નવસારીના ડૉ. મયુર પટેલની ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2025માં ટેકનિકલ ઓફિશ્યલ તરીકે નિમણૂંક કરાઈ

નવસારીના ડૉ. મયુર પટેલની ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2025માં ટેકનિકલ ઓફિશ્યલ તરીકે નિમણૂંક કરાઈ

યુવા બાબતો અને રમતગમત મંત્રાલય, ભારત સરકાર તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે આયોજિત ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025 રાજગીર, બિહાર ખાતે યોજાનાર છે.આ રાષ્ટ્રીય સ્તરના પ્રતિષ્ઠિત રમતોત્સવમાં નવસારી જિલ્લાના ગૌરવ, નારણ લાલા કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટમાં શારીરિક શિક્ષણના વ્યાખ્યાતા ડૉ. મયુર પટેલને ટેકનિકલ ઓફિશ્યલ તરીકે નિમણૂક મળી છે.

ડૉ. મયુર પટેલ ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશનના એક્ઝીક્યુટિવ કમિટીના સભ્ય તેમજ નેશનલ રેફરી છે. ઉપરાંત તેઓ ગુજરાત સ્ટેટ વેઇટલિફ્ટિંગ એસોસિએશનના સેક્રેટરી તરીકે પણ સેવા આપી રહ્યા છે.

આ સિદ્ધિ બદલ તેમના સહકર્મીઓ, વિદ્યાર્થીમિત્રો અને રમતગમત જગતમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે. નારણ લાલા કોલેજના ચેરમેન મહેશ કંસારા, કેમ્પસ ડાયરેક્ટર ડૉ. વી.ડી.નાયક, કો-ઓર્ડિનેટર ખ્યાતીબેન કંસારા, આચાર્ય ડૉ. ચિરાગીબેન દેસાઈ, ડૉ. સુનીલભાઈ નાયક અને વેઇટલિફ્ટિંગ એસોસિએશનના પ્રમુખ રાજેન્દ્ર સેલાર સહિતના અગ્રણીઓએ ડૉ. મયુર પટેલને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *