ભર ઉનાળે:કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ નવસારી જિલ્લાના બાગયાતદાર ખેડૂતો જોગ

ભર ઉનાળે:કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ નવસારી જિલ્લાના બાગયાતદાર ખેડૂતો જોગ

છેલ્લા કેટલા સમયથી વાતાવરણ અનિછનીય ફેરફાર કારણે બેવડી ઋતુનો  થઈ રહી છે. ક્યારેય ઠંડી, ઝાંકળ, કમોસમી વરસાદ તો વધુ પડી ગરમી પણ પડી રહી છે. આ બધાની વચ્ચે જગતનો તાત(ખેડૂત) દ્વારા સમયતરે જુદા જુદા ખેત ઉગાડી રહ્યો છે.

વાતાવરણ આવનારા અનિછનીય ફેરફાર તેમજ ગ્લોબલ વોર્મિંગ લઈ ખેડૂતોને ખેત પેદાશ ઓછી થવી અથવા ખેત ઉત્પાદન નુકસાન વેઠવાનો વારો ઉભો થઈ રહ્યો છે.ત્યારે ફરી એકવાર મૌસમ વિભાગ દ્વારા કમોસમી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે

રાજ્ય મોસમ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લાના છૂટા છવાયા વિસ્તારોમાં તા.૦૬-૦૫-૨૫ થી ૦૮-૦૫-૨૫ સુધી હળવાથી મધ્યમ કમોસમી વરસાદ પડવાની સંભાવના હોઈ આવા સમયે વાદળછાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોએ બાગાયતી પાકના રક્ષણ માટે નવસારી બાગાયત કચેરી દ્વારા તકેદારીના પગલાં લેવા ખેડુતોને સંદેશ આપવામાં આવ્યો છે.

કમોસમી વરસાદથી પાકને થતા નુક્સાનથી બચવા ખેતરમાં કાપણી/લણણી કરેલ બાગાયતી પાક ખુલ્લા હોઈ તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, ખુલ્લા પાકને તાડપત્રી/ પ્લાસ્ટીકથી યોગ્ય રીતે ઢાકિ દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું ,પપૈયા, કેળ, જામફળ જેવા ફળ પાકોમાં ટેકા આપવા તથા થડની આજુબાજુ માટી ચઢાવવી,પાક ઉપર જંતુનાશક દવાનો છંટકાવ અને ખાતરનો ઉપયોગ આ સમય દરમ્યાન ટાળવું, કમોસમી વરસાદ બાદ ફળ, ફુલ અને શાકભાજી પાકોમાં રોગ જીવાતનો ઉપદ્રવ વધવાની શક્યતા હોય જરૂર જણાય તો યોગ્ય નિયંત્રક પગલા લેવા તેમજ બગીચામાં સાફ સફાઈ રાખવી જેથી રોગ જીવાત માટે સાનુકૂળ વાતાવરણ ન બને, વરસાદી સમયગાળા દરમિયાન બાગાયતી પાકોમાં પિયત આપવાનું ટાળવું આ અંગે વધુ જાણકારી માટે ફોન નં. ૦૨૭૩૭-૨૮૧૮૫૮ પર સંપર્ક કરવાનું નાયબ બાગાયત નિયામકનવસારી દ્વારા જણાવાયું છે.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *