પીઓકે અને પાકિસ્તાન પર ભારતની એર સ્ટ્રાઈક બાદ ગુજરાત રાજ્યના આ મહાદેવ મંદિરમાં ‘ઓપરેશન સિંદૂર’નો કરાયો શણગાર

પીઓકે અને પાકિસ્તાન પર ભારતની એર સ્ટ્રાઈક બાદ ગુજરાત રાજ્યના આ મહાદેવ મંદિરમાં ‘ઓપરેશન સિંદૂર’નો કરાયો શણગાર

પહેલગામ ખાતે થયેલા બર્બર આતંકવાદી હુમલામાં નિર્દોષ સહેલાણીઓના ધર્મ પૂછીને કરાયેલા હત્યાકાંડથી સમગ્ર દેશમાં શોકની લાગણી પ્રસરી હતી. આ દુર્ઘટનાને પગલે ભારત સરકારે પીઓકે તથા પાકિસ્તાનમાં એરસ્ટ્રાઇક કરીને “ઓપરેશન સિંદૂર” દ્વારા તે જ આતંકીઓને કડક જવાબ આપ્યો છે. આ કાર્યવાહી માત્ર આતંકવાદી તત્વોને નાબૂત કરવા માટે નહોતી પરંતુ દેશના રાષ્ટ્રવાદને વધુ પ્રબળ પણ બનાવે છે. ત્યારે આ ઓપરેશન સિંદૂર નવસારીના એક શિવ મંદિર અનોખો શણગાર મંદિરમાં કરવામાં આવ્યો છે.

https://youtu.be/1jimnAMil3M?si=t0qU1muLtLnuz94V

નવસારીના દેવેશ્વર મહાદેવ મંદિર ખાતે આ શણગાર કરવામાં આવ્યો છે. આ શણગાર સાથે પાકિસ્તાની આતંકી ઠેકાણાને ધ્વસ્ત કરવાની ક્ષણને ઉજવાઇ હતી.એર સ્ટ્રાઈક બાદ આ બદલો પૂરો થયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.જોકે મંદિરોમાં આ ઓપરેશનને અનોખી રીતે શણગારવામાં આવ્યા છે.

પહેલગામનો બદલો લેવા ભારતે ચલાવેલ ઓપરેશન સિંદૂરની દુનિયાભરમાં પ્રશંસા થઈ રહી છે.ત્યારે નવસારીના પૌરાણિક એક શિવ મંદિરમાં મહાદેવને અનોખો શણગાર કરવામાં આવ્યો હતો. નવસારી શહેરના મધ્યમાં આવેલ પૌરાણિક દેવેશ્વર મહાદેવ મંદિર ખાતે “ઓપરેશન સિંદૂર”ને સમર્પિત વિશેષ શૃંગાર કરવામાં આવ્યો છે. મંદિરના ગર્ભગૃહમાં અક્ષત અને પુષ્પોથી દેશની સેનાને આભાર ભાવ વ્યક્ત કરવા માટે બનાવવામાં આવ્યું છે.

આની સાથે જ  પહેલગામની દુખદ ઘટનાથી વ્યથિત મહિલાની આંસુઓને પ્રતિબિંબિત કરતી એક લાગણીસભર રંગોળી પણ બનાવીને અનોખી રીતે રાષ્ટ્રભક્તિ જગાડવાનો ભગીરથ પ્રયાસ સાથેજ દેશના પ્રત્યેક નાગરિકને દેશ માટે નિષ્ઠા એકતા અને અખંડતા માટે આગળ વધવા પ્રેરણા દર્શનાર્થીઓને મળે તે માટે કરવામાં આવ્યું છે

Related post

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…
નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય ફૂલ એક્શન મોડમાં,વહેલી સવારે ફિલ્ડ મીટિંગ યોજી

નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર…

નવસારી મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે જયેશ ઉપાધ્યાયે સત્તાવાર રીતે પદભાર સંભાળી લીધો છે. પદભાર સંભાળતાની સાથે જ તેઓ એક્શન મોડમાં…
નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *