પીઓકે અને પાકિસ્તાન પર ભારતની એર સ્ટ્રાઈક બાદ ગુજરાત રાજ્યના આ મહાદેવ મંદિરમાં ‘ઓપરેશન સિંદૂર’નો કરાયો શણગાર

પીઓકે અને પાકિસ્તાન પર ભારતની એર સ્ટ્રાઈક બાદ ગુજરાત રાજ્યના આ મહાદેવ મંદિરમાં ‘ઓપરેશન સિંદૂર’નો કરાયો શણગાર

પહેલગામ ખાતે થયેલા બર્બર આતંકવાદી હુમલામાં નિર્દોષ સહેલાણીઓના ધર્મ પૂછીને કરાયેલા હત્યાકાંડથી સમગ્ર દેશમાં શોકની લાગણી પ્રસરી હતી. આ દુર્ઘટનાને પગલે ભારત સરકારે પીઓકે તથા પાકિસ્તાનમાં એરસ્ટ્રાઇક કરીને “ઓપરેશન સિંદૂર” દ્વારા તે જ આતંકીઓને કડક જવાબ આપ્યો છે. આ કાર્યવાહી માત્ર આતંકવાદી તત્વોને નાબૂત કરવા માટે નહોતી પરંતુ દેશના રાષ્ટ્રવાદને વધુ પ્રબળ પણ બનાવે છે. ત્યારે આ ઓપરેશન સિંદૂર નવસારીના એક શિવ મંદિર અનોખો શણગાર મંદિરમાં કરવામાં આવ્યો છે.

https://youtu.be/1jimnAMil3M?si=t0qU1muLtLnuz94V

નવસારીના દેવેશ્વર મહાદેવ મંદિર ખાતે આ શણગાર કરવામાં આવ્યો છે. આ શણગાર સાથે પાકિસ્તાની આતંકી ઠેકાણાને ધ્વસ્ત કરવાની ક્ષણને ઉજવાઇ હતી.એર સ્ટ્રાઈક બાદ આ બદલો પૂરો થયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.જોકે મંદિરોમાં આ ઓપરેશનને અનોખી રીતે શણગારવામાં આવ્યા છે.

પહેલગામનો બદલો લેવા ભારતે ચલાવેલ ઓપરેશન સિંદૂરની દુનિયાભરમાં પ્રશંસા થઈ રહી છે.ત્યારે નવસારીના પૌરાણિક એક શિવ મંદિરમાં મહાદેવને અનોખો શણગાર કરવામાં આવ્યો હતો. નવસારી શહેરના મધ્યમાં આવેલ પૌરાણિક દેવેશ્વર મહાદેવ મંદિર ખાતે “ઓપરેશન સિંદૂર”ને સમર્પિત વિશેષ શૃંગાર કરવામાં આવ્યો છે. મંદિરના ગર્ભગૃહમાં અક્ષત અને પુષ્પોથી દેશની સેનાને આભાર ભાવ વ્યક્ત કરવા માટે બનાવવામાં આવ્યું છે.

આની સાથે જ  પહેલગામની દુખદ ઘટનાથી વ્યથિત મહિલાની આંસુઓને પ્રતિબિંબિત કરતી એક લાગણીસભર રંગોળી પણ બનાવીને અનોખી રીતે રાષ્ટ્રભક્તિ જગાડવાનો ભગીરથ પ્રયાસ સાથેજ દેશના પ્રત્યેક નાગરિકને દેશ માટે નિષ્ઠા એકતા અને અખંડતા માટે આગળ વધવા પ્રેરણા દર્શનાર્થીઓને મળે તે માટે કરવામાં આવ્યું છે

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *