નવસારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના મન કી બાત ના કાર્યક્રમ નું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું

નવસારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના મન કી બાત ના કાર્યક્રમ નું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષમાં પ્રથમ વખત મન કી બાત કરી છે. 118 મી વખત મન કી બાતમાં વડાપ્રધાનએ દેશવાસીઓને સંબોધિત કર્યુ છે. ત્યારે નવસારી શહેર ખાતે આદિજાતિ શ્રમ અને રોજગાર ગ્ર્રામવિકાસ મંત્રી કુવરજી હળપતિ સહિત ભાજપા અગ્રણીઓ અને અન્ય કાર્યકર્તાઓ સાથે મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો છે. મન કી બાતમાં દેશવાસીઓને સંબોધતા પીએમ મોદીએ મહાકુંભના આયોજનને ઐતિહાસિક ગણાવ્યું અને સ્પેસ ડોકીંગમાં સફળતા મેળવવા બદલ ઈસરોને અભિનંદન આપ્યા છે. દેશવાસીઓને બંધારણ દિવસની શુભેચ્છા પણ પાઠવી હતી.

 

નવસારી શહેરમાં બી આર ફાર્મ ખાતે મન કી બાત કાર્યકામનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. મન કી બાતનો કાર્યક્રમ દર મહિનાના છેલ્લા રવિવારે યોજાય છે પરંતુ આ વર્ષે પ્રજાસત્તાક દિવસ છેલ્લા રવિવારે હોવાથી, મન કી બાતનો કાર્યક્રમ આજ રોજ યોજાયો હતો. પીએમ મોદીએ કહ્યું, “આ વખતનો પ્રજાસત્તાક દિવસ ખૂબ જ ખાસ છે. આ વર્ષે બંધારણના અમલીકરણની 75મી વર્ષગાંઠ છે. હું બંધારણ સભાના તે તમામ હસ્તીઓને નમન કરું છું જેમણે આપણને આપણું પવિત્ર બંધારણ આપ્યું છે. પીએમ મોદીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ પર કહ્યું કે, ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ 25 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. ચૂંટણી પંચે આપણી મતદાન પ્રક્રિયાને સતત આધુનિક અને મજબૂત કરી લોકશાહીને સશક્ત બની છે.

આમ પીએમ મોદીએ મહાકુંભના આયોજનને ઐતિહાસિક ઘટના ગણાવી અને સ્પેસ ડોકીંગમાં સફળતા મેળવવા બદલ ઈસરોને અભિનંદન આપ્યા છે. આ પ્રસંગે આદિજાતિ શ્રમ અને રોજગાર ગ્રમવિકાસ મંત્રી કુવરજી હળપતિ ઉપસ્થિત રહ્યા હતા. નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભુરાભાઈ શાહ ,જિલ્લાના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, આર સી પટેલ, નરેશભાઈ પટેલ, મન કી બાત ના દક્ષિણ ગુજરાતના ઇન્ચાર્જ જગદીશભાઈ પારેખ, મધુભાઈ કથીરિયા ,મન કી બાત ના નવસારી જિલ્લા ઇનચાર્જ ડો.લોચન શાસ્ત્રી સાથે ભાજપા અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા .

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *