ભર ઉનાળે:કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ નવસારી જિલ્લાના બાગયાતદાર ખેડૂતો જોગ

ભર ઉનાળે:કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ નવસારી જિલ્લાના બાગયાતદાર ખેડૂતો જોગ

છેલ્લા કેટલા સમયથી વાતાવરણ અનિછનીય ફેરફાર કારણે બેવડી ઋતુનો  થઈ રહી છે. ક્યારેય ઠંડી, ઝાંકળ, કમોસમી વરસાદ તો વધુ પડી ગરમી પણ પડી રહી છે. આ બધાની વચ્ચે જગતનો તાત(ખેડૂત) દ્વારા સમયતરે જુદા જુદા ખેત ઉગાડી રહ્યો છે.

વાતાવરણ આવનારા અનિછનીય ફેરફાર તેમજ ગ્લોબલ વોર્મિંગ લઈ ખેડૂતોને ખેત પેદાશ ઓછી થવી અથવા ખેત ઉત્પાદન નુકસાન વેઠવાનો વારો ઉભો થઈ રહ્યો છે.ત્યારે ફરી એકવાર મૌસમ વિભાગ દ્વારા કમોસમી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે

રાજ્ય મોસમ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લાના છૂટા છવાયા વિસ્તારોમાં તા.૦૬-૦૫-૨૫ થી ૦૮-૦૫-૨૫ સુધી હળવાથી મધ્યમ કમોસમી વરસાદ પડવાની સંભાવના હોઈ આવા સમયે વાદળછાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોએ બાગાયતી પાકના રક્ષણ માટે નવસારી બાગાયત કચેરી દ્વારા તકેદારીના પગલાં લેવા ખેડુતોને સંદેશ આપવામાં આવ્યો છે.

કમોસમી વરસાદથી પાકને થતા નુક્સાનથી બચવા ખેતરમાં કાપણી/લણણી કરેલ બાગાયતી પાક ખુલ્લા હોઈ તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, ખુલ્લા પાકને તાડપત્રી/ પ્લાસ્ટીકથી યોગ્ય રીતે ઢાકિ દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું ,પપૈયા, કેળ, જામફળ જેવા ફળ પાકોમાં ટેકા આપવા તથા થડની આજુબાજુ માટી ચઢાવવી,પાક ઉપર જંતુનાશક દવાનો છંટકાવ અને ખાતરનો ઉપયોગ આ સમય દરમ્યાન ટાળવું, કમોસમી વરસાદ બાદ ફળ, ફુલ અને શાકભાજી પાકોમાં રોગ જીવાતનો ઉપદ્રવ વધવાની શક્યતા હોય જરૂર જણાય તો યોગ્ય નિયંત્રક પગલા લેવા તેમજ બગીચામાં સાફ સફાઈ રાખવી જેથી રોગ જીવાત માટે સાનુકૂળ વાતાવરણ ન બને, વરસાદી સમયગાળા દરમિયાન બાગાયતી પાકોમાં પિયત આપવાનું ટાળવું આ અંગે વધુ જાણકારી માટે ફોન નં. ૦૨૭૩૭-૨૮૧૮૫૮ પર સંપર્ક કરવાનું નાયબ બાગાયત નિયામકનવસારી દ્વારા જણાવાયું છે.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *