેટ આપી હતી.
કેન્દ્રીય જળશકિત મંત્રી સી. આર. પાટીલે નવસારી મહાનગર પાલિકામાં સ્વચ્છતા માટેની માળખાકીય સુવિધામાં વધારો થાય તે માટે ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન માટે ૧૩ મોટા વાહન અને ૮ ટ્રેક્ટર-ટ્રેલરનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે જ શ્રી પાટીલે નવસારી જિલ્લાની જાહેર આરોગ્ય સુખાકારીમાં વધારો થાય તે માટે પાંચ અત્યાધુનિક એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું હતું.
નવસારીના સાંસદ સી. આર. પાટીલે નવસારી મહાનગરના સર્વાંગી વિકાસ માટે, શહેરને પાયાની માળખાકીય સુવિધાઓ અને વહીવટ સુવિધાઓ પ્રદાન કરવા માટે નવસારી મહાનગર પાલિકાના કમિશનર દેવ ચૌધરી સહિત ઉચ્ચ અધિકારીઓને જરૂરી સૂચનો સહ પ્રેરણાદાયી માર્ગદર્શન આપી મહત્વની ચર્ચા કરી હતી.
આ પ્રસંગે નવસારી મહાનગર પાલિકાના કમિશનર દેવ ચૌધરી, જિલ્લા કલેક્ટર અને એન.એમ.સી.ના વહીવટદાર ક્ષિપ્રા આગ્રે, ધારાસભ્ય નરેશ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ,અગ્રણી ભૂરાભાઈ શાહ, ડીડીઓ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ નવસારીના પ્રાંત અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે ‘સ્વચ્છ નવસારી મહાનગર’ માટે ૨૧ વાહનોનું લોકાર્પણ કર્યું: નવસારી જિલ્લા માટે પાંચ અત્યાધુનિક એમ્બ્યુલન્સનું પણ લોકાર્પણ કર્યું