આખરે ભારતનો પ્રત્યાઘાત: ઓપરેશન સિંદૂર’થી આતંકવાદી ઠેકાણાઓ નષ્ટ: નવસારીના પૂર્વ સૈનિકોએ પહેલગામ હુમલાના જવાબને આવકાર્યો, દેશની સુરક્ષા માટે ફરી સેવા આપવા તૈયાર જુઓ વિડિઓ
- Local News
- May 7, 2025
- No Comment
પહેલગામ આતંકી હુમલાના 15 દિવસ પછી ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાની અધિકૃત કાશ્મીર (PoK)માં ફરી એકવાર પાકિસ્તાન આધારિત આતંકવાદી સંગઠનો સામે તીવ્ર પ્રહાર કર્યો છે. મંગળવારે મધરાત્રિ પછી ભારતીય સેનાએ સફળ રીતે “ઓપરેશન સિંદૂર” અમલમાં મૂક્યું હતું જેમાં માત્ર 33 મિનિટમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યા છે.
ભારતીય સેનાએ પાકિસ્તાનમાં કરેલા આ સૈન્ય કાર્યવાહીના ભાગરૂપે મુઝફફરાબાદ, બાગ, કોટલી, બહાવલપુર, મુરીદક જેવા વિસ્તારોમાં લશ્કર એ તોયબા અને જૈશ એ મહમ્મદના ઠેકાણાઓ નાશ પામ્યા છે. ખાસ કરીને સવાઈ નાલા કેમ્પ, જે LOCથી માત્ર 30 કિમી દૂર છે, ત્યાં રહેતા આતંકીઓ પહેલગામ સહિતના અનેક હુમલાઓ માટે જવાબદાર હતા.

ઓપરેશન સિંદૂરને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહનું વાતાવરણ છે. નવસારીના માજી સૈનિકોએ આ કાર્યવાહીને વધાવી લીધી છે. તેમણે સરકાર અને સેનાની આ કાર્યવાહીની પ્રશંસા કરી છે.
માજી સૈનિકોએ પોતાના સૈન્ય જીવનના અનુભવો શેર કર્યા હતા. તેમણે અગાઉ વર્ષ 1963 હોય કે 1971 હોય કે કારગિલ યુદ્ધ સામે પાકિસ્તાન સામેની કાર્યવાહીઓમાં ભાગ લીધેલો હતો. તેઓએ જણાવ્યું કે પાકિસ્તાનને હજુ પણ વધુ કડક જવાબ આપવાની જરૂર છે.માજી સૈનિકોએ સરકારના પગલાની પ્રશંસા કરી છે અને નવસારીના માજી સૈનિકોએ સર્વકાલીન ન્યૂઝ સાથે વાતચીતમાં તેમનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો
https://youtu.be/q_dFVjn4tx0?si=AHkZejYtNtFSUIO3
નવસારીના માજી સૈનિકોએ જાહેરાત કરી છે કે જો દેશને જરૂર પડશે તો તેઓ ફરીથી સરહદ પર જઈને દેશની સુરક્ષા માટે લડવા તૈયાર છે. તેમણે દુશ્મનોનો સામનો કરવા માટે પોતાની તૈયારી દર્શાવી છે. નવસારીના માજી સૈનિકોના આ નિવેદનથી દેશભક્તિની ભાવના પ્રગટ થાય છે.
‘ઓપરેશન સિંદૂર’ એ 22 એપ્રિલના હુમલામાં શહીદ થયેલા જવાનોની પત્નીઓને સમર્પિત નામ છે. હુમલા દરમિયાન ફાઇટર જેટ્સ અને મિસાઇલોના ગર્જનાથી મુઝફફરાબાદના નાગરિકો રાત્રે ઘરની બહાર નીકળી પડ્યા હતા. સ્થાનિક સ્તરે ભયનો માહોલ સર્જાયો હતો.
પ્રાપ્ત અહેવાલો અનુસાર આ એરસ્ટ્રાઈકમાં 100થી વધુ આતંકવાદીઓ ઠાર મરાયા હોવાની આશા છે. પીએમ નરેન્દ્ર મોદીએ રાતભર આ ઓપરેશનનું મોનિટરિંગ કર્યું હતું.