નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ૫૯ જુના શિક્ષકોને નિમણૂંક ઓર્ડરો એનાયત કરાયા

નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ૫૯ જુના શિક્ષકોને નિમણૂંક ઓર્ડરો એનાયત કરાયા

ગુજરાત રાજ્ય કક્ષાએ જુના શિક્ષકોની ભરતી માટેની ઓનલાઈન પ્રક્રિયા કાર્યરત થઈ હતી. આ પ્રક્રિયા જુદા જુદા તબક્કાઓ પૂર્ણ કરી અંતિમ તબક્કામાં પહોચતા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ અધિકારી કચેરી હસ્તક નિમણૂક થયેલ ઉમેદવારોને હુકમો એનાયત કરવામાં આવ્યા હતા. તાજેતરમાં સમગ્ર રાજ્યમાં જિલ્લા કક્ષાએ કેમ્પનું આયોજન કરી જુના શિક્ષકોને નિમણૂક ઓર્ડરો એનાયત કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

નવસારી જિલ્લામાં શિક્ષણ વિભાગના આદેશ પ્રમાણે તારીખ ૦૯ માર્ચ-૨૦૨૫ના રોજ જિલ્લા શિક્ષણ અધિકારી જયેશભાઈ ચૌધરી તેમજ સમગ્ર શિક્ષણ અધિકારીના વહીવટી સ્ટાફ દ્વારા નવસારી જિલ્લામાં જુના શિક્ષક તરીકે પસંદગી પામેલ ઉમેદવારોને નિમણૂક હુકમ આપવા અને વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે સંચાલક મંડળને ભલામણ પત્ર એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

સમગ્ર પ્રક્રિયામાં સંચાલક મંડળો તેમજ આચાર્યની ઉપસ્થિતિમાં નવસારી જિલ્લા આચાર્ય સંઘ તેમજ માધ્યમિક શિક્ષક સંઘ ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ અને વહીવટી સંઘના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં જિલ્લામાં પસંદ થયેલા માધ્યમિક વિભાગના ૧૯ તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગના ૫૯ આમ કુલ ૭૮ ઉમેદવારોને નિમણૂંક  હુકમ એનાયત કરવામાં આવ્યા હતા. ટૂંક સમયમાં જ નિમણૂંક  પામેલા ઉમેદવારો પોતાની સંસ્થામાંથી છુટા થઈ નવી સંસ્થામાં કાર્યરત થશે આમ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના પ્રથમ તબક્કામાં જુના શિક્ષકોની ભરતી પ્રક્રિયા નવસારી જિલ્લા ખાતે શાંતિપૂર્ણ માહોલમાં અને સુચારુ રૂપ સંપન્ન થઈ હતી.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *