પીઓકે અને પાકિસ્તાન પર ભારતની એર સ્ટ્રાઈક બાદ ગુજરાત રાજ્યના આ મહાદેવ મંદિરમાં ‘ઓપરેશન સિંદૂર’નો કરાયો શણગાર

પીઓકે અને પાકિસ્તાન પર ભારતની એર સ્ટ્રાઈક બાદ ગુજરાત રાજ્યના આ મહાદેવ મંદિરમાં ‘ઓપરેશન સિંદૂર’નો કરાયો શણગાર

પહેલગામ ખાતે થયેલા બર્બર આતંકવાદી હુમલામાં નિર્દોષ સહેલાણીઓના ધર્મ પૂછીને કરાયેલા હત્યાકાંડથી સમગ્ર દેશમાં શોકની લાગણી પ્રસરી હતી. આ દુર્ઘટનાને પગલે ભારત સરકારે પીઓકે તથા પાકિસ્તાનમાં એરસ્ટ્રાઇક કરીને “ઓપરેશન સિંદૂર” દ્વારા તે જ આતંકીઓને કડક જવાબ આપ્યો છે. આ કાર્યવાહી માત્ર આતંકવાદી તત્વોને નાબૂત કરવા માટે નહોતી પરંતુ દેશના રાષ્ટ્રવાદને વધુ પ્રબળ પણ બનાવે છે. ત્યારે આ ઓપરેશન સિંદૂર નવસારીના એક શિવ મંદિર અનોખો શણગાર મંદિરમાં કરવામાં આવ્યો છે.

https://youtu.be/1jimnAMil3M?si=t0qU1muLtLnuz94V

નવસારીના દેવેશ્વર મહાદેવ મંદિર ખાતે આ શણગાર કરવામાં આવ્યો છે. આ શણગાર સાથે પાકિસ્તાની આતંકી ઠેકાણાને ધ્વસ્ત કરવાની ક્ષણને ઉજવાઇ હતી.એર સ્ટ્રાઈક બાદ આ બદલો પૂરો થયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.જોકે મંદિરોમાં આ ઓપરેશનને અનોખી રીતે શણગારવામાં આવ્યા છે.

પહેલગામનો બદલો લેવા ભારતે ચલાવેલ ઓપરેશન સિંદૂરની દુનિયાભરમાં પ્રશંસા થઈ રહી છે.ત્યારે નવસારીના પૌરાણિક એક શિવ મંદિરમાં મહાદેવને અનોખો શણગાર કરવામાં આવ્યો હતો. નવસારી શહેરના મધ્યમાં આવેલ પૌરાણિક દેવેશ્વર મહાદેવ મંદિર ખાતે “ઓપરેશન સિંદૂર”ને સમર્પિત વિશેષ શૃંગાર કરવામાં આવ્યો છે. મંદિરના ગર્ભગૃહમાં અક્ષત અને પુષ્પોથી દેશની સેનાને આભાર ભાવ વ્યક્ત કરવા માટે બનાવવામાં આવ્યું છે.

આની સાથે જ  પહેલગામની દુખદ ઘટનાથી વ્યથિત મહિલાની આંસુઓને પ્રતિબિંબિત કરતી એક લાગણીસભર રંગોળી પણ બનાવીને અનોખી રીતે રાષ્ટ્રભક્તિ જગાડવાનો ભગીરથ પ્રયાસ સાથેજ દેશના પ્રત્યેક નાગરિકને દેશ માટે નિષ્ઠા એકતા અને અખંડતા માટે આગળ વધવા પ્રેરણા દર્શનાર્થીઓને મળે તે માટે કરવામાં આવ્યું છે

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *