ગુજરાતના 15 જિલ્લાઓમાં સિવિલ મોકડ્રીલ યોજાશે: યુદ્ધમાં બચાવની ટ્રેનિંગ આપવામાં આવશે: આવતીકાલે સાયરન વાગે તો જાણો શું કરવું

ગુજરાતના 15 જિલ્લાઓમાં સિવિલ મોકડ્રીલ યોજાશે: યુદ્ધમાં બચાવની ટ્રેનિંગ આપવામાં આવશે: આવતીકાલે સાયરન વાગે તો જાણો શું કરવું

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોકડ્રીલનો આદેશ આપ્યો છે. કાર્યક્રમ અંતર્ગત આવતીકાલે 7 મેના રોજ ગુજરાતના 15 જિલ્લાઓમાં સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાશે. પહેલગામ આતંકવાદી હુમલાબાદ  ભારત-પાકિસ્તાન વચ્ચેના વધતા તણાવને પગલે કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં 244 સંવેદનશીલ જિલ્લાઓમાં આ મોકડ્રીલ યોજવા આદેશ આપ્યો છે.

આ જિલ્લાઓ ભારત-પાકિસ્તાન સરહદ સાથે જોડાયેલા છે, જેમાં જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાન,ગુજરાત અને પંજાબ જેવા રાજ્યોના જિલ્લાઓનો સમાવેશ થાય છે. તે જ સમયે, કેટલાક સંવેદનશીલ શહેરો છે જેને નાગરિક સંરક્ષણ જિલ્લાઓમાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે. નાગરિક સંરક્ષણના ઉદ્દેશ્યો જીવન બચાવવા, સંપત્તિનું નુકસાન ઓછું કરવા, ઉત્પાદનનું સાતત્ય જાળવવા અને લોકોનું મનોબળ ઊંચું રાખવાનો છે.નાગરિક સંરક્ષણના ઉદ્દેશ્યો જીવન બચાવવા, સંપત્તિનું નુકસાન ઓછું કરવા, ઉત્પાદનનું સાતત્ય જાળવવા અને લોકોનું મનોબળ ઊંચું રાખવાનો છે.

મોકડ્રીલના આયોજન માટે આજે કેન્દ્રીય ગૃહ સચિવની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાશે જેમાં ગાંધીનગરથી મુખ્ય સચિવ વિડિઓ મારફતે જોડાશે. મુખ્ય સચિવ અને વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.

આ મોકડ્રીલનો ઉદ્દેશ નાગરિક સંરક્ષણ માટે જનતા અને તંત્રની તૈયારીને ચકાસવો અને વધારવો છે. મોકડ્રીલ દરમિયાન નાગરિકોને હુમલા સમયે બચાવ અંગે તાલીમ આપવામાં આવશે. દેશમાં છેલ્લી મોકડ્રીલ 1971માં યોજાઇ હતી.

ગુજરાતના 15 જિલ્લામાં હાથ ધરાશે મોકડ્રીલ:

મોકડ્રીલ દરમિયાન જાહેરને આપેલી સલાહ:

સાયરન વાગે ત્યારે ગભરાવાનું નહીં

તાત્કાલિક સલામત સ્થળે ખસવું

ખુલ્લા સ્થળોથી દૂર રહો

ઘરો અથવા સુરક્ષિત ઇમારતોમાં જવું

સરકારની સૂચનાઓ અને ચેતવણીઓ પર ધ્યાન આપો

અફવાઓથી બચો, અધિકારીઓના આદેશોનું પાલન કરો

સાયરન ક્યાં લગાવવામાં આવશે?

સરકારી મકાનો, પોલીસ મુખ્યાલય, ફાયર સ્ટેશન, લશ્કરી થાણાઓ, મોટા બજાર વિસ્તાર અને પિંચ પોઈન્ટ્સ.

મોકડ્રીલમાં કોણ કોણ ભાગ લેશે?

જિલ્લા મેજિસ્ટ્રેટ, સ્થાનિક વહીવટ, સિવિલ ડિફેન્સ વોર્ડન, પોલીસમેન, હોમગાર્ડ્સ, કોલેજ-સ્કૂલનો વિદ્યાર્થી, રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સ (NCC), રાષ્ટ્રીય સેવા યોજના (NSS) તથા નેહરુ યુવા કેન્દ્ર સંગઠન (NYKS)

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *