“વિશ્વ પુસ્તક દિન” નાં દિવસે નવસારીની સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય ખાતે “વેકેશન વાચનોત્સવ” નો શુભારંભ

“વિશ્વ પુસ્તક દિન” નાં દિવસે નવસારીની સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય ખાતે “વેકેશન વાચનોત્સવ” નો શુભારંભ

નવસારીની સયાજી વૈભવ લાઈબ્રેરી નામ મુજબ વૈભવશાળી પ્રોજેક્ટ હાથ ધરવા માટે પ્રખ્યાત છે. ગુજરાતમાં એવું એક પણ પુસ્તકાલય નથી જે બાળકો ,પુસ્તકપ્રેમીઓ, પર્યાવરણ પ્રેમીઓ માટે વિવધ કાર્યક્રમોનું આયોજન કરતું હોય. બાળકોનો સર્વાંગી વિકાસ કરતા વર્કશોપનું આયોજન એટલે “વેકેશન વાચનોત્સવ”.સયાજી વૈભવ 2008 થી આ પ્રણાલી આગળ ધપાવી રહી છે.

 

જે માટે સંસ્થાના આગેવાનો, કાર્યકરો, નવસારીનાં પુસ્તક પ્રેમીઓ બાળકોનો ઉત્સાહ ,તજજ્ઞોની નિઃસ્વાર્થભાવે સેવાનો ફાળો અતિ મહત્ત્વનો સ્વ.મહાદેવ ભાઈ દેસાઈનાં ફાળાને કેમ કરી ભુલાય ! 23 એપ્રિલ બુધવારે વેકેશન વાંચનોત્સવનું ઉદ્ઘાટન પ્રોફેસર, લેખક, નાટ્યકાર શ્રી વિજયભાઈ સેવકનાં હસ્તે કરવામાં આવ્યું હતું.દીપ પ્રાગટયમાં અતિથિ વિજયભાઈ સાથે કોષાધ્યક્ષ દીપકભાઈ પરીખ, બાળકો,માધવીબેન શાહ, પ્રશાંત પારેખ જોડાયા હતા.ટ્રસ્ટી જયપ્રકાશભાઈ મહેતા દ્વારા પુસ્તક આપી વિજયભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું.તેમજ 45 દિવસ ચાલનારા સૌથી મોટા ઉત્સવમાં 137 જેટલા બાળકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

જે સરાહનીય બાબત છે. પ્રમુખ પ્રશાંત પારેખે સ્વાગત વિધીમાં પોતાના આશીવચનો કહ્યા હતા. માનદમંત્રી માધવીબેન શાહે 45 દિવસ ચાલનારા વર્કશોપ તેમજ તજજ્ઞો વિશે વિસ્તૃત માહિતી આપી હતી.કાર્યક્રમનું સંચાલન યશશ્રી રરાવીકરે કર્યું હતું.અતિથિ વિજયભાઈ સેવકનો પરિચય નાનકડી પ્રાંજલ ઉનડકતે આપી હાજર સૌના હૃદય જીત્યા હતા.આભારવિધિ દેવાંશી રંગુનવાલાએ વ્યક્ત કરી હતી.મોટી સંખ્યામાં બાળકો તેમજ વાલીઓ હાજર રહ્યા હતા.હાજર બાળકોને ભેટરૂપે પ્લાન્ટ આપી બાળકોનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *