સંસ્કારી નગરી નવસારીમાં ૧૦૮ કુંડીય સંવર્ધન ગાયત્રી મહાયજ્ઞ વિશ્વ યુવા પ્રેરણા સ્ત્રોત ડો. ચિન્મય પંડયાજી વિશેષ ઉપસ્થિત રહેશે 

સંસ્કારી નગરી નવસારીમાં ૧૦૮ કુંડીય સંવર્ધન ગાયત્રી મહાયજ્ઞ વિશ્વ યુવા પ્રેરણા સ્ત્રોત ડો. ચિન્મય પંડયાજી વિશેષ ઉપસ્થિત રહેશે 

નવસારી શહેરના વિવિધ માર્ગ ઉપર ૨૨ જાન્યુઆરીએ શોભા કળશયાત્રા ફરશે 

 

૧૯૮૨ થી સમગ્ર નવસારીમાં આધ્યાત્મિક ચેતના કેન્દ્ર બનેલા ગાયત્રી શકિતપીઠ નવસારી દ્વારા આગામી તા.૨૨ થી ૨૫ જાન્યુઆરી-૧૦૮ કુંડીય શકિત સંવર્ધન ગાયત્રી મહાયજ્ઞ યોજાશે. આ દરમિયાન વિશ્વ યુવા પ્રેરણા સ્ત્રોત ડો. ચિન્મય પંડયાજી તા.૨૩ જાન્યુઆરીને ગુરુવારે નવસારી ખાતે સવારે ૧૧-૦૦ કલાકે ઉપસ્થિત રહેશે.

ગાયત્રી ઉપઝોન નવસારી સંયોજક હિતેન્દ્રભાઇ દેસાઇ જણાવે છે કે, આ મહાયજ્ઞની વિશેષ શોભાયાત્રા કળશ યાત્રા તા.૨૨ જાન્યુઆરી ના રોજ બપોરે ૧૨-૩૦ થી ગાયત્રી શકિતપીઠ થઇ સ્વપ્ન લોક સોસાયટી, કાલિયાવાડી ખાતે પહોંચશે. રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ અને ભજન સંધ્યા કાર્યક્રમ યોજાશે. આ સમગ્ર આયોજનમાં સવાર-સાંજ મહાપ્રસાદ સહિત વિવિધ પૂજન થશે.તા.૨૩ મી જાન્યુઆરી સવારે ૮-૩૦ કલાકે ડો.ચિન્મય પંડયાજી વલસાડ તથા સવારે ૧૧-૦૦ કલાકે સ્વપ્નલોક સોસાયટી યજ્ઞ સ્થળે પધારી આશીર્વચન આપશે.

Related post

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:  441 જેટલા ક્રિકેટ ખેલાડીઓ માંથી 8 ટીમ માટે 120 જેટલા ખેલાડીઓની થશે પસંદગી, દરેક ટીમને 2 લાખ પોઇન્ટ્સ ફાળવાયા

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:…

નવસારી શહેરમાં આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર નવસારી પ્રીમિયર લીગ (એનપીએલ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ…
આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું:હિટ વેવની આગાહીના પગલે નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું…

ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુ પક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક…
નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ૫૯ જુના શિક્ષકોને નિમણૂંક ઓર્ડરો એનાયત કરાયા

નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં…

ગુજરાત રાજ્ય કક્ષાએ જુના શિક્ષકોની ભરતી માટેની ઓનલાઈન પ્રક્રિયા કાર્યરત થઈ હતી. આ પ્રક્રિયા જુદા જુદા તબક્કાઓ પૂર્ણ કરી અંતિમ તબક્કામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *