ગુજરાતના 15 જિલ્લાઓમાં સિવિલ મોકડ્રીલ યોજાશે: યુદ્ધમાં બચાવની ટ્રેનિંગ આપવામાં આવશે: આવતીકાલે સાયરન વાગે તો જાણો શું કરવું

ગુજરાતના 15 જિલ્લાઓમાં સિવિલ મોકડ્રીલ યોજાશે: યુદ્ધમાં બચાવની ટ્રેનિંગ આપવામાં આવશે: આવતીકાલે સાયરન વાગે તો જાણો શું કરવું

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોકડ્રીલનો આદેશ આપ્યો છે. કાર્યક્રમ અંતર્ગત આવતીકાલે 7 મેના રોજ ગુજરાતના 15 જિલ્લાઓમાં સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાશે. પહેલગામ આતંકવાદી હુમલાબાદ  ભારત-પાકિસ્તાન વચ્ચેના વધતા તણાવને પગલે કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં 244 સંવેદનશીલ જિલ્લાઓમાં આ મોકડ્રીલ યોજવા આદેશ આપ્યો છે.

આ જિલ્લાઓ ભારત-પાકિસ્તાન સરહદ સાથે જોડાયેલા છે, જેમાં જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાન,ગુજરાત અને પંજાબ જેવા રાજ્યોના જિલ્લાઓનો સમાવેશ થાય છે. તે જ સમયે, કેટલાક સંવેદનશીલ શહેરો છે જેને નાગરિક સંરક્ષણ જિલ્લાઓમાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે. નાગરિક સંરક્ષણના ઉદ્દેશ્યો જીવન બચાવવા, સંપત્તિનું નુકસાન ઓછું કરવા, ઉત્પાદનનું સાતત્ય જાળવવા અને લોકોનું મનોબળ ઊંચું રાખવાનો છે.નાગરિક સંરક્ષણના ઉદ્દેશ્યો જીવન બચાવવા, સંપત્તિનું નુકસાન ઓછું કરવા, ઉત્પાદનનું સાતત્ય જાળવવા અને લોકોનું મનોબળ ઊંચું રાખવાનો છે.

મોકડ્રીલના આયોજન માટે આજે કેન્દ્રીય ગૃહ સચિવની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાશે જેમાં ગાંધીનગરથી મુખ્ય સચિવ વિડિઓ મારફતે જોડાશે. મુખ્ય સચિવ અને વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.

આ મોકડ્રીલનો ઉદ્દેશ નાગરિક સંરક્ષણ માટે જનતા અને તંત્રની તૈયારીને ચકાસવો અને વધારવો છે. મોકડ્રીલ દરમિયાન નાગરિકોને હુમલા સમયે બચાવ અંગે તાલીમ આપવામાં આવશે. દેશમાં છેલ્લી મોકડ્રીલ 1971માં યોજાઇ હતી.

ગુજરાતના 15 જિલ્લામાં હાથ ધરાશે મોકડ્રીલ:

મોકડ્રીલ દરમિયાન જાહેરને આપેલી સલાહ:

સાયરન વાગે ત્યારે ગભરાવાનું નહીં

તાત્કાલિક સલામત સ્થળે ખસવું

ખુલ્લા સ્થળોથી દૂર રહો

ઘરો અથવા સુરક્ષિત ઇમારતોમાં જવું

સરકારની સૂચનાઓ અને ચેતવણીઓ પર ધ્યાન આપો

અફવાઓથી બચો, અધિકારીઓના આદેશોનું પાલન કરો

સાયરન ક્યાં લગાવવામાં આવશે?

સરકારી મકાનો, પોલીસ મુખ્યાલય, ફાયર સ્ટેશન, લશ્કરી થાણાઓ, મોટા બજાર વિસ્તાર અને પિંચ પોઈન્ટ્સ.

મોકડ્રીલમાં કોણ કોણ ભાગ લેશે?

જિલ્લા મેજિસ્ટ્રેટ, સ્થાનિક વહીવટ, સિવિલ ડિફેન્સ વોર્ડન, પોલીસમેન, હોમગાર્ડ્સ, કોલેજ-સ્કૂલનો વિદ્યાર્થી, રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સ (NCC), રાષ્ટ્રીય સેવા યોજના (NSS) તથા નેહરુ યુવા કેન્દ્ર સંગઠન (NYKS)

Related post

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું સન્માન, પરિમલ નથવાણીએ વિકાસ માટે સૌને એક થવાનો સંદેશ આપ્યો

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું…

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન (NMA) દ્વારા ચાર પેઢીથી હીરા ઉદ્યોગમાં અગ્રેસર અને વિશ્વપ્રસિદ્ધ મહેન્દ્ર બ્રધર્સના મેનેજિંગ ડિરેક્ટર મિલન પરીખનું શ્રેષ્ઠ ઉદ્યોગપતિ તરીકે…
25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને કટોકટીમાં નવસારીનો સંઘર્ષની સંપૂર્ણ કહાની

25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને…

25 જૂન 1975: જ્યારે દેશમાં લાગુ થઈ ઇમરજન્સી, ભારતીય લોકશાહીનો સૌથી વિવાદાસ્પદ અધ્યાય 25 જૂન, 1975નો દિવસ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સૌથી…
‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *