“વિશ્વ પુસ્તક દિન” નાં દિવસે નવસારીની સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય ખાતે “વેકેશન વાચનોત્સવ” નો શુભારંભ

“વિશ્વ પુસ્તક દિન” નાં દિવસે નવસારીની સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય ખાતે “વેકેશન વાચનોત્સવ” નો શુભારંભ

નવસારીની સયાજી વૈભવ લાઈબ્રેરી નામ મુજબ વૈભવશાળી પ્રોજેક્ટ હાથ ધરવા માટે પ્રખ્યાત છે. ગુજરાતમાં એવું એક પણ પુસ્તકાલય નથી જે બાળકો ,પુસ્તકપ્રેમીઓ, પર્યાવરણ પ્રેમીઓ માટે વિવધ કાર્યક્રમોનું આયોજન કરતું હોય. બાળકોનો સર્વાંગી વિકાસ કરતા વર્કશોપનું આયોજન એટલે “વેકેશન વાચનોત્સવ”.સયાજી વૈભવ 2008 થી આ પ્રણાલી આગળ ધપાવી રહી છે.

 

જે માટે સંસ્થાના આગેવાનો, કાર્યકરો, નવસારીનાં પુસ્તક પ્રેમીઓ બાળકોનો ઉત્સાહ ,તજજ્ઞોની નિઃસ્વાર્થભાવે સેવાનો ફાળો અતિ મહત્ત્વનો સ્વ.મહાદેવ ભાઈ દેસાઈનાં ફાળાને કેમ કરી ભુલાય ! 23 એપ્રિલ બુધવારે વેકેશન વાંચનોત્સવનું ઉદ્ઘાટન પ્રોફેસર, લેખક, નાટ્યકાર શ્રી વિજયભાઈ સેવકનાં હસ્તે કરવામાં આવ્યું હતું.દીપ પ્રાગટયમાં અતિથિ વિજયભાઈ સાથે કોષાધ્યક્ષ દીપકભાઈ પરીખ, બાળકો,માધવીબેન શાહ, પ્રશાંત પારેખ જોડાયા હતા.ટ્રસ્ટી જયપ્રકાશભાઈ મહેતા દ્વારા પુસ્તક આપી વિજયભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું.તેમજ 45 દિવસ ચાલનારા સૌથી મોટા ઉત્સવમાં 137 જેટલા બાળકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

જે સરાહનીય બાબત છે. પ્રમુખ પ્રશાંત પારેખે સ્વાગત વિધીમાં પોતાના આશીવચનો કહ્યા હતા. માનદમંત્રી માધવીબેન શાહે 45 દિવસ ચાલનારા વર્કશોપ તેમજ તજજ્ઞો વિશે વિસ્તૃત માહિતી આપી હતી.કાર્યક્રમનું સંચાલન યશશ્રી રરાવીકરે કર્યું હતું.અતિથિ વિજયભાઈ સેવકનો પરિચય નાનકડી પ્રાંજલ ઉનડકતે આપી હાજર સૌના હૃદય જીત્યા હતા.આભારવિધિ દેવાંશી રંગુનવાલાએ વ્યક્ત કરી હતી.મોટી સંખ્યામાં બાળકો તેમજ વાલીઓ હાજર રહ્યા હતા.હાજર બાળકોને ભેટરૂપે પ્લાન્ટ આપી બાળકોનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *